Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar

અફઝલની ફાંસી માટે સરકાર હવે જાગીThursday, June 24, 2010 00:01 [IST]

guru1
લગભગ સાડા નવ વર્ષ પહેલાં એટલે કે ૨૦૦૧ની સાલની ૧૩મી ડિસેમ્બરે પાટનગર નવી દિલ્હીમાં સંસદભવન પર થયેલા ત્રાસવાદી હુમલાના મુખ્ય ગુનેગાર અફઝલ ગુરુને હવે ફાંસીના માંચડે લટકાવવા કેન્દ્ર સરકાર સળવળી છે. ત્રાસવાદીઓએ સંસદને નિશાન બનાવીને દેશ સામે મોટો પડકાર સર્જ્યો હતો. સમગ્ર સલામતી વ્યવસ્થાને ડાબા હાથની અડબોથ ફટકારી હતી. મુઠ્ઠીભર ત્રાસવાદી જૂથો સામે વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ...
 
 
Divya Bhaskar

નીતિશને લાઠી ભાંગવી નથી ને સાપ મારવો છેWednesday, June 23, 2010 00:04 [IST]

nitish11
બિહારના મુખ્યપ્રધાન નીતિશકુમારને સાપ મરે પણ લાઠી ભાંગે નહીં તેવો ઉકેલ જોઇએ છે. લઘુમતીના મસિહા તરીકેની પોતાની છાપ ભગવી છબી ધરાવતા ભાજપની સાથે જોડાણ છતાં અક્ષત રહે તેવું નીતિશકુમાર ઇચ્છી રહ્યા છે. ભગવી પાર્ટી સાથેના સહયોગથી તેમણે સરકાર બનાવવી અને ટકાવવી છે. પણ, સાથે જ, હિન્દુવાદીઓનો ટેકો લેવા કે તેમને ટેકો આપવાના આળમાંથી પણ બચી જવું છે. બેધારી તલવારથી લડી રહ્યા છે નીતિશકુમાર...
 
 
danik bhaskar

કાન આમળો તો જ પગલાં કેમ?Tuesday, June 22, 2010 00:11 [IST]

wanted1
ભાસ્કર જુથે ઝુંબેશ ચલાવ્યા પછી જે જ્ઞાન સરકારને થયું તે વર્ષો પહેલાં થવું જોઈતું હતું કેન્દ્ર સરકારની આંખ ભાસ્કર જુથની ઝુંબેશ પછી ઊઘડી છે અને ભોપાલ ગેસકાંડના પીડિતોને વળતર આપવા તથા કેસ રિ-ઓપન કરવાની ભલામણ ગ્રૂપ ઓફ મિનિસ્ટર્સે કરી છે. ભાસ્કરની સતર્કતાથી જે પગલાં લેવા સરકારી તંત્ર તૈયાર થયું તેની અપેક્ષા વર્ષોથી હતી. જ્યારે ભોપાલકાંડનો ચુકાદો આવ્યો ત્યારે તમામને લાગ્યું...
 
 
danik bhaskar

નીતીશની નજર તો બિહારની ચૂંટણી પરMonday, June 21, 2010 00:02 [IST]

nitish11
ચાલુ વર્ષના અંતિમ ગાળામાં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીની દાંડી પીટાય એ પહેલાં જ રાજ્યના સત્તાધારી ગઠબંધન એનડીએના બે મુખ્ય ઘટકો જનતાદળ(યુ) અને ભાજપ વચ્ચે છૂટાછેડા થાય એ હદે ગરબડ શરૂ થઈ છે. બિહારમાં તાજેતરમાં મળેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી વખતે ગુજરાત અંગેની જાહેરાત અને તેમાં પ્રકાશિત થયેલા નરેન્દ્ર મોદી અને નીતીશકુમારના ફોટાના વિવાદનો રેલો આજે ગઠબંધનને ગળી જાય એ...
 
 
danik bhaskar

ગેસકાંડ: પ્રધાનોનું જુથ કોને રાજી કરશે?Saturday, June 19, 2010 00:21 [IST]

bhopal31
વિશ્વના સૌથી વિનાશક ગેસકાંડના આરોપીઓ છટકી ગયા પછી તબેલાને તાળાં મારવાની હરક્તમાં આવેલી સરકાર હવે રાહત , પુનર્વસન અને બીજા કાનૂની વિકલ્પોની પળોજણમાં છેક આટલે વર્ષે પડી છે. વડાપ્રધાન મનમોહનસિંહે નવેસરથી રચેલા પ્રધાનોના જુથે ગેસકાંડના વિવિધ મુદ્દે વિચાર-કસરત આદરી છે. સોમવારે આ જુથ પોતાની ભલામણો સાથેનો અહેવાલ વડાપ્રધાનને સુપરત કરશે. યુનિયન કાર્બાઇડના તત્કાલીન સીઈઓ વોરેન...
 
 
danik bhaskar

ભોપાલ ગેસકાંડ: કોણ બનશે બલિનો બકરો?Friday, June 18, 2010 00:21 [IST]

કોંગ્રેસને પણ ભોપાલકાંડ નામનું ઘંટીનું પડ ગળામાંથી જલદી કાઢવું છે કોઈને ધરી દઈને બલિનો બકરો બનાવી દેવાનું બીજું નામ રાજકારણ છે. ભોપાલ ગેસકાંડના આરોપી વોરન એન્ડરસનને ભારતમાંથી ભગાડી દેવા માટે તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધી અને મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્યપ્રધાન અર્જુનસિંહ જવાબદાર હોવાનું ભલે દીવા જેવું સ્પષ્ટ હોય, સાવ અભણ માણસ પણ ભલે આ સત્ય સમજી ચૂકયો હોય, ધાવણાં છોકરાં પણ...
 
 
danik bhaskar

આવ રે વરસાદ ઘેબરિયો પરસાદThursday, June 17, 2010 03:07 [IST]

rain_288_03

મેઘરાજા મહારાષ્ટ્ર પર મહેરબાન થઈને વરસી પડ્યા છે. મુંબઈને અનરાધાર વર્ષાએ ભીંજવી દીધું છે. મુંબઈનો વરસાદ ગાંડો કહેવાય છે. વરસે ત્યારે સાંબેલાધાર તૂટી પડે છે અને મહાનગર પાણી પાણી થઈ જાય છે. દેશનું આર્થિક પાટનગર થંભી જાય છતાં ખુશાલી હોય એવું માત્ર વરસાદ વખતે જ બને છે.



લોકલ ટ્રેનોના પાટા ઉપર ગોઠણડૂબ પાણી ભરાઈ જાય છે. મહાનગરના સર્પાકાર રસ્તાઓ પર ગાડીઓના થપ્પા લાગી જાય છે....

 
 
danik bhaskar

જસવંતને પાછા લેશો તો પુસ્તકનું શું કરશો?Wednesday, June 16, 2010 07:46 [IST]

jaswant_288_01

મોહમ્મદ અલી ઝીણા પર પુસ્તક લખવા બદલ નવ મહિના પહેલાં ભાજપમાંથી હાંકી કાઢવામાં આવેલા ભાજપી નેતા જસવંતસિંહને ફરીથી પક્ષમાં લેવાની તૈયારી થઈ રહી છે. ગડકરીની ફોર્મ્યુલા મુજબ ભાજપ છોડીને ગયેલા કોઈ પણ નેતા જો દિલગીરી વ્યક્ત કરે તો તેને ફરીથી પક્ષની સોડમાં લઈ લેવામાં આવશે.



જસવંતસિંહે જોકે પોતે પક્ષ છોડ્યો નહોતો. ઝીણા પર તેમણે લખેલું પુસ્તક ‘ઝીણા, ઇન્ડિયા, પાર્ટિઝન,...

 
 
danik bhaskar

પ્રજાને શું જોઈએ? વિકાસ કે ફુગાવો?Tuesday, June 15, 2010 03:26 [IST]

infla11
મોંઘવારીએ ફરી એક વાર માઝા મૂકી છે. ફુગાવાનો દર બે વર્ષની સૌથી ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. વડાપ્રધાન ડો..મનમોહનસિંહ અર્થશાસ્ત્રી છે એટલે વિકાસ દરની વાતો કરતા થાકતા નથી. પણ જ્યારે મોંઘવારીની વાત આવે ત્યારે તેમનામાંનો અર્થશાસ્ત્રી ક્યાંક છુપાઈ જાય છે અને રાજકારણી બહાર આવી જાય છે. મોંઘવારી ડામવાના પગલાઓ લેવાને બદલે તેઓ વાતોના વડાં કરવા માંડે છે. મોંઘવારી ડામવા માટે કડક પગલાં લેવા...
 
 
danik bhaskar

NDAનું ઘમ્મરવલોણું ક્યાં નજર, ક્યાં લક્ષ્ય?Monday, June 14, 2010 00:59 [IST]

nda1
ચકચારી ભોપાલ ગેસકાંડના પ્રત્યાઘાતી કોર્ટ ચુકાદાએ સજેઁલી ગરબડના માહોલમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી થકી વળી નવું,નવી દિશાનું તોફાન ઊભું થયું છે. ગેસકાંડમાં કોંગ્રેસ અને તેના નેતાઓ તળે રેલો આવતાં યુપીએ સરકાર રક્ષણાત્મક સ્થિતિમાં મુકાઈ છે અને ઓળિયોઘોળિયો ભળતાસળતાઓના માથે ઓઢાડવાના પેંતરા ચાલી રહ્યા છે. ભાજપ જેવા વિપક્ષ માટે આ સ્થિતિનો સંભવિત ફાયદો ઉઠાવવાનો અવસર ઊભો...
 
 
danik bhaskar

બોફોર્સ પછી ગેસકાંડ રેલો તો ખરો ચાલ્યો!Saturday, June 12, 2010 00:05 [IST]

congress-final21
ભોપાલના ગેસકાંડમાં તો ખરું થયું! ત્યાંની નીચલી કોર્ટે આપેલા ચુકાદાથી જે કંઈ ચણભણ ચાલી તેમાં આખોય કાંડ આવો વળાંક લેશે એવું તો અર્જુનસિંહ અને દિગ્વિજયસિંહ વચ્ચેના પ્રાથમિક તબક્કાના ટંટા પરથીય નહોતું લાગતું. કાતિલ કંપની યુનિયન કાર્બાઇડના તત્કાલીન સીઈઓ વોરન એન્ડરસનને પંદર હજારની લાશો અને સાડા પાંચ લાખ પીડિતોના આર્તનાદ વચ્ચે પણ તત્કાલીન કોંગ્રેસી રાજ્ય સરકારે જે વીઆઈપી...
 
 
danik bhaskar

છુટાછેડા વધુ સરળ ફાયદા-ગેરફાયદાFriday, June 11, 2010 01:32 [IST]

divorce111

એકબીજા સાથે રહી શકે તેમ ન હોય તેવા દંપતી હવે છુટાં થઈ શકશે



છુટાછેડા આ શબ્દ એક સંબંધને ઉતરડી ફેંકવાનો પર્યાય છે તે જ રીતે છુટકારાનો પણ પર્યાય છે. લગ્ન પવિત્ર સંસ્થા છે અને તેનો વિકલ્પ પાંચ હજાર વર્ષની સંસ્કૃતિ વિશ્વમાં શોધી શકી નથી. છતાં, જ્યારે લગ્ન ચાલી શકે તેમ જ ન હોય ત્યારે તેનો અંત સરળતાથી લાવી શકાય એવી વ્યવસ્થા પણ હોવી જોઈએ એવો મત વર્ષોથી વ્યક્ત થતો રહ્યો છે. હિન્દુ લગ્ન...

 
 
danik bhaskar

ગેસપીડિતો અમેરિકી દબાણમાં ગૂંગળાયાThursday, June 10, 2010 00:11 [IST]

bhopal21
ભોપાલના ગોઝારા ગેસકાંડનો ૨૫ વર્ષે આવેલો ચુકાદો ગેસપીડિતો અને તેમના વાલીવારસો માટે જાણે બીજીવાર ગૂંગળામણ સર્જવા બેઠો છે. ૧૫ હજારનાં મોત અને ૫.૭ લાખ અસરગ્રસ્તોની યાતનાઓનો બદલો આઠ આરોપીને માત્ર બબ્બે વર્ષની સજામાં સરભર કરી દેવાયાની લાગણી જન્મી છે. ન્યાયતંત્ર તો માત્ર તપાસઅહેવાલના આધારે જ ચુકાદો આપે છે. તપાસ જ જ્યાં બોદી હોય ત્યાં શું થાય? ગરબડવાળી તપાસ માટે સીબીઆઈ સામે આંગળીઓ...
 
 
danik bhaskar

રોડ એક્સિડેન્ટનું પાટનગર ભારતWednesday, June 09, 2010 00:30 [IST]

દર વર્ષે લગભગ સવા લાખ લોકો રસ્તાઓ પર વાહન અકસ્માતનો ભોગ બને છે કોઈ મહામારી કે કુદરતી આફત કરતાં પણ વધુ નાગરિકોનો ભોગ ભારતમાં માર્ગ અકસ્માતો લે છે. ૨૦૦૬માં માર્ગ અકસ્માતોની બાબતમાં ચીનને પાછળ રાખી દઈને વિશ્વનું રોડ એક્સિડેન્ટ કેપિટલ બનેલું ભારત આ દિશામાં જબરદસ્ત ‘પ્રગતિ’ કરી રહ્યું છે. ૨૦૦૩થી ૨૦૦૮ સુધીના પાંચ વર્ષમાં ભારતમાં માર્ગ અકસ્માતોમાં મરનારાઓની સંખ્યામાં ૪૦ ટકાનો...
 
 
danik bhaskar

ભોપાલ દુર્ઘટના: મોડો અને અધૂરો ન્યાયTuesday, June 08, 2010 00:45 [IST]

bhopal_gas_tragedy1
૨૫ હજારના મોતમાં ૨૫ વર્ષ બાદ માત્ર બે વર્ષની કેદની સજા પડે ત્યારે શું કહેવું? ૨૫ હજાર માણસોના મોત નીપજે એવી ઘટનામાં ૨૫ વર્ષ પછી અદાલત ચુકાદો આપે અને એમાં પણ આઠ આરોપીઓને માત્ર બે-બે વર્ષની સજા થાય, સજા પછી તરત જ આરોપીઓને જામીન પણ મળી જાય ત્યારે સામાન્ય માણસનો વિશ્વાસ ડગમગી જાય છે. હવે ચુકાદા સામે અપીલો થશે, લોકો આંદોલનો કરશે, દેખાવો કરશે, ધરણાં કરશે, બુદ્ધિજીવીઓ એની ચર્ચાઓ કરશે,...
 
 
danik bhaskar

નહેરુના વિવાદ વચ્ચે મોદીનો સુશાસન પાઠMonday, June 07, 2010 00:07 [IST]

modi21
ભાજપી મુખ્યમંત્રીઓને આગામી ચૂંટણી માટે સંદેશ : એકશન વિના પરિણામ નથી સુરાજ સંકલ્પ નામે મુંબઈમાં ભાયંદર નજીક ઉત્તન ખાતે યોજાયેલા ભાજપશાસિત મુખ્યપ્રધાનોના બે દિવસના રાષ્ટ્રીય સમ્મેલનને ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ જવાહરલાલ નહેરુ વિષે કરેલું નિવેદન મીડિયામાં ખૂબ ચર્ચાયું. વિવાદાસ્પદ લાગતી વાત કાયમ સમાચાર બનતી હોય છે. પરંતુ હકીકતમાં સુરાજ સંકલ્પના વિષયની મુખ્ય વાત...
 
 
danik bhaskar

IPLવિવાદનું ભૂત, હવે પવારનો વારો!Saturday, June 05, 2010 00:05 [IST]

pawar11
ઇન્ડિયન પ્રિમિયર લીગને કાળાં નાણાંની ક્રિકેટ ટૂર્નામેન્ટ બનાવી દેવા માટે જેમના પર આરોપો મુકાઈ રહ્યા છે એ લલિત મોદીનું વ્યક્તિત્વ ઘણું દાધારંગું રહ્યું છે. બીસીસીઆઈ સાથેના વિવાદ તેમજ ફ્રેન્ચાઇઝી, બીડ અને અન્ય ગોઠવણો માટે તેમને સાણસામાં લેવાતા આઈપીએલ અને તેનું સંચાલન વિવાદના ઘેરામાં આવ્યું છે. લલિત મોદીએ અન્ય કેટલીક વ્યક્તિઓ-કંપનીઓના છૂપાં (કાળાં)નાણાંનું આઈપીએલ માટે...
 
 
danik bhaskar

હાશ, વાવાઝોડાનો ખતરો આખરે ટળ્યોFriday, June 04, 2010 00:31 [IST]

phet1
ચક્રવાતના કારણે ચોમાસાનો વરસાદ કદાચ એક-બે અઠવાડિયાં મોડો આવશે ફેટ નામનું વાવાઝોડું ગુજરાતને ચાતરીને ઓમાન તથા પાકિસ્તાનના કાંઠા પર ત્રાટકર્યું છે. લગભગ દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં અરબ સાગર પર આવો ચક્રવાત પેદા થતો હોય છે. કંડલામાં હાહાકાર મચાવનાર ૧૯૯૮નું વાવાઝોડું હજી લોકોના માનસપટ પર તાજું જ છે. ફેટ વાવાઝોડાની દિશા ભલે બદલાઈ હોય છતાં તેની અસરથી સૌરાષ્ટ્ર અને કચ્છના...
 
 
danik bhaskar

રાઇટર્સ બિલ્ડિંગથી મમતા કેટલાં દૂર?Thursday, June 03, 2010 00:13 [IST]

Mamata_Banerjee1
પશ્ચિમ બંગાળમાં સુધરાઈની ચૂંટણીઓમાં તૃણમૂલનો દેખાવ ડાબેરીઓ માટે પદાર્થપાઠ છે ‘દીદી’ મમતા બેનરજી રાઈટર્સ બિલ્ડિંગમાંની મુખ્યમંત્રીની ખુરશી તરફ આગળ વધી રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલાંની સેમિફાઈનલ જેવી સુધરાઈની ચૂંટણીઓમાં મમતા બેનરજીના પક્ષ તૃણમૂલ કોંગ્રેસે જવલંત દેખાવ કરીને ડાબેરી મોરચા તથા કોંગ્રેસ બંનેને ધોબીપછાડ આપી છે. મમતા અત્યાર સુધી...
 
 
danik bhaskar

પહેલો વરસાદ આવ્યો વાવાઝોડું લાવ્યોWednesday, June 02, 2010 00:17 [IST]

Rain1
ગુજરાતના કાંઠાળ વિસ્તારો પર વાવાઝોડું ત્રાટકે એવી સંભાવના ઊભી થઈ છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો આરંભ આ સાથે થઈ ગયો છે. પણ ચિંતાની વાત એ છે કે ‘ફેટ’ નામના આ ચક્રવાતને કારણે નૈઋત્યનું ચોમાસુ થોડું મોડું પડે એવું પણ બને. અગાઉ આવું થઈ ચૂકર્યું છે. ગયા વર્ષે જ અરબ સાગરમાં ઉદ્ભવેલાં વાવાઝોડાને કારણે નૈઋત્યનું ચોમાસુ બે અઠવાડિયામાં પાછું ઠેલાઈ ગયું હતું. આ વખતે જોકે ચક્રાવાત ગુજરાતના...
 
 
danik bhaskar

શ્રી શ્રી પર હુમલો આવું કેમ થાય છે?Tuesday, June 1, 2010 01:51 [IST]

ravishankar_288

શ્રી શ્રી રવિશંકર પર કોઈએ ગોળીબાર કર્યો. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા બચી ગયા પણ આ ઘટનાના પડઘા દેશભરમાં પડ્યા છે. હુમલો થવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પણ આજુબાજુના ગામડાંની જમીનના મુદ્દાથી માંડીને બે અનુયાયીઓ વચ્ચેના ઝઘડા સુધીના મુદ્દા ચર્ચાઈ રહ્યા છે. કારણ ગમે તે હોય, ધર્મોપદેશક પર હિચકારો હુમલો થાય તે બાબત પોતે જ ગંભીર છે. ભારતમાં સંતો, સાધુઓ, બાવાઓ અને પિંઢારાઓનો તોટો...

 
 
danik bhaskar

પાકિસ્તાન સાથે માત્ર બે ટકા જ કાશ્મીરીMonday, May 31, 2010 00:26 [IST]

PAK1
છેક આઝાદીકાળથી કાશ્મીરમાં જનમત (રેફરન્ડમ)ની તતૂડી વગાડનારાને સણસણતો તમાચો જ્યાંસુધી કાશ્મીરમાં ભારતીય લશ્કર છે, ત્યાં સુધી (જ) કાશ્મીર ભારતનો ભાગ છે એવું છેલ્લા દાયકાઓથી કહેવાતું આવ્યું છે. ધરતી પરનું સ્વર્ગ ગણાતા આ પર્વતીય ઇલાકાને પચાવી પાડવા માટે છેક આઝાદીકાળથી પાકિસ્તાન પેંતરા કરી રહ્યું છે. એ માટે તેણે અલગતાવાદ વકરાવાની સાથે સરહદ પારથી પણ ખૂંખાર ત્રાસવાદીઓને ઘુસાડીને...
 
 
danik bhaskar

લાલ આતંક સામે લાલઆંખ અનિવાર્યSaturday, May 29, 2010 20:20 [IST]

train211

નક્સલવાદગ્રસ્ત રાજ્યોમાં રાત્રે ટ્રેનો રદ કરવા વિચારાય પણ હવાઈ હુમલા માટે મૂરત જોવાનું?



લાલ આતંકના સ્વરૂપે દેશનાં ડઝનબંધ રાજ્યોમાં ફેલાયેલો માઓવાદ બ્રાન્ડ ત્રાસવાદ રોજેરોજ લાશોના ઢગલા ખડકી રહ્યો છે ને આ રાજ્યોની સરકારો સહિત (હવે તો રિટાયર થવાનો ધરાર ઇનકાર કરતી) મનમોહનસિંહની સરકાર મોઢાં વકાસીને બેસી રહી છે. દંતેવાડાની લોહીની હુતાશણી હજુ તો તાજી છે.



જ્ઞાનેશ્વરી...

 
 
danik bhaskar

ચીનનું હૃદયપરિવર્તન કે ગણતરીપૂર્વકનું પગલું?Friday, May 28, 2010 00:12 [IST]

china11
ભારતને સલામતી સમિતિમાં અસ્થાયી સભ્ય બનાવવામાં ચીનને વાંધો નથી સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિમાં ભારતની ભૂમિકાને વિસ્તૃત બનાવવા માટે ટેકો આપવાની ખાતરી રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલની બિજિંગ મુલાકાત દરમિયાન મળી. એ જો માત્ર એક ઔપચારિક નિવેદન ન હોય તો આવકારદાયક છે. ચીનના રાષ્ટ્રપ્રમુખ હુ જિનાઓ દ્વારા એવું નિવેદન અપાયું છે કે ભારતને સલામતી સમિતિમાં નોનપરમેનન્ટ (અસ્થાયી) સભ્યપદ...
 
 
danik bhaskar

સોનાની ચમક ભભૂકી સટ્ટાનો ઘાતક મેનિયાThursday, May 27, 2010 00:08 [IST]

gold1
રોકાણની સલામતીને લીધે સોના-ચાંદીની વધેલી વૈશ્વિક સટ્ટાખોરીએ દાટ વાળ્યો કીમતી ધાતુઓ સોના અને ચાંદીના ભાવ અભૂતપૂર્વ ટોચે પહોંચ્યા છે. એક તોલો સોનું રૂ. ૧૯ હજાર અને એક કિલો ચાંદી રૂ. ૩૦ હજારને પાર કરી ગઈ હોવાની ઘટના ઐતિહાસિક છે. ભાવની ટોચ રોજેરોજ નવાં-અવનવાં શિખરો સર કરી રહી છે. સામાન્ય નાગરિકો આટલા ઊચા ભાવે સોનું-ચાંદી ખરીદી શકે એમ નથી. બજારોમાં કાગડા ઊડે છે અને સટ્ટાબજારોમાં ભાવ...
 
 
danik bhaskar

પાકને ન્યાય નહીં, ત્રાસવાદ જ ખપે છેWednesday, May 26, 2010 00:35 [IST]

Terrorist_183[1]1
કસાબની ફાંસી માટે ભારત વિચારે છે ત્યારે ત્યાં હાફિઝ સઈદ હવે છૂટી જશે વિશ્વના કોઈ પણ ખૂણામાં બનતી ત્રાસવાદી ઘટનાનું મૂળિયું પાકિસ્તાનમાં નીકળતું હોવાની હકીકતનો સિલસિલો ૯/૧૧ પહેલાંથી છેક ૨૬/૧૧ના મુંબઈ હુમલાની ઘટના સુધઈ સતત-સખત રીતે અકબંધ છે. દુનિયાભરના ત્રાસવાદીઓનાં ગોત્ર પાકિસ્તાનમાં પડેલા છે. ત્યાં ચાલતા તાલીમ શિબિરો ત્રાસવાદનાં ઉત્પાદક કેન્દ્રો છે. આઈએસઆઈ અને અલ-કાયદાના...
 
 
danik bhaskar

મનમોહનસિંહ માટે સિદ્ધિ વધુ કે ફરિયાદો?Tuesday, May 25, 2010 00:24 [IST]

manmohan-singh1
સાફ છબિ પણ નક્સલવાદ બેકાબૂ, મોંઘવારીનો ત્રાસ તો માત્ર ગરીબો ને! જોતજોતાંમાં મનમોહનસિંહે દેશના વડાપ્રધાનની ખુરશી પર સાત વર્ષ પૂરાં કરી દીધાં. યુપીએ સરકારની એક વર્ષની બીજી ઇનિંગના સૂત્રધાર તરીકે તેઓ હજુ કડેધડે અને અડીખમ છે. મોંઘવારી-ભાવવધારામાં ભીંસાતી પ્રજાને મનમોહનસિંહનો કાર્યકાળ જાણે કળાયો જ નથી. તેઓ પોતે અનેક કારણોસર એવું ભલે કહેતા હોય કે રાહુલ ગાંધી વડાપ્રધાન બનવાને...
 
 
danik bhaskar

અંબાણીઓની બુચ્ચા અર્થતંત્રનું ફીલગુડMonday, May 24, 2010 00:43 [IST]

ambani_brothers[1]1
નવા સમાધાનથી નવી સ્પર્ધા વધતાં લાખો શેરધારકોને ફાયદો જ ફાયદો ભારતીય કોર્પોરેટ ક્ષેત્રની બે ટોચની કંપનીઓ આરઆઈએલ અને એડીએ વચ્ચે ફરી એકવાર નવું સમાધાન આકાર પામવાની ઘટના સમગ્ર દેશનાં અર્થતંત્ર માટે એક નવો વળાંક અને નવા ઉત્થાનના શુકન લઈને આવી છે. ૨૦૦૬ની સાલમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણી વચ્ચે વ્યાવસાયિક આંટ પડી હતી. ભારતીય કોર્પોરેટ ક્ષેત્રના બેતાજ બાદશાહ ગણાતા ધીરુભાઈ...
 
 
danik bhaskar

ધગધગતો ઉનાળો મળશે ખરો છુટકારો?Saturday, May 22, 2010 00:35 [IST]

global-warming1
ગ્લોબલ વોર્મિંગ અને સિમેન્ટ-કોંક્રિટનાં વધતાં જંગલોએ અગનવર્ષા ભીષણ બનાવી આકરા ઉનાળાની કાળઝાળ-કાતિલ ગરમીમાં સમગ્ર ગુજરાત જ નહીં, દેશના ઘણા ખરા વિસ્તારો શેકાઈ રહ્યા છે. દર વર્ષ કરતાં આ વખતે માર્ચની શરૂઆતથી જ જોરદાર ગરમી શરૂ થઈ ગઈ છે. મોસમના મિજાજનો તકાજો કળી શકાતો નથી. એક તરફ દેશના પૂર્વ સાગરકાંઠાના ઇલાકાઓને ‘લૈલા’ વાવાઝોડું ઘમરોળી રહ્યું છે તો સૂકા અને ગરમ પવનો ઉત્તર-પશ્વિમ...
 
 
danik bhaskar

નક્સલવાદ રોકવા કેન્દ્ર-રાજ્યો એક થાયFriday, May 21, 2010 01:24 [IST]

nakasalwadi1
અલગતાવાદના વધતા પડકાર વખતે રાજકીય લવારાબાજી બંધ થવી જરૂરી મઘ્ય અને ઈશાન ભારતનાં દસેક રાજ્યોમાં માઓવાદ બ્રાન્ડ નક્સલવાદ હવે તો ઉઘાડો આતંકવાદ બનીને પ્રજા અને તંત્રને બરાબરનો નડી-કનડી રહ્યો છે. લોકશાહી માટે વધુ ને વધુ ખતરારૂપ બની રહ્યો છે. દંતેવાડાની દિલધડક સંહારલીલાઓએ સૌની આંખ ઉઘાડી નાંખી છે. રોજે રોજ બંધના એલાનો કરાય છે ને લાશોના ઢગલા ખડકાય છે. આ હિંસાનો અંત એટલે દેખાતો નથી...
 
 
danik bhaskar

માંદલું યુરોપ વિશ્વનાં શેરબજારોને ધ્રુજાવે છેThursday, May 20, 2010 00:05 [IST]

stock-market-1
વૈશ્વિક સેન્ટિમેન્ટ ભારતીય બજારને રોલર કોસ્ટર રાઇડ કરાવે છે શેરબજારે વધુ એક વખત પોણા પાંચસો પોઇન્ટનો કલકલિયો માર્યો છે. યુરોપના બજારોની નબળાઈની આ અસર છે. વિશ્વભરના શેરબજારોને યુરોપના પાંચ માંદલાં અર્થતંત્રો માંદાં પાડી રહ્યાં છે. અમેરિકાની મહામંદીમાંથી યુરોપે કોઈ બોધપાઠ લીધો નહોતો અને તથ્યો છુપાવી રાખ્યાં હતાં તેની માઠી અસર હવે વર્તાઈ રહી છે. ગ્રીસનું અર્થતંત્ર...
 
 
danik bhaskar

નક્સલવાદ : સરકાર ચાંચુડી ઘડાવે છેWednesday, May 19, 2010 01:55 [IST]

naxal111

બાળવાર્તા આળસુ કાબરબાઈ જેમ ચાંચુડી ઘડાવું છું એવા બહાનાં બતાવતા હતા તેમ નક્સલવાદીઓ સામે વાયુસેનાના ઉપયોગ બાબતે કેન્દ્ર સરકાર બહાનાં કાઢી રહી છે. એવું નથી કે નક્સલવાદની સમસ્યાને કેન્દ્ર સરકાર ઓછી આંકી રહી છે અને તેની ગંભીરતા સમજતી નથી.



મૂળ મુદ્દો રાજકીય છે અને ત્રિપાંખિયો રાજકીય છે. પહેલું પાસું એ છે કે કેન્દ્ર સરકારને પણ આદિવાસીઓના મતની જરૂર છે. બીજું પાસું એ છે કે...

 
 
danik bhaskar

યુપીએ-૨નું એક વર્ષ થોડું થયું, ઘણું બાકીTuesday, May 18, 2010 00:35 [IST]

upa11

કેન્દ્રમાં યુપીએ સરકારની બીજી ઇનિંગ્સનું પ્રથમ વર્ષ પૂરું થયું. પહેલી ઇનિંગ્સ ડાબેરીઓના બ્લેક મેઇલિંગની રહી હતી પણ બીજી ઇનિંગ્સમાં ડાબેરીઓ હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને નક્સલવાદીઓ સેન્ટર સ્ટેજ પર છે.



સરકારે એક વર્ષ પૂરું કર્યું તેના બીજા જ દિવસે, સોમવારે નક્સલવાદીઓએ ૪૦ વ્યક્તિઓને મોતને ઘાટ ઉતાર્યા. સામાન્ય રીતે નક્સલવાદીઓ પોલીસ અને સશસ્ત્ર્ દળો પર જ હુમલા કરે છે એવી...

 
 
danik bhaskar

મેડિકલ માફિયાનો ચોરસ ઇજારો તૂટ્યોMonday, May 17, 2010 01:04 [IST]

KETAN-DEASAI1
બીજા ક્ષેત્રે પણ એમસીઆઈ જેવી ચાલતી માફિયાગીરી તોડવાનો સમય પાકી ગયો છે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે ડોક્ટર કેતન દેસાઈ અને ડો.. કેતન દેસાઈ એટલે મેડિકલ ક્ષેત્રે પ્રવર્તતી માફિયાબ્રાન્ડ ઇજારાશાહી. એમસીઆઈમાં ચાલી રહેલા એકહથ્થુ ભ્રષ્ટ સામ્રાજ્યનો આખરે અંત આવ્યો છે. અભિમાન કે ઇજારાશાહી લાંબો સમય ચાલતાં નથી એ વાત એમસીઆઈના સર્વેસર્વા ડો.. દેસાઈના કિસ્સા થકી વધુ એક વાર સાચી સાબિત...
 
 
danik bhaskar

ક્રિકેટરોને રંગીન રાતો ભારે પડી?Saturday, May 15, 2010 00:31 [IST]

dhoni[1]1
ટી-૨૦ વર્લ્ડ કપમાંથી ફેંકાયા પછી ટીમનું પોસ્ટમોર્ટમ કે ચીરફાડ? ભારતીય ટીમ ટી-૨૦ વર્લ્ડકપમાંથી કેમ ફેંકાઈ ગઈ? સેંકડો કારણો સામે આવી રહ્યાં છે. આઈપીએલ દરમિયાન યોજાતી નાઇટ પાર્ટીઓની રંગબેરંગી વાતો બહાર આવી રહી છે. ખેલાડીઓની ફીટનેસ અંગે ગેરી કર્સ્ટન હવે રહી રહીને બોલી રહ્યા છે. ધોનીની કપ્તાની સામે આંગળી ચિંધાઈ રહી છે. જેટલાં મોં એટલી વાતો થઈ રહી છે. એક્સપર્ટ પેનલ્સ...
 
 
danik bhaskar

જીભ લપસવાની મોસમ ચાલે છેFriday, May 14, 2010 00:17 [IST]

lalu31
નેતાઓની અનિયંત્રિત વૈખરી મોટા વિવાદો પેદા કરે છે જીભ લપસી જવાની હમણાં જાણે મોસમ છલકી રહી છે અથવા રાજકીય નેતાઓનું સ્તર ગગડી રહ્યું છે. બફાટ, વાણીવિલાસ, અભદ્ર વૈખરી અને અપશબ્દોની ભરમાર છે. લેટેસ્ટ દાખલો નીતિન ગડકરીનો છે. લાલુ યાદવ અને મુલાયમસિંહ યાદવ માટે તેમણે જે શબ્દો વાપર્યા તે કોઈ રાજનેતા તો ન જ વાપરે, સામાન્ય સભ્યમાણસ પણ ન વાપરે. નીતિન ગડકરીની કાબેલિયત અંગે શંકાઓ સેવાઈ રહી છે...
 
 
danik bhaskar

ધોનીની હાર : ભરોસાની ભેંસે પાડો જણ્યોThursday, May 13, 2010 00:22 [IST]

dhoni[1]211

ધોની ઉપર માછલાં નહીં, મગરમચ્છ ધોવાઈ રહ્યા છે. ક્રિકેટચાહકો આખી ટીમ પર થૂં થૂં કરી રહ્યા છે અને મીડિયા ધોનીના છોતરાં ફાડી રહ્યું છે. દગાબાજથી માંડીને બેશરમ સુધીના જેટલા શિષ્ટ છતાં આકરા શબ્દો વાપરી શકાય એટલા વપરાઈ રહ્યા છે. જે ધોનીની લીડરશિપની એક સમયે દુહાઈ દેવામાં આવતી હતી તેના નિર્ણયો કેટલા ખોટા હતા તેનું વિશ્લેષણ થઈ રહ્યું છે. આ દુનિયામાં તો નિવડ્યો વખણાય.



પરાજિતે અગાઉ...

 
 
danik bhaskar

દેવબંદ ઉલેમાનો ફતવો અને હાઈકોર્ટનો આદેશWednesday, May 12, 2010 00:08 [IST]

દારૂલ ઉલુમ દેવબંદે એક નવો ફતવો બહાર પાડ્યો છે. મુસ્લિમ સ્ત્રી એવી સરકારી કે બિનસરકારી સંસ્થાઓમાં કામ ન કરી શકે જેમાં પુરુષો કામ કરતા હોય. મહિલાઓ પરદા વગર સહકર્મચારીની સાથે વાત ન કરી શકે. વાત માત્ર આ ફતવાથી અટકતી નથી. સુન્ની મુસ્લિમ ઉલેમા મૌલાના અબુલ ઇરફાને ફતવો જાહેર કરતા એવું પણ કહ્યું છે કે જે મુસ્લિમ મહિલાઓ કારકિર્દી ઘડવા પ્રયત્નો કરે છે અને સફળતા મેળવે છે તેમને જીવનના અંતે...
 
 
danik bhaskar

બફાટ કરનારાઓમાં વધુ એક મંત્રીનો ઉમેરોTuesday, May 11, 2010 00:05 [IST]

વડાપ્રધાન ડો. મનમોહનસિંહના પ્રધાનો બફાટ કરવાની સ્પર્ધામાં ઊતર્યા હોય તેમ વાણીવિલાસ થઈ રહ્યો છે. લેટેસ્ટ છે જયરામ રમેશ. કેન્દ્રીય કેબિનેટના સૌથી કાબેલ મંત્રીઓમાંના એક ગણાતા રમેશ બીટી રીંગણના વિવાદમાંથી મોન્સાન્ટોના દલાલની છાપ સાથે માંડ માંડ બહાર નીકળ્યા ત્યાં ચીનના દલાલનું લેબલ વિપક્ષ લગાવે એવો બફાટ ચીનમાં કરી આવ્યા છે. પર્યાવરણ સુરક્ષા માટેના એક સેમિનારમાં ભાગ લેવા માટે...
 
 
danik bhaskar

પગ નીચે રેલો આવ્યો એટલે અમેરિકા અકળાયુંMonday, May 10, 2010 00:08 [IST]

હુમલાનો પ્રયાસ કરનાર પાકિસ્તાની પકડાય તેમાં અને મુંબઈ હુમલામાં ફરક ખરો કે નહીં? ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કેવરમાં બોમ્બ ફોડવાનો પ્રયત્ન કરનાર શખ્સ પાકિસ્તાની નીકળતા અમેરિકાએ પાકિસ્તાનને બરાબર ધમકાવી નાંખ્યું. વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન અને અફઘાનિસ્તાનમાં અમેરિકન દળોના કમાન્ડર સ્ટેન્લી મેકક્રિસ્ટલે પાકિસ્તાનને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી. પગ નીચે રેલો આવ્યો એટલે...
 
 
danik bhaskar

વર્લ્ડ ચેમ્પિયન ટીમ આ રીતે રમે?Saturday, May 8, 2010 00:36 [IST]

yuvraj_288

ઓસ્ટ્રેલિયા સામેની ટી-૨૦ વર્લ્ડકપની સુપર એઇટ મેચમાં ભારત જે રીતે રમ્યું તે કોઈ પણ ક્રિકેટ ચાહકને નિરાશ કરનાર હતું. ઓસ્ટ્રેલિયાએ પહેલા તો ભારતના બોલર્સને આડેધડ ધોયા. છેલ્લી ચાર ઓવર અને હરભજનની ઓવરોને બાદ કરતાં ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ક્યારેય દબાયા નહોતા. ભારતની બીજી જ ઓવરમાં પહેલી વિકેટ પડી ગઈ. ટાર્ગેટ સાવ અશક્ય નહોતો. પણ ૯૭ રનમાં આઠ વિકેટ ફેંકી દીધા પછી કોઈ શક્યતા બચતી નહોતી....

 
 
danik bhaskar

કસાબને ફાંસી: એક આવકાર્ય ચુકાદોFriday, May 07, 2010 00:10 [IST]

અપેક્ષા પ્રમાણે જ, વિશેષ અદાલતે આતંકવાદી અઝમલ કસાબને ફાંસીની સજા ફરમાવી. અપેક્ષા પ્રમાણે જ ફટાકડા ફૂટ્યા. અપેક્ષા પ્રમાણે જ નેતાઓએ નિવેદનો આપ્યાં. પાકિસ્તાને અપેક્ષા પ્રમાણે જ ગાર્ડેડ પ્રતિક્રિયા આપી અને હવે અપેક્ષા એવી છે કે કસાબને વહેલી ફાંસી આપી દેવામાં આવે પણ એવું નહીં થાય. વિશેષ અદાલતે ૬૦૦ સાક્ષીઓનાં નિવેદનો લઈને લગભગ એક વર્ષના ગાળામાં આ કેસ પૂરો કર્યો તે કદાચ એક...
 
 
danik bhaskar

કાયદાનો ફાયદો ત્રાસવાદીને મળે એ કેવું?Thursday, May 06, 2010 00:05 [IST]

સર્વોચ્ચ અદાલતે કહ્યું છે, આરોપી પાસેથી સત્ય કઢાવવા માટે વપરાતા નાર્કોઅને બ્રેઇન મેપિંગ ટેસ્ટ તેની ઇચ્છા વિરુદ્ધ ન કરાવી શકાય. કાયદાના જાણકારો અને માનવ અધિકારના ભેખધારીઓએ આ ચુકાદાને તાત્કાલિક વધાવી લીધો છે. આવા ટેસ્ટ બંધારણની કલમ ૨૦ (૩)ના ભંગ સમાન હોવાની દલીલ વર્ષોથી કરવામાં આવતી રહી છે. આ કલમ કહે છે કે આરોપીને પોતાની જ વિરદ્ધની જુબાની આપવા માટે ફરજ પાડી શકાય નહીં. સવાલ એ છે કે...
 
 
danik bhaskar

મુંબઈને બાનમાં લેવું આટલું બધું સહેલું?Wednesday, May 05, 2010 00:43 [IST]

મુંબઈની લોકલ ટ્રેનના મોટરમેન (ડ્રાઇવર્સ)ની હડતાલ બીજા દિવસે માંડ માંડ ખતમ થઈ. લગભગ ૪૦ કલાક સુધી મુંબઈનું જનજીવન લકવો મારી ગયું. લાખો મુસાફરો નોકરીધંધાના સ્થાને પહોંચી શક્યા નહીં. મુંબઈની વેસ્ટર્ન લાઇન દ્વારા રોજના ૩૪ લાખ અને સેન્ટ્રલ તથા હાર્બર લાઇન દ્વારા રોજના ૩૬ લાખ મુસાફરો લોકલ ટ્રેનમાં મુસાફરી કરે છે. મોટરમેનોએ પગાર વધારવાના મુદ્દે હડતાલ પાડી દીધી અને મહાનગરમાં...
 
 
danik bhaskar

ફાંસીથી વધુ સખત સજા શું હોઈ શકે?Tuesday, May 04, 2010 00:10 [IST]

kasab21
કસાબને કદાચ ફાંસી અપાશે પણ તેનાથી શું મૂળ મુદ્દો હુમલા અટકાવવાનો છે આમિર અજમલ કસાબ કદાચ, મંગળવારે આ નામના શખ્સની જિંદગી પર પૂર્ણવિરામ મૂકતો ચુકાદો કોર્ટ જાહેર કરશે. દેશના દુશ્મન કસાબે જે ગુનો કર્યો છે તેના માટે ફાંસી બહુ જ નાની સજા ગણાય એવું છે. ફાંસી કરતાં વધુ સખત કોઈ સજા હોય તો કસાબને તે થવી જોઈએ. ભારત દેશનો એકેએક નાગરિક માને છે કે કસાબને આકરામાં આકરી સજા થવી જોઈએ. સજાની પૂર્વ...
 
 
danik bhaskar

કસાબને સજા નક્કી અમલ તત્કાળ થશે?Monday, May 03, 2010 00:10 [IST]

amir-kasab1
ચબરાક ત્રાસવાદીને એવી રીતની સજા થવી ઘટે કે દુનિયામાં દાખલો બેસે વિશ્વભરમાં સનસનાટી સર્જનારા ૨૬/૧૧ના મુંબઈ ત્રાસવાદી હુમલા માટે જવાબદાર એકમાત્ર જીવિત ત્રાસવાદી અઝમલ આમિર કસાબને ફાંસીએ લટકાવી દેવાશે કે એથીય બીજી કોઈ જોરદાર સજા ફટકારાશે? આખા વિશ્વની નજર મુંબઈની સ્પે. કોર્ટમાં આજથી શરૂ થઈ રહેલી આ કેસની સુનાવણી પર મંડાયેલી છે. ૨૦૦૮ની ૨૬મી નવે.ની ગોઝારી સાંજે દેશના આર્થિક...
 
 
danik bhaskar

મહાગુજરાત લે કે રહેંગે : યાદ કરો કુરબાનીSaturday, May 1, 2010 01:45 [IST]

last_288_01

ગુજરાતની પ્રજાના મુખે આવેલો કોળિયો દિલ્હી દરબારમાં ઝૂંટવાઈ ગયો



અલગ ગુજરાત રાજ્ય માટેની લોકચળવળ વખતે પોલીસની ગોળીનો શિકાર બનેલા ૨૪ શહીદ યુવાનોને શ્રદ્ધાંજલિ



આપવાનો પ્રસંગ એકપણ ગુજરાતી ભૂલી શકે તેમ નથી.....!!!



ગુજરાત તેની સુવર્ણજયંતીનાં ૫૦ વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ગુજરાતની લડત માટે જે લોકોએ પોતાના જીવનનાં બલિદાનો આપ્યાં છે તેમને સાચા હ્રદયથી અંજલિ...

 
 
danik bhaskar

સત્યાગ્રહનો સંકલ્પFriday, April 30, 2010 00:40 [IST]

Untitled-81
હાલની શતાબ્દીમાં પીવાનું પાણી તેલ કરતાં પણ મોંઘું થઈ જશે. આગામી વર્ષોમાં પાણીને લઈને યુદ્ધ પણ થઈ શકે છે. ઉત્તર પશ્ર્વિમ ભારતમાં તો ભૂગર્ભ જળ વાર્ષિક એક ફૂટની ઝડપે નીચે ઊતરી રહ્યું છે. દેશના ૧૫ ટકાથી વધુ બ્લોકોમાં પાણી લગભગ ખલાસ થઈ ગયું છે. નકશામાં દુનિયા ભલે લીલીછમ દેખાતી હોય, પરંતુ ઉપયોગ કરી શકાય તેવું પાણી એક ટકા કરતાં પણ ઓછું બચ્યું છે. આ સમસ્યાઓ આપણે પેદા જ નથી કરી, પરંતુ તેને...
 
 
danik bhaskar

પાણીનો દુરુપયોગ બંધ કરવો જ પડશેFriday, April 30, 2010 00:13 [IST]

151
આપણે પાણીનો ખૂબ જ બગાડ કરીએ છીએ. પાણીના ઉપયોગની વાત આવે ત્યારે તેનો જરૂર જેટલો જ ઉપયોગ કરવો જોઈએ એવું આપણે વિચારતા જ નથી. પરિણામે દેશમાં લગભગ દરેક જગ્યાએ પાણીની સમસ્યા સર્જાઈ છે. જો આપણે આપણી ટેવો થોડી ઘણી પણ બદલી શકીએ તો પાણીનો બગાડ રોકી શકાય એમ છે. જરૂર છે ફક્ત સંકલ્પ લેવાની અને તેને અમલમાં મૂકવાની. અત્યારે દેશમાં કેટલીક જગ્યાએ સ્થિતિ એટલી હદે વણસેલી છે કે લોકોએ પીવાના પાણી માટે...
 
 
danik bhaskar

પાણીના એકેય ટીપાને વેડફો નહીંThursday, April 29, 2010 00:13 [IST]

save-water1
રિસાઇકલિંગ એટલે પાણીના એકે એક ટીપાનો અનેક વખત ઉપયોગ. આજે દુનિયામાં જ્યારે ભૂગર્ભ જળભંડારો ઝડપથી ખલાસ થઈ રહ્યા છે ત્યારે કીમતી એવું પાણી આવનારી પેઢીઓ સુધી પહોંચતું રહી શકે એ માટે આ પદ્ધતિને અમલમાં મૂકવી પડશે. સરકાર કંઈ કરે તેની રાહ જોયા વગર આપણે તેના પર આજથી જ અમલ કરવાનો સંકલ્પ લેવો પડશે. વોટર રિસાઇકલિંગનો અર્થ છે કે પાણીના એકેએક ટીપાને ચોખ્ખું કરીને વારંવાર તેનો ઉપયોગ કરવો....
 
 
danik bhaskar

કુદરત પાસેથી જે લીધું છે તે પાછું આપવું જ પડશેWednesday, April 28, 2010 00:12 [IST]

harvesting
જળસંકટથી ડરી જઈને શું આપણે માથે હાથ મૂકીને બેસી રહેવાનું? ના. આપણી આજ અને આવતીકાલ સલામત રહે એટલે તેનો ઉકેલ શોધવો જ જોઈએ. તેને માટે ઘણી વૈજ્ઞાનિક પદ્ધતિઓ છે, જેમાં સૌથી વધુ અસરકારક છે વરસાદી પાણીનો સંગ્રહ. તેનાથી આપણને જ ફાયદો છે, કારણ કે જમીનની અંદર જે પાણી જશે તેનો ઉપયોગ અંતે તો આપણે અને આપણા પરિવારે જ કરવાનો છે. ઇઝરાયલ, સિંગાપોર, ચીન, ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોમાં વરસાદી પાણીના...
 
 
danik bhaskar

જળ છે તો જીવન છેTuesday, April 27, 2010 00:21 [IST]

water-21
તમારી પાસે પાણીનો એક ગ્લાસ હોય તો તમે શું કરશો? નહાશો કે પીશો? તમારે એક વિકલ્પ પસંદ કરવો પડશે. આ કલ્પના નથી, પરંતુ ભવિષ્યની કડવી સચ્ચાઈ છે. હવે પાણીનું મહાસંકટ ખડું થયું છે. જો આપણે તેને નહીં સમજીએ તો પંદર વર્ષમાં આજની સરખામણીએ અડધું જ પાણી મળશે અને ૪૦ વર્ષ પછી તો સ્થિતિ વધુ ખરાબ બનશે. એક ગ્લાસ પાણીથી નહાવું પડશે! ભારતમાં ૧૫ ટકા ભૂગર્ભ જળસ્રોત સુકાઈ જવાની સ્થિતિમાં છે. દુનિયામાં...
 
 
danik bhaskar

કાળાંનાણાંના ખેલાડી લલિત મોદી ઢીલા પડ્યાSaturday, April 24, 2010 00:19 [IST]

modi1
ચતુર કાગડો જાતને જ ખાય એવી કહેવત લલિત મોદી માટે સાચી ઠરે તો નવાઈ નહીં સ્પિનરોની સ્વર્ગસમી પિચની માફક આઈપીએલનું બખડજંતર અવનવાર ટર્ન લઈ રહ્યું છે. આઈપીએલના કમિશનર લલિત મોદી જાણે બેટિંગ અને બોલિંગ બંનેય ગેમ ખેલી રહ્યા છે. પહેલાં એમણે આઈપીએલની ટીમો માટે એના છાનાછૂપા ફ્રેન્ચાઇઝી- માલિકોને સ્વેટ ઇક્વિટીમાં રમાડ્યા, પછી મેદાનો પર મેચો રમાડી. શશી થરુરની સ્ત્રીમિત્ર સુનંદાની કોચ્ચી...
 
 
danik bhaskar

થરુર જેવી દશા પ્રફુલ્લ પટેલની થશે? ના.Friday, April 23, 2010 00:50 [IST]

tharoor-patel11

લલિત મોદીએ તમામ મોટાં માથાંના સંબંધીઓને ફાયદો કરાવી હાથમાં રાખ્યા છેધાર્યા કરતાં ઘણા વધુ હાડપિંજરો આઈપીએલના કબાટમાંથી બહાર આવી રહ્યાં છે. રોજ નવા નવા નામ આવે છે, રોજ નવાં નવાં કૌભાંડ બહાર આવે છે. મીડિયા રોજેરોજ કોઈ નવો રહસ્યસ્ફોટ કરે છે. લેટેસ્ટ છે પ્રફુલ્લ પટેલની પુત્રી પૂર્ણા પટેલની સંડોવણી.



પ્રફુલ્લ પટેલની આ સુપુત્રી આઇપીએલની હોસ્પિટાલિટી મેનેજર છે અને તેણે શશી...

 
 
danik bhaskar

IPLની ગડબડમાં મોંઘવારી ભુલાઈThursday, April 22, 2010 00:09 [IST]

ipl-logos[1]1
દેશ અને પ્રજા માટે મોંઘવારી મહત્વની, થરુર,લલિત મોદી કે આઈપીએલ નહીં ક્રિકેટની રમતને સટ્ટાખોરી, રૂપ અને રૂપિયાના જુગટામાં રગદોળી નાખનાર આઈપીએલનું બખડજંતર બરાબરનું જામ્યું છે. માત્ર સફળતાને પછવાડે નહીં પણ ઘણી વાર તો ગોલમાલના પાયામાં પણ મહિલા હોય છે એ વાત સુનંદા પુષ્કરના નિમિત્તે પુરવાર થઈ છે. શશી થરુરનું પ્રધાનપદું ગયું અને હવે આઈપીએલ કમિશનર લલિત મોદી મસમોટા નાણાકીય ગોટાળાના...
 
 
danik bhaskar

IPLની આગ મોદી સાથે ક્રિકેટને દઝાડશેWednesday, April 21, 2010 01:26 [IST]

LALIT-MODI-AND-IPL11

આઈપીએલનું બખડજંતર શશી થરુરનો ભોગ લીધા પછી સમગ્ર સરકસના લાલ બાદશાહ એવા લલિત મોદીને પછાડવા ભણી ફંટાયું છે. ટૂંકા ગાળામાં અતિશય સંપત્તિ અને વૈભવ ધરાવતા થઈ ગયેલા લલિત મોદી કંઈકની આંખમાં કણાની માફક ખૂંચે છે.



ગયા વર્ષે સલામતીના કારણોસર કેન્દ્ર સરકારે આઈપીએલ યોજવા માટે મંજૂરી ન આપી ત્યારે આ જ લલિત મોદીએ ધરાર ઉપરવટ જઈને દ. આફ્રિકામાં આઈપીએલ ખેલાવી હતી. એ વાત બીજા ભલે ભૂલી જાય...

 
 
danik bhaskar

એ ડિફરન્ટ બોલ ગેમ કયાં રમી આવ્યા રાસ?Tuesday, April 20, 2010 02:15 [IST]

lalit-modi22

એડિફરન્ટ બોલ ગેમ- રમી રહેલા શશી થરુરનું માથું વડાપ્રધાન ડો.મનમોહનસિંહે તાસકમાં માગી લીધું. વિવાદથી પીછો છોડાવવા માટેનો આ સૌથી સહેલો રસ્તો વડાપ્રધાન માટે હતો. વાત અહીં પૂરી નથી થતી શરૂ થાય છે.



થરૂરનું રાજીનામું શરૂઆત છે, એક મોટા કિલન્સિંગ ઓપરેશનની. આઈપીએલની સામે એકડેએકથી તપાસ કરવાનો નિર્ણય પ્રણવ મુખરજીએ જાહેર કરી દીધો છે. પહેલા રાઉન્ડમાં લલિત મોદીનો વિજય થયો છે, તેની...

 
 
danik bhaskar

IPL માં થરુરનાં તો બેઉ બગડ્યાંMonday, April 19, 2010 01:22 [IST]

tharur21

આખા યુરોપને માથે જામેલાં રાખનાં કાળાં ડિબાંગ વાદળોની માફક બહુચર્ચિત બનેલી ઇન્ડિયન પ્રીમિયર લીગની ફરતે વિવાદોનાં વાદળો ધેરાયાં છે. એમાં કેન્દ્રીય વિદેશ રાજયમંત્રી શશી થરુરે સામે ચાલીને છાણે વીંછી ચડાવતાં તેઓ બરાબરના ફસાયા અને છેવટે કેન્દ્રીય પ્રધાનપદું ખોવું પડે એવી પૂરી સંભાવના છે.



સરકાર અને કોંગ્રેસ માટે તેઓ બોજારૂપ બનતાં વિપક્ષની માગણીને વશ થયાની છાપ ભલે ઊભી થાય...

 
 

shopping

D& G Mens rugby Watch
D& G Mens rugby Watch
Reebok Combo
Reebok Combo
Passport Case
Passport Case