















પત્ની એક જ સારી. લક્ષ્ય પણ એક જ સારું. તો એક જ લક્ષ્ય રાખીએ: ઇશ્વરનિષ્ઠા.
ભિખારી બનવું કોને ગમે? છતાં, મોટે ભાગે આપણે ભગવાન સમક્ષ ભિખારીના વેશમાં હાજર થઈએ છીએ. આપણે ઇશ્વર પાસે સારી નોકરી-છોકરીથી માંડીને બીજી હજારો પ્રકારની માગણીઓ કરીએ છીએ, જેમાં સરવાળે ગણતરી લાભની જ હોય છે. લાભની ગણતરી વેપારમાં શોભે, પણ ભક્તિમાં પ્રોફિટ-લાભ ન જોવાનાં હોય. માટે, ભક્તિનું લક્ષ્ય પ્રાપ્તિ નહીં,...






સોમનાથ પર સુલતાન જાફર મોહંમદે ચડાઈ કરી ત્યારે લડાઈમાં૮૦૦ શૂરવીરો ખપી ગયા ત્યાં સુધી પાલખીમાં શિવલિંગને બાથમાં લઈ ઘેલા વાણિયાએ છેક જસદણ સુધી તેને પહોંચાડ્યું. અમિતાભ બચ્ચનને સોમનાથની જેમ જો ઘેલા સોમનાથ બતાવાયું હોત તો પ્રજાકીય સમરસતા, સમાનતા અને આસ્થાનો એવો જ ઊંડો અહેસાસ થયો હોત!
સોમનાથ અને ઘેલા સોમનાથ : આમ તો એકબીજાથી લાંબા અંતરે આવેલાં પ્રાચીન સ્થાનો છે, પણ જો ઈતિહાસને...


પ્રિય વાચકો,
દેશના ૮.૬ ટકાના જી.ડી.પી.ના વૃદ્ધિદરની સરખામણીએ ગુજરાતનો ૧૨.૪ ટકાનો ઊંચો વિકાસદર, રાજ્યમાં આવી રહેલું જંગી મૂડીરોકાણ અને પ્રજાની ખુશાલી એ વાતનો સચોટ પુરાવો છે કે ગુજરાત દેશનું એક વિકાસશીલ અને મોખરાનું રાજ્ય છે. ઉન્નતિ અને ગુજરાત, પ્રારંભથી જ એકમેકના પર્યાય રહ્યાં છે. ટેક્સ્ટાઇલ, કેમિકલ્સ અને ફાર્માસ્યુટિકલ્સ સહિતના ઉદ્યોગોમાં ગુજરાત સમગ્ર રાષ્ટ્રનું રાહબર...

દિલ તો દિલ છે. તે બચ્ચું-કચ્ચું પણ હોય અને પાજી-કમીનું પણ હોય.
મોટી ઉંમરે કોઈ માણસ પ્રેમમાં પડે તો શું થાય? ઘણું બધું થાય. હોબાળો થાય. સમાજમાં બદનામી થાય. જેનું છી છી સાફ કર્યું હોય એવાં સંતાનો પણ શિખામણ આપવા બેસી જાય કે ‘અપને આપ કો સમ્હાલો, પિતાજી.’ બધી વાત સાચી. છતાં, સવાલ ઊભો જ રહે છે કે આધેડ ઉંમરે ઇશ્ક થાય તો એ માણસના દિલમાં શું શું થાય? આ સવાલનો જવાબ જૈફ છતાં જુવાન ગુલઝારે એક...
![Dipak-Soliya-11[1]11](/2010/06/10/images/Dipak-Soliya-11[1]11_b.jpg)



ભારત રાષ્ટ્રના નાગરિકોને વસતી ગણતરીના ફોર્મમાં તેમની જ્ઞાતિ અંગેની ‘સાચી કે ખોટી’ માહિતી ભરવા માટે ફરજ પાડી શકાય કે નહીં, આ મુદ્દે સરકાર મૂંઝવણમાં છે અને કોઈ દ્રઢ નિર્ણય લઈ શકતી નથી. સરકારની મુશ્કેલી એ છે કે તે દેશને સામાજિક અને સાંસ્કૃતિક રીતે સંગઠિત રાખવા માગે છે અને રાજકીય હિતોને ધ્યાનમાં લઈને અલગ-અલગ જ્ઞાતિ, પેટા જ્ઞાતિમાં વિભાજિત કરવાનું જોખમ પણ લઈ લેવા માગે છે. વસતી...
![Child[1]11](/2010/06/09/images/Child[1]11_b.jpg)




અમેરિકા જેવો દેશ જ્યાં લગભગ ૧૦૦ ટકા ભણેલા લોકો છે તોપણ ત્યાંના ધર્મગુરુ કહે તો જ લોકો વાવાઝોડા કે હરિકેન ત્રાટકવાની આગાહી સાચી માને છે. વાવાઝોડું ત્રાટકવાનું હોય તેની આગાહી અદ્દભૂત રીતે હવામાનશાસ્ત્રીઓ ચોટડૂક રીતે કરે છે. એટલે ભયગ્રસ્ત સ્થળેથી લોકોને અગાઉથી ખસેડવાની પાક્કી યોજના હોય છે. તોપણ ઘણા શ્રદ્ધાળુ લોકો ખસતા નથી તેમને તો રીતસર હાથપગમાં બેડીઓ પહેરાવીને ટ્રકમાં...

નિષ્ફળતા વખતે આંસુ ન પાડો, કારણ કે નિષ્ફળ જાઓ ત્યારે તમે બહુમતીમાં હો છો. વળી, ત્યાંથી સફળ લોકોની લઘુમતી સુધી પણ પહોંચી શકાય છે. અહીં એવા કેટલાક નિષ્ફળતાના સ્વામીઓની વાત કહી છે જે આગળ જતાં સફળતાને શિખરે પહોંચ્યા.
છ વર્ષ પહેલાં અમેરિકાના મૂલ્યનિષ્ઠ સાપ્તાહિકમાં એક લેખ આવેલો તે વાંચ્યાનું યાદ છે. તેનું મથાળું હતું: ‘ધ આર્ટ ઓફ ફેઇલ્યોર’. નિષ્ફળ જવાની કળા! જોકે એ તો એક...









સંયુક્ત પોલીસ કમિશનર સતીશ શર્માએ એક માકૉની વાત એ કહી છે કે અભય ચુડાસમાની ધરપકડથી પોલીસનું મોરાલ તૂટયું નથી... મુદ્દો, કોઈનો હાથો નહીં બનતાં બંધારણ અને કાયદાની મર્યાદામાં રહીને ધોરણસર કામ કરવાનો છે. બાકી બધું થઈ પડશે... છેવટે શાંતિ સ્થાપવાની જવાબદારી કોની?
એજ રાબેતો. બિલકુલ રાબેતા મુજબનો રાબેતો. બે કોમ વચ્ચે નજીવી તકરારમાં પથ્થરમારાથી શરૂઆત. બરાબર સોમવારથી, કેમ જાણે મૂરતસર,...






યુપીએ સરકારે પોતાના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂરું કરી લીધું છે. આગામી મેમાં તેનું બીજું અને પછી ત્રીજુ આમ આ રીતે પાંચ વર્ષ પૂરાં થઇ જશે. યુપીએ સરકારે પ્રથમ કાર્યકાળ(૨૦૦૪-૨૦૦૯) દરમિયાન ડો. મનમોહનસિંઘ સરકાર દ્વારા પોતાનું પ્રથમ વર્ષ પૂરું કર્યા બાદ જે રીતે ઉત્સાહ અને ઉત્તેજના દેશની રાજનીતિમાં દેખાડી હતી તેની નિશ્વિત રીતે આજે અનુપસ્થિતિ છે.
સરકાર પાસે પણ વ્યક્ત કરવા...



દુનિયાના ક્રૂર સરમુખત્યાર શાસકોમાંના એક એવા ઇદી અમીને આફ્રિકાના દેશ યુગાન્ડા પર 1971 થી 1979 સુધી લશ્કરી સરમુખત્યાર તેમજ પ્રમુખ બનીને એકહથ્થુ શાસન કર્યું હતું. ઇદી અમીન યુગાન્ડા પર અંગ્રેજોનું શાસન હતું તે વખતે યુગાન્ડાના લશ્કરની કિંગ્સ આફ્રિકન રાઇફલ્સમાં 1946માં જોડાયો હતો અને તેણે મેજર જનરલથી લઇને લશ્કરના સર્વોચ્ચ પદ સુધી ફરજ બજાવી હતી અને પોતાની લશ્કરી તાકાતના જોરે જ તેણે...


જીવન વીમા તથા જન્મદિનની ઉજવણીનો વિરોધ કરતું દારૂલ ઉલૂમ દેવબંદ જગતભર માટે પીડાદાયક બની ચૂકેલા તાલિબાનોનું પ્રેરણાસ્થાન રહ્યું છે. ભારતમાં દારૂલ ઉલૂમ તાલિબાનો પેદા તો કરી શક્યું નથી, પરંતુ ભારતીય મુસ્લિમોને રાષ્ટ્રીય મહાપ્રવાહથી વધુ ને વધુ અલિપ્ત રાખવા માટે છાશવારે જે વિવાદાસ્પદ ફતવાઓ બહાર પાડતું રહ્યું છે, તેને અંકુશમાં રાખવાનો સમય હવે પાકી ચૂક્યો છે અને આ કાર્યનો આરંભ...

નિશિ, રેહાના અને રૂબી. ત્રણેયની કહાણી જાતીય શોષણની છે. નિશા ખુદના ઘરમાં જ જાતીય અત્યાચારનો શિકાર બની હતી. રેહાનાને દારુણ ગરીબી કોલકાતાની રેડલાઇટ વસતીમાં ખેંચી ગઈ.કમનસીબ રૂબી જે માહોલમાં જન્મી, એમાંથી છુટકારો પામવા જતાં ગ્રાહક પાસે ધકેલી દેવાઈ. આવી માનસિક આઘાત પામેલી મહિલાઓએ જિંદગીનું અસરકારક સમાધાન કેવી રીતે શોધવું? શોષિતોની ખુદની યાતનાઓ જ એમને છુટકારાનો માર્ગ દેખાડે છે.
....

મુસ્લિમ સમાજમાં ચર્ચા ચાલી છે કે વીમો ઉતરાવવો જોઈએ કે નહીં, બેંન્કોમાં નોકરી કરવી જોઈએ કે નહીં, મહિલાઓએ ઓફિસોમાં કામ કરવું જોઈએ કે નહીં. ઘણા મુસ્લિમો વિચારતા હશે કે વીમો ઉતરાવાય, બેન્કોમાં નોકરી કરાય, મહિલાઓએઓફિસોમાં કામ કરાય, પણ એ બોલી નહીં શકે. એ જાણે છે કે બોલીશું તો આવી બનશે, પેલા જાવેદ અખ્તરની જેમ.
ઘટના સાવ નાની છે, પણ મુદ્દો મોટો છે. વાત એમ છે કે બે અઠવાડિયા અગાઉ મુંબઈમાં...




![wealthy_sm2[1]11](/2010/05/13/images/wealthy_sm2[1]11_b.jpg)









કોઈ મોટી માનવસર્જિત કે કુદરતસર્જિત ઘટના ઘટે એટલે સત્ય શોધવાના સુફિયાણા બહાના હેઠળ લોકોના રોષને તાત્કાલિક બીજે વાળવા તપાસપંચ નીમી દેવાય છે. સત્ય બહાર લાવવા નિમાતા પંચો અને સમિતિઓ સત્ય શોધવા કરતાં તેને વધુ ગૂંચવે છે. સત્તા પક્ષ બદલાય એટલે સત્ય અને સત્ય શોધવાની પ્રક્રિયા બદલાઈ જાય છે. હવે, લોકોને પ્રતિનિધિ ગૃહો, પંચો કે પ્રધાનમંડળોમાં ભાગ્યે જ વિશ્વાસ રહ્યો છે.
એંસીના...

સેમ્યુઅલ જોન્સન નામનાં સાહિત્યકારે કહેલું કે જ્યારે કોઈ ગુનેગારને ખબર પડે કે તેને ૧૫ દિવસમાં ફાંસીને માંચડે લટકાવાશે ત્યારે તે ઈશ્વર કે ખુદાની બંદગીમાં પડી જાય છે અને જલદીથી મન એકાગ્ર કરી શકે છે. કસાબને ફાંસીની સજા થઈ છે પણ તે જાણે છે કે હજી તેને માંચડે ચડાવવાની પ્રક્રિયા લાં...બી છે. સૌપ્રથમ તો વાત એ છે કે ઘણા વખતથી ફાંસીનો માંચડો વપરાયો નથી ફાંસી દેનારો જલ્લાદ જ પ્રાપ્ય નથી....

ગતાંકથી ચાલુ
પાછલા અંકો વાંચવા ક્લિક કરો
રાજા જેવી જીંદગી, કૂતરા જેવું મોત
તેને દુનિયાના દુશ્મન તરીકે ખપાવી દેવું કેટલા અંશે યોગ્ય હતું?
પોતાના વિરોધીઓને તેણે એકજ સજા આપી..'મોત'
..આમ થઇ સદ્દામના પતનની શરૂઆત
'ગલ્ફ વોર' સદ્દામને પડેલો મરણતોલ ફટકો
ગલ્ફ વોર પછી ઇરાક આર્થિક કે લશ્કરી રીતે અગાઉની માફક ક્યારેય ઉભુ ન થઇ શક્યું. એક સમયે પશ્ચિમી વિચારધારાથી પ્રભાવિત...


ગતાંકથી ચાલુ
પાછલા અંક વાંચવા ક્લિક કરો
1.રાજા જેવી જીંદગી, કૂતરા જેવું મોત
2.તેને દુનિયાના દુશ્મન તરીકે ખપાવી દેવું કેટલા અંશે યોગ્ય હતું?
3.પોતાના વિરોધીઓને તેણે એકજ સજા આપી..'મોત'
4...આમ થઇ સદ્દામના પતનની શરૂઆત
ઇરાન સામેના યુદ્ધમાં ઇરાકને અમેરિકા તેમજ અન્ય આરબ દેશો પાસેથી મોટાપ્રમાણમાં લોન લેવી પડી હતી જેનાથી આરબ રાષ્ટ્રવાદનું રક્ષણ કરનારો સદ્દામ પણ દેશ...




ગતાંકથી ચાલુ
પાછલા અંક વાંચવા ક્લિક કરો
1. રાજા જેવી જીંદગી, કૂતરા જેવું મોત
2. તેને દુનિયાના દુશ્મન તરીકે ખપાવી દેવું કેટલા અંશે યોગ્ય હતું?
3.પોતાના વિરોધીઓને તેણે એકજ સજા આપી..'મોત'
ઇરાન-ઇરાક યુદ્ધ
1979ના વર્ષમાં ઇરાનના શાહ મોહમ્મદ રેઝા પહલવીને ઇસ્લામિક ક્રાંતિ દ્વારા ઉથલાવી પાડીને અયતોલ્લાહ ખોમેઇનીએ પોતાનું શાસન સ્થાપ્યું. ઇરાનમાં થયેલીઆ ઇસ્લામિક...

ગતાંકથી ચાલુ...
પાછલા અંક વાંચવા ક્લિક કરો
Related Articles:
* રાજા જેવી જીંદગી, કૂતરા જેવું મોત
Related Articles:
* તેને દુનિયાના દુશ્મન તરીકે ખપાવી દેવું કેટલા અંશે યોગ્ય હતું?
1976માં સદ્દામ ઇરાકના લશ્કરમાં જનરલના પદે પહોંચી ચુક્યો હતો તેમજ સરકારમાં પણ તેનું વજન દિવસેને દિવસે વધતું જતું હતું. ઉંમરના આખરી પડાવમાં પહોંચેલા અલ-બક્ર હવે પોતાની ફરજ નીભાવવા સક્ષમ નહોતા રહ્યા આ...

દેશને જે દરરોજ ચૂનો લગાડે છે એ સૌથી મોટો દુશ્મન કે વારસામાં પોતાને મળેલી જમીન પડાવી ન લેવાય એ માટે લડી રહેલા આદિવાસીઓ? દેશના કરોડો લોકો અને કીમતી જમીનના ભોગે તથા ઉદ્યોગના નામે, વિકાસના નામે અને માત્ર નફો રળી લેવાના હેતુથી કરવામાં આવતા કૌભાંડો એ પણ હિંસાનું એક મોટું સ્વરૂપ જ છે. આ સત્તાલાલચુ લુટારાઓ જે રીતે દેશને લૂંટી રહ્યા છે તેની સામે નકસલવાદીઓની હિંસા તો ગૌણ છે.
તમે...



ઇરાક પર વર્ષો સુધી એકહથ્થુ શાસન ચલાવનારા તેમજ અમેરિકાની સામે પડનારા સદ્દામ હુસૈનથી કોણ અજાણ હશે? 28 એપ્રિલે જેનો જન્મ દિન ગયો તેવો સદ્દામ અન્ય સરમુખત્યાર શાસકોની જેમ વિવાદોથી પર નથી. સદ્દામના માથે પણ અનેક નિર્દોષોની હત્યા, ગલ્ફ વોર, સામુહિક સંહારના શસ્ત્રો રાખવા ઉપરાંતના કેટલાય આરોપો હતા. સદ્દામ હાલમાં આપણી વચ્ચે હયાત નથી પરંતુ ઇરાક પર હુમલો કરીને સદ્દામને ફાંસીએ ચડાવવાની...

એપ્રિલના મહિનામાં જ અનેક સ્થળે ગરમીના રેકોર્ડ તૂટી ગયા છે. પાણી માટે લોકો અને ખાલી વાસણોની લાઈન લાંબી થતી જાય છે. પાણીનું સંકટ હવે દર વર્ષે ખૂબ જ વધી રહ્યું છે તે સમજવા માટે આના જેવા બીજા ઘણાં સંકેત છે.
સૌથી મહત્વનો મુદ્દો એ બાબતને સમજવાનો છે કે દર વર્ષે આપણે માર્ચથી જૂન સુધી પાણીના સંકટ સામે ઝઝૂમીએ છીએ, પછી સારા ચોમાસાની રાહ જોઈએ છીએ અને પછી દર બે-ત્રણ વર્ષે દેશના કોઈને કોઈ...




લલિત મોદીની હિંમતને દાદ આપવી જોઇએ. આઇપીએલના મુદ્દે જે રીતે તેઓ લડાઇ લડી રહ્યા છે તેવી હિંમત ખૂબ જ ઓછી જોવા મળે છે. આમ તો એ પણ માનવાનું કોઇ કારણ નથી કે મોદી ક્રિકેટની રમત પ્રત્યેના પ્રેમના કારણે આમ કરી રહ્યા છે અથવા ક્રિકેટપ્રેમીઓનાં હિતોના રક્ષણ માટે તે શહાદતનું સુખ ભોગવવા માગે છે.
છેલ્લા ત્રણ વર્ષથી બધું જ ‘ઠીક-ઠાક’ ચાલી રહ્યું હતું અથવા તો ચાલવા દેવાતું હતું. લોકો પૈસા...
![lalit-modi[1]111](/2010/04/25/images/lalit-modi[1]111_b.jpg)

ગતાંકથી ચાલુ
વિશ્વયુદ્ધ અને જર્મની
હિટલરે 1933માં જર્મનીમાં સંપૂર્ણ સત્તા પ્રાપ્ત કરતા પ્રથમ વિશ્વયુદ્ધ બાદ જર્મનીને આકરો દંડ ફટકારનારી વર્સેલ્સની સંધિના ભંગની જાહેરાત કરી દીધી અને તેણે આંતરરાષ્ટ્રીય શાંતિ માટે બનાવાયેલી સંસ્થા રાષ્ટ્ર સંઘમાંથી પણ વિદાય લીધી. જર્મનીને જે દંડ ફટકારવામાં આવ્યો હતો તેણે તેના હપ્તા ભરવાનું પણ બંધ કરી દીધું અને તમામ જર્મનો માટે...


પ્રેમ, હુંફ, દવા અને પુસ્તકોની પરબ એટલે ડૉ. પ્રફુલ્લ શાહ અને ઈન્દિરાબેન, આ દંપતીએ ગયાં ચાર વર્ષમાં અમરેલી જિલ્લાની 754 પ્રાથમિક શાળાઓને પુસ્તકો ભેટ આપ્યા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના ડૉ. પ્રફુલ્લભાઈ શાહ પહેલા સમાજ સેવકનું સમ્માન ધરાવતા અને બાદમાં ડૉક્ટરનું વ્યવસાયીક માન ધરાવે છે. ડૉ. શાહ અને તેમના પત્ની ઈન્દિરાબેન ગયાં પાંત્રીસ વર્ષથી સાંવરકુંડલા જ નહી આખા અમરેલી...

![cotton[1]1](/2010/04/22/images/cotton[1]1_b.jpg)
પ્રિય વાચક મિત્રો, દુનિયાના સૌથી ઘાતકી કહી શકાય તેવા સરમુખત્યાર શાસક હિટલરના જીવન અંગે માહિતી આપતા લેખનો આ બીજો ભાગ છે. આજના આ લેખમાં વંશીય શુદ્ધતાના તરફદાર હિટલરે કેટલી બર્બરતાથી નિર્દોષ યહુદીઓ તેમજ પોતાના વિરોધીઓને મોતને ઘાટ ઉતાર્યા તેની માહિતી આપવામાં આવી છે. આ લેખ અંગેના આપના અમુલ્ય પ્રતિભાવો અમને ચોક્કસ લખી મોકલાવશો
ધ હોલોકોસ્ટ, સામુહિક નરસંહાર
હિટલ ફ્રાંસના...

અત્યારે જે હદે ક્રિકેટનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે તેમાં કેવળ નાણાંની કમાણી સિવાય બીજું કોઈ લક્ષ્યાંક રહ્યું નથી. આ ઉપરાંત ક્રિકેટને જે પ્રકારે પ્રોત્સાહન મળવા લાગ્યું છે તેના પરિણામે અન્ય રમતો તથા ખેલકૂદની સરિયામ અવગણના થતી રહી છે.વાસ્તવમાં રાષ્ટ્રીય અને દેશી રમતોના ભોગે ક્રિકેટને જે વ્યાપક પ્રોત્સાહન તથા રાજયઆશ્રય સાંપડતો રહ્યો છે ત્યારે સમાજવાદી નેતા સદગત ડો....
![vidyut-Thakar[1]11](/2010/04/21/images/vidyut-Thakar[1]11_b.jpg)
જર્મનીના ક્રુર સરમુખત્યાર શાસક એડોલ્ફ હિટલરના નામથી દુનિયામાં ભાગ્યેજ કોઇ અજાણ હશે. તારીખ 20 એપ્રિલ 1889 એટલેકે ગઇકાલના દિવસે ઓસ્ટ્રિયામાં જન્મેલો અને એપ્રિલ 1945માં રહસ્યમય રીતે મૃત્યું પામેલો (કે પછી નાસી છુટેલો) હિટલર પોતાની સાથે અનેક રહસ્યો લઇને આ દુનિયામાંથી ચાલ્યો ગયો. હિટલરના જીવન પર આજે પણ મોટી સંખ્યામાં પુસ્તકો લખાતા રહે છે અને તેણે બીજા વિશ્વયુદ્ધ વખતે જ્યારે રશિયાએ...

ભારતે પોતાનું માનસિક માળખું બદલવાની જરૂર છે. આપણે વિચારધારાઓના આધારે નહીં, પરંતુ આંકડાના આધારે નિર્ણયો લેવા પડશે. સિદ્ધાંતો પર ઘ્યાન કેન્દ્રિત કરવું પડશે. સવાલ એ છે કે ભારત કયાં હોવું જોઈએ? આપણે જાતે જ ભવિષ્યના ભારતની કલ્પના કરવી પડશે. હું યુવાનોને દેશનું ભવિષ્ય ઘડતા જોવા માગું છું.
ભારતે વિકસી રહેલી વૈશ્વિક અર્થવ્યસ્થા સાથે કદમ મિલાવી શકે તેવી ક્ષમતા કેળવવી પડશે. બીજા...
![ck_prahalad[1]11](/2010/04/20/images/ck_prahalad[1]11_b.jpg)
દેશમાં જો સર્વેક્ષણ કરાવવામાં આવે કે શશી થરૂરને મનમોહનસિંઘ મંત્રીમંડળમાંથી હટાવી દેવાથી યુપીએ સરકારને વધુ નુકસાન થશે તો શક્ય છે કે એક મોટી સંખ્યામાં લોકો જવાબ આપવાનો જ ઈનકાર કરી દે.
દેશની જનતાના મતે થરૂર તેમની હેસિયતને એક ‘આકર્ષક વિવાદાસ્પદ વ્યક્તિત્વ’થી આગળ લઈ જઈ ન શક્યા. સો કરોડથી વધુની વસ્તી અને અસંખ્ય સમસ્યાઓથી ધેરાયેલા રાષ્ટ્રના વિદેશ રાજયમંત્રી તરીકે થરૂરે...

Sitemap | Investor | Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2010-11 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








