Set as Home Page E-paper | Archive  | Subscribe to RSS feeds Follow us on facebook Follow us on Twitter Follow us on
Divya Bhaskar

તણાવ ત્રિફળા- એકાંત, મૌન અને પ્રાણાયામThursday, June 24, 2010 14:40 [IST]

ramdev-yoga11

તણાવમાં છો, દોસ્ત? કઇ વાતે દુ:ખી છો? પરીક્ષામાં ઓછા માકર્સ આવ્યા છે? ઓફિસમાં બોસ તમારાથી નારાજ છે? આર્થિક ભીંસ અનુભવો છો? સ્વજન ગુમાવ્યાનો અફસોસ થાય છે? ખોટું કામ થઇ ગયાનો પસ્તાવો થાય છે? કઇ વાતનો ડર છે? કે પછી પ્રેમમાં હતાશાની પીડા વેઠો છો? આ છે, તણાવનાં સંભવિત કારણો. કારણો અનેક હશે પણ તેની અસરો લગભગ સરખી છે. ઊંઘ નથી આવતી. ખાવાનું ભાવતું નથી. બેચેની લાગે છે. શરીર નબળું પડતું જાય છે....

 
 
Divya Bhaskar

રસરાજ પ્રભુજી શ્રીજગન્નાથજીની સ્નાનયાત્રાThursday, June 24, 2010 14:42 [IST]

Jay-Jagganath-NEW11

જેઠ સુદ પૂનમના દિવસે જળયાત્રાથી વિધિવત્ રથયાત્રાની શરૂઆત થઇ જાય છે. જગન્નાથપુરીમાં આ દિવસે પ્રાત:કાળે વૈદિક મંત્રોચ્ચારની સાથે મંદિરના મહંતશ્રીની નિશ્રામાં ત્રણેય કાષ્ઠની મૂર્તિઓને મંદિરની બહાર લાવી સ્નાનવિધિ માટે વાજતે-ગાજતે લઇ જવામાં આવે છે. સાધુ-સંતો અને ભક્ત સમુદાયની હાજરીમાં જયકારા સાથે મૂર્તિઓને દૂધથી કેસરસ્નાન કરાવવામાં આવે છે. કેસરસ્નાન બાદ પવિત્ર નદીઓના ૧૦૮...

 
 
danik bhaskar

વાયવ્યમુખી બેઠકથી એકસૂત્રતા ઓછી રહેWednesday, June 23, 2010 13:43 [IST]

vastu-after-111

ગરીબ હોવું એ ખરાબ નથી, પરંતુ અસંતોષી હોવું તે જરૂર ખરાબ છે. ઘણી વખત કરોડો રૂપિયા આવવા છતાં માણસને સુખની અનુભૂતિ થતી નથી. આનું કારણ છે નકારાત્મક ઊર્જા. હકારાત્મક ઊર્જા મળે છે વાસ્તુશાસ્ત્ર થકી.આજે આપણે ચર્ચા કરીએ કશ્યપભાઇ નાયકના મકાનની. લંબચોરસ પ્લોટમાં દક્ષિણની દીવાલ કોમન છે અને ઉત્તરમાં વધારે જગ્યા છુટેલી છે જે માન-સન્માનની વધતી બાબતો આપે, પૂર્વ કરતાં પશ્ચિમમાં વધારે જગ્યા...

 
 
danik bhaskar

ત્રિવિધ તાપમાંથી મુક્તિ અપાવતી ગાયત્રી સાધનાWednesday, June 23, 2010 11:56 [IST]

_gayatri11

જેઠ સુદ દશમ(ગંગા દશહરા)નો દિવસ દર વર્ષે ગાયત્રી જયંતી તરીકે ઊજવાય છે. આ ગાયત્રી મહામંત્રના જાપ દ્વારા શ્રદ્ધાળુ ત્રિવિધ તાપમાંથી મુક્તિ મેળવી સદ્જ્ઞાન અને સદબુદ્ધિ દ્વારા જીવનને સન્માર્ગે વાળી શકે છે. ગાયત્રી મંત્રમાં અદ્ભુત શક્તિ રહેલી છે. તેની ઉપાસના ક્યારેય નિષ્ફળ જતી નથી. ચાર વેદ, ૧૦૮ ઉપનિષદ, ૨૦ સ્મૃતિ અને ૧૮ પુરાણનું ભાષ્ય રચનાર આચાર્ય પં.શ્રીરામ શર્માજીએ ગાયત્રી...

 
 
danik bhaskar

પંચમહાલના રમણીય આદિવાસી પટામાં ભ્રમણMonday, June 21, 2010 11:47 [IST]

ram11

સમગ્ર પદયાત્રા દરમિયાન માત્ર છોટા ઉદેપુરના વનમાં વાંસળીનો સ્વર સાંભળવા મળ્યો હતો.



બોડેલીમાં રામાપીરની ઝૂંપડી બાંધીને રહેતા સદગૃહસ્થને ત્યાં રાત્રિવિશ્રામ કરીને બીજા દિવસે છોટાઉદેપુરના માર્ગે આગળ વધ્યો. અજાણ્યા રસ્તાઓ પર પૂછી પૂછીને જ અંતર કાપવાનું હતું. અત્યાર સુધી કરેલી પદયાત્રાનો અનુભવ કામે લાગવા માંડ્યો હતો. માર્ગમાં દેખાતાં વૃક્ષોનું કદ વધવા માંડે ત્યારે ગામ...

 
 
danik bhaskar

નૈતિકતાના ઘડવૈયા સ્વામિનારાયણ ભગવાનMonday, June 21, 2010 11:26 [IST]

Swaminarayan11

ગુજરાતનાં ગામડાઓની ડેલીએ ડેલીએ બેસીને સહજાનંદ સ્વામીએ નીતિ અને ધર્મમાં ધીંગાણાની વાતો કહી અને પ્રજામાં સંસ્કારનું સિંચન કર્યું. તેથી જ તેઓ ‘નૈતિકતાના ઘડવૈયા’ કહેવાયા. તે માટે દેરડી ગામના મેરામ માંજરિયાનો એક પ્રસંગ જ પૂરતો છે.આ મેરામ માંજરિયાના ખેતરે એક વખત સ્વામિનારાયણના સંતો પધાર્યા હતા. સંવત ૧૮૬૯માં ભયંકર દુષ્કાળ પડ્યો હતો ત્યારે સ્વામિનારાયણ ભગવાને તેમને ચેતવ્યા...

 
 
danik bhaskar

હસ્તરેખા પરથી વિદેશગમનSunday, June 20, 2010 12:14 [IST]

112

વર્તમાન સમયમાં ઝડપથી આગળ વધવા માનવી દોટ મૂકે છે. તેમાંથી કેટલાકને સફળતા મળે છે જ્યારે કેટલાક અથાગ પરિશ્રમ કર્યા પછી કશું જ મેળવી શકતા નથી. આવામાં જયોતિષ વિજ્ઞાન, હસ્તરેખા વિજ્ઞાન, વાસ્તુવિજ્ઞાન અંધારામાં દીવો પ્રગટાવવાનું કામ કરે છે. આપણી હથેળીને દસ પર્વતમાં વહેંચવામાં આવી છે. જે નવ ગ્રહો સંબંધિત હોય છે. જેના હાથમાં બધા જ પર્વતો વિકસિત હોય, એવી વ્યક્તિ સુખી-સંપન્ન જીવન વિતાવે...

 
 
danik bhaskar

જન્મકુંડળીના ગ્રહો અને કારકિર્દીSunday, June 20, 2010 12:08 [IST]

bhgya-bhed-11

વ્યવસાય અને નોકરી બાબતે જાણવા જન્મકુંડળીનો દસમ ભાગ અર્થાત્ દસમું કર્મસ્થાન ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે



વ્યવસાય અને નોકરીમાં સફળતા કે નિષ્ફળતાનો પ્રશ્ન આજના આબાલવૃદ્ધ સૌને મૂંઝવતો અને સળગતો પ્રશ્ન કહેવાય. વ્યવસાયની પસંદગીમાં જયોતિષની ભૂમિકા અતિ મહત્વની છે. સફળતા નામના રથને બે પૈડાં હોય છે. એક પ્રયત્ન અને બીજું ભાગ્ય. પુરુષાર્થ અને ભાગ્ય બંને પૈડાં જો માનવીને સાથ આપે તો તે...

 
 
danik bhaskar

દરિયામધ્યે સ્તંભેશ્વરદાદાSaturday, June 19, 2010 15:11 [IST]

mari-yatra11

અમો જંબુસર તાલુકામાં આવેલ સ્તંભેશ્વર તીર્થનાં દર્શન કરવા વડોદરાથી ગયા હતા. વડોદરાથી જંબુસર ૫૩ કિ.મી., જંબુસરથી કાવી ૨૩ કિ.મી. અને કાવીથી કંબોઇ (સ્તંભેશ્વર તીર્થ) ૩ કિ.મી.ના અંતરે આવેલ છે. જ્યાં દરિયામાં મહીસાગર સંગમસ્થાન (ગુપ્ત) અને દરિયાકિનારે આવેલ સ્તંભેશ્વરદાદાનાં દર્શન કરવા તે જીવનનો એક અદ્ભુત અને અલૌકિક લહાવો છે.સ્તંભેશ્વર મહાદેવની સ્થાપના શિવનંદન અને દેવોના સેનાપતિ...

 
 
danik bhaskar

નર્મદાજીનાં તીર્થ અને પ્રભાવSaturday, June 19, 2010 15:13 [IST]

Omkareshwar11

નર્મદામાં જેટલા કંકર એટલા શંકર, આ પુરાણોક્ત લોકોક્તિ તો માતા નર્મદાને સર્વત્ર જગ્યાએ શિવમયી હોવાનું સિદ્ધ કરે છે.



પુરાણોમાં વર્ણિત રેવાજીના તટ પર ઓમકારેશ્વર, મમલેશ્વર, શુલપાણેશ્વર, ગરુડેશ્વર, હંસેશ્વર, વિમલેશ્વર, મહેશ્વર, મંડલેશ્વર, સિદ્ધનાથ, રિદ્ધનાથ, બદ્રિકાશ્રમ, વ્યાસ, અનસૂયા અને મહર્ષિ ભૃગુક્ષેત્ર આજે પણ સુપ્રસિદ્ધ છે. નર્મદામાં જેટલા કંકર એટલા શંકર આ પુરાણોકત...

 
 
danik bhaskar

બકા બિલ્લાહ ફના ફિલ્લાહFriday, June 18, 2010 15:26 [IST]

rahe-roshan-11

‘રાહે રોશન’ ના નિયમિત વાચક રણુજના મહંત રાજેન્દ્રગીરીજીએ મને સૂફી સાહિત્યમાં વારંવાર વપરાતા બકા બિલ્લાહ ફના ફિલ્લાહ શબ્દોનો અર્થ પૂછ્યો. મેં તેમને કહ્યું, તક મળ્યે તે અંગે જરૂર લખીશ. આજે એ બન્ને શબ્દો મારા મનમાં રમી રહ્યા છે. સૂફી સાહિત્યમાં એ બંને અત્યંત પ્રચલિત છે. ખુદાને પામવાના માર્ગ તરીકે આ શબ્દોનો વારંવાર ઉપયોગ સૂફીઓ કરે છે. તેમાનો એક શબ્દ બકા બિલ્લાહ છે. બકા બિલ્લાહ...

 
 
danik bhaskar

કસ્તૂરબા બોલ્યા: અમે રતન ખોયું છેFriday, June 18, 2010 12:38 [IST]

gandhi-ji-11

અબ્દુલ્લા ને હરિલાલ બેઉનો અર્થ ‘ઈશ્વરનો સાચો ભક્ત’ થાય. એકને બદલે બીજું નામ લેવાથી જો તે નામ પ્રમાણે સાચો ઈશ્વરભક્ત બને, તો તે ગમે તે નામે ઓળખાય મને ચિંતા નથી.મારા મુસ્લિમ મિત્રોને ઉદ્દેશીને આ લખું છું કે, ઇસ્લામને હું મારા ધર્મ જેવો જ સત્ય માનું છું. હરિલાલનું ધમાઁતર આધ્યાત્મિક નથી તો તમે તેને સાફ સાફ કહેજો ને એનો અસ્વીકાર કરજો.



તા.૧૪-૫-૧૯૩૬ની આસપાસમાં ગાંધીજીના મોટા...

 
 
danik bhaskar

કમ ખાઓ, ગમ ખાઓThursday, June 17, 2010 16:06 [IST]

dharm-vigyan-11

ભારતીય આધ્યાત્મિકતાની ખૂબી છે, તેનું સર્વાંગી અને સર્વ સમાવેશી જીવન દર્શન. યોગદર્શન પણ આ જ કૂળની વિદ્યા છે. સ્વસ્થ શરીર, શાંત મન અને ઉત્કર્ષલક્ષી બુદ્ધિ, એ ત્રણેયને સાધવાની માસ્ટર કી એટલે યોગદર્શન.આધુનિક યુગમાં માણસે મશીનો બનાવ્યાં. આ મશીનોથી કુદરતનાં તત્વો પર આછો-પાતળો અધિકાર પણ જમાવ્યો. થોડી સગવડતા વધી. સગવડોથી ટેવાયેલો માણસ આળસને સુખ સમજવા માંડ્યો. સહના વવતુનો નાદ ભૂલીને...

 
 
danik bhaskar

જગતના સંતાપ હરનારાં પતિતપાવન ગંગાજીThursday, June 17, 2010 16:00 [IST]

ganga-devi111

શિવજીએ ગંગાજીને પોતાની જટામાં ઝીલી લીધાં અને ધરતી ઉપર તેમનું પદાર્પણ કર્યું. તે દિવસ એટલે જેઠ સુદ દસમને બુધવારે હસ્ત નક્ષત્રમાં ગંગાજી સ્વર્ગલોકમાંથી ભૂમિ પર આવિર્ભૂત થયાં. તે દિવસે તેમાં સ્નાન કરવાથી કે શ્રદ્ધાથી નિયમપૂર્વક ગંગાજીનું સેવન કરવાથી મનુષ્યનાં દશવિધ પાપ નાશ પામે છે. તેથી તે દશહરા નામથી પ્રસિદ્ધ છે. ભારતની ભૂમિને ફળદ્રુપ તથા લીલીછમ રાખનારી આ વિશાળ નદીને...

 
 
danik bhaskar

સિકંદર આક્રમણ ટાણે માઈગ્રેશનના પુરાવાSaturday, June 12, 2010 12:42 [IST]

SIKANDAR11

એક સમયે કાબુલમાં પોલિટિકલ એજન્ટ તરીકે ફરજ બજાવી ચૂકેલા મેજર સર્જન હેનરી વોલ્ટર બેલ્લેવે અફઘાનિસ્તાનમાં ગાળેલા દિવસોના આધારે પુસ્તક લખ્યું હતું ‘ ધ રેસિસ ઓફ અફઘાનિસ્તાન ’(૧૮૮૦). આ વિસ્તારના લોકો વિશ્વના કયા કયા પ્રદેશમાં હોવાની સંભાવના છે તે વિષે વાત કરતાં પુસ્તકમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે અફ્રિદી લોકો ખૂબ વિરોધ સાથે સૌથી છેલ્લે મુસ્લિમ બન્યા હતા. અફ્રિદી પોતાને લોગારી કે...

 
 
danik bhaskar

પૃથ્વીલોકના ધર્મરાજા શનિદેવSaturday, June 12, 2010 12:44 [IST]

sani8_288

પિતા સૂર્યદેવ ખૂબ જ તેજસ્વી અને માતા છાયા પણ ખૂબ સુંદર હતાં, જ્યારે શનિદેવનું રૂપ શ્યામવર્ણી હતું. આથી સૂર્યદેવ પોતાની પત્ની પર ખૂબ ક્રોધિત થયા. તેમણે પત્ની પર આળ મૂક્યું કે, હું આટલો તેજસ્વી અને તું પણ સ્વરૂપવાન હોવા છતાં આપણો પુત્ર આવો શ્યામવર્ણી કેમ? આ મારો પુત્ર હોઇ જ ન શકે. પિતાના આવાં શંકાસ્પદ વાક્યો અને વર્તનથી શનિદેવને પોતાના પિતા (સૂર્યદેવ) પર શત્રુભાવ જાગ્યો અને...

 
 
danik bhaskar

શ્રેષ્ઠ દાંપત્યજીવન માટે શ્રેષ્ઠ પ્રયોગFriday, June 11, 2010 14:23 [IST]

bhagya-bhed-1
દાંપત્યજીવનની વિસંવાદિતાને દૂર કરી અદ્ભુત લગ્નજીવન અને જીવનસાથી મેળવવા માટેના અનેક ઉપાય આપણા ઋષિમુનિઓએ તેમના અલભ્ય ગ્રંથની અંદર બતાવ્યા છે. પ્રસિદ્ધ લેખક બર્નાડ શો કહેતા કે, માનવી પાસે સ્વર્ગ હોય પરંતુ સુખી દાંપત્યજીવન ના હોય તો તેને જિંદગી વન (જંગલ) સમાન લાગે છે. જન્મકુંડળીના અસંખ્ય ગ્રહયોગ એવા હોય છે કે જે લગ્નજીવનને ભગ્ન જીવન બનાવે છે. કહેવત છે કે પૃથ્વીનો છેડો ઘર છે,...
 
 
danik bhaskar

આપણે કાયમ શ્રેષ્ઠ કર્મો જ કરવાંFriday, June 11, 2010 12:48 [IST]

veda-and-life1
આપણે ક્યારેય, કોઇ પણ જગ્યાએ, કોઇ પણ કાર્ય કરતી વખતે એમ ન માનીએ કે હું એકલો છું. આપણે હંમેશાં એમ માનવું કે ઈશ્વર મારી સાથે છે ય:તિષ્ઠતિ - કોઇ માણસ ઊભો છે, ચરતિ - અથવા ચાલી રહ્યો છે, ય: ચ વજ્ચતિ - ચાહે કોઇ કોઇને ઠગી રહ્યો છે, નિજાયં ચરતિ - ચાહે કોઇ કોઇની પાછળ છુપાઇ ષડ્યંત્ર રચે છે, ડરાવે છે, હાંસી ઉડાવે છે, દ્વૌ સંનિષદ્ય યત્ મન્ત્રયેતે - બે મનુષ્ય એકાંત જગ્યાએ ખાનગી ચર્ચા કરે છે, રાજા તદ્વેદ...
 
 
danik bhaskar

આકાશ માર્ગે વિચરતા યોગીFriday, June 11, 2010 12:44 [IST]

agochardarshan_288

લધિમા સિદ્ધિ પ્રાપ્ત થવાથી રૂ જેવા હલકા થઇ જઇ જળ, કાદવ-કીચડ, કંટકાદિ બાધાઓથી પર રહી આકાશગમન કરવાની શક્તિ પ્રદાન થાય છે.



આપણાં ધર્મશાસ્ત્રોમાં દેવ-દાનવોના વિશિષ્ટિકાર દેવર્ષિ નારદજીને મોટે ભાગે આકાશ માર્ગે વિચરણ કરતા વર્ણવામાં આવે છે. શક્તિ સ્ત્રોત સમા વીર હનુમાનજી મહારાજને ગદા-ડુંગર સહિત હવામાં સહજ રીતે ઊડતા નિરૂપવામાં આવેલા છે. આ દૈવીપાત્રો ચિરંજીવ છે. પાતંજલ...

 
 
danik bhaskar

વિરલ વિભૂતિ યોગીજી મહારાજFriday, June 11, 2010 12:10 [IST]

Yogiji-Maharaj1
વેર-ઝેર કે રાગ-દ્વેષ વિનાના યોગીજી મહારાજને મન તો દુશ્મન શબ્દની કલ્પના સુઘ્ધાં નહોતી! બાળક કરતાંય એમની અદકેરી નમ્રતા એમના પવિત્ર હૈયાનું પ્રતિબિંબ હતું. અઘ્યાત્મના જે દિવ્ય આનંદની ઉપનિષદો છણાવટ કરે છે એ બ્રહ્માનંદનું જીવંત સ્વરૂપ હતું- યોગીજી મહારાજ. યોગીજી મહારાજના રોમેરોમમાંથી બ્રહ્માનંદ છલકાતો હતો. એ દિવ્ય સ્ફુલ્લિંગો એમના સંપર્કમાં આવનાર સૌ કોઇને તરબતર કરી મૂકતા....
 
 
danik bhaskar

દક્ષિણમાં વધારે જગ્યા સ્વાસ્થ્ય-સન્માન ઘટાડેFriday, June 11, 2010 12:03 [IST]

vastu-nirman-21
માનવમાંથી મહામાનવ બનાવની પ્રક્રિયા માત્ર આંતરિક ઊર્જાનો વિકાસ જ છે અને હકારાત્મક ઊર્જા મળે છે વાસ્તુશાસ્ત્ર થકી. કોઇ પણ સ્થળની ઊર્જા હકારાત્મક હોય તો તેનું ચુંબકીય તત્વ વધે છે અને તે જગ્યા પ્રત્યે આકર્ષણ જન્મે છે. કુદરતમાં આવા અસંખ્ય ઊર્જા સ્ત્રોત છે. હકારાત્મક ઊર્જા સ્ત્રોતની વાત મળે છે વાસ્તુશાસ્ત્ર થકી. આજે આપણે વાત કરીએ વિમલભાઇના મકાનની. ઘરનો આકાર જોતા ખ્યાલ આવે છે કે...
 
 
danik bhaskar

શ્રદ્ધા એ જ મહાશક્તિ : સ્વામી વિવેકાનંદFriday, June 11, 2010 11:43 [IST]

lord-gives-more-strength1
ઈન્સાનની દુ:ખમાં ઇશ્વર પ્રત્યેની શ્રદ્ધા ધારદાર બની જાય છે. જ્યારે સુખમાં એ જ શ્રદ્ધા પર ધૂળના પડ જામી જાય છે. શ્રદ્ધા એટલે ઇમાન. આપણા સંતો, આલિમો, કવિઓ, ગઝલકારો અને કથાકારોએ શ્રદ્ધા શબ્દનો અઢળક પ્રયોગ કર્યો છે. તેનો હાર્દ બે વાક્યોમાં કહી શકાય, ‘માનવજીવનમાં શ્રદ્ધા શ્વાસ સમાન છે. શ્રદ્ધા વગરનું જીવન ધબકારા વગરના શરીર જેવું છે.’ આટલા મહત્વના આપણા અંગ સમાં ઇમાન કે શ્રદ્ધાને કોઇ...
 
 
danik bhaskar

ઇચ્છા પૂર્ણ કરનાર કલ્પવૃક્ષFriday, June 11, 2010 11:26 [IST]

Wish-fulfilling-tree1
કહેવાય છે કે થોડાં વર્ષો પહેલાં સત્ય સાંઈબાબા ચાલી આવતા ત્યારે આ વૃક્ષ નીચે બેસીને લોકો સાથે સત્સંગ કરતા હતા... આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં ચિત્રાવતી નદીના કિનારે પુટપરતી ગામ છે. ગામની અંદર સત્ય સાંઈબાબાનો વિશાળ આશ્રમ આવેલો છે. જે આશ્રમ પ્રશોતિનિલિયમ તરીકે ઓળખાય છે. આ વિશાળ આશ્રમની અંદર પોતાનું એરોડ્રામ, ગૌ-શાળા, ભોજનશાળા, મોટી હોસ્પિટલ, બાગ-બગીચા, મ્યુઝિયમ છે. અહીંની...
 
 
danik bhaskar

રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઇThursday, June 10, 2010 14:22 [IST]

ganga-11

યે મેરી ફર્જ કિ તૂઝે ઢૂંઢને નિકલું,યે તેરી ફર્જ કિ રાસ્તા બતાયે જા.



રામ એક ખોજ-૧૧



હા, કરજણ ખાતે શિવવાડી આશ્રમમાં રહેતા વૃદ્ધ મહાત્માજી કાવડ જોઇને મૂંઝાયા હતા. નર્મદાજીને ના ઓળંગવાના વિકલ્પે કયા રસ્તે આગળ વધવું તે માર્ગો તેઓ સૂચવવા લાગ્યા હતા. કદાચ મહાત્મા ગંગોત્રીથી રામેશ્વરમની પદયાત્રા કરી ચૂક્યા હતા. તેઓ કદાચ શાસ્ત્રોક્ત પથથી પરિચિત હતા, પણ હું મૂંઝાયો હતો ....

 
 
danik bhaskar

કડવાં પ્રવચનો : આપણે સૌ યાત્રી છીએThursday, June 10, 2010 13:16 [IST]

TARUNSAGAR1
મહાવીર સ્વામીને ગૌતમ બુદ્ધે પૂછ્યું, આપણે બધા કોણ છીએ અને આપણો સંબંધ શું છે? અહીં જોવા જેવું શું છે? મહાવીરે કહ્યું, ગૌતમ! આપણે સૌ યાત્રી છીએ. આપણો સંબંધ નદી-નાવ જેવો છે. વહેલા-મોડા તો વિદાય થવાનું જ છે. મિલનની ક્ષણમાં વિદાય ન ભૂલો. કોઇની સાથે હાથ મિલાઓ તો એ ન ભૂલો કે કાલે અલવિદા કહેવાનું છે. ફૂલ ખીલે તો ખીલેલા ફૂલમાં કરમાયેલા ફૂલને જુઓ, જીવન મળે તો મોતને ભૂલી ન જશો.
 
 
danik bhaskar

બાબા અમરનાથની પવિત્ર યાત્રાThursday, June 10, 2010 13:12 [IST]

amarnath-baba-1
બાબા અમરનાથ કી જયના પ્રચંડ જયઘોષથી લાખો શ્રદ્ધાળુઓ હિમાલયની અટપટી પગદંડીઓ પાર કરીને ભોળાનાથનાં હિમ શિવલિંગના દર્શન કરવા નીકળી પડશે. બાબા અમરનાથ કી જયના પ્રચંડ જયઘોષથી હિમાલયના પર્વતો અને ખીણો ગુંજી ઊઠશે એ દિવસોનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું છે. લાખો શ્રદ્ધાળુઓ હિમાલયની અટપટી અને જોખમી પગદંડીઓ પાર કરીને કુદરતી રીતે સર્જાતા ‘હિમ શિવલિંગ’ ભોળાનાથનાં ચરણોમાં નમન કરવા નીકળી...
 
 
danik bhaskar

છે ઉપર ગગન વિશાળ...Thursday, June 10, 2010 12:55 [IST]

Dharma-Vigyan1
ઔપનિષદિક અને આધુનિક વિચારણાનું આ કેવું મધુરું મિલન! યૌવનની બે પાંખ, એક આશા અને બીજી ઉમંગ. મહર્ષિ અંગિરાએ ઉત્સાહને શ્રેષ્ઠ શુકન અમસ્તુ નહીં ગણ્યું હોય! બે દિવસ પહેલાં છાપામાં એક દુ:ખદ ઘટના વિશે જાણ્યું. એક તેજસ્વી વિદ્યાર્થિનીએ બોર્ડની પરીક્ષામાં નિષ્ફળતાના ડરથી આપઘાત કર્યો હતો. વિધિની વક્રતા તો જુઓ, જ્યારે પરિણામ આવ્યું, ત્યારે તે શાળામાં પ્રથમ નંબરે પાસ થઇ હતી! તણાવથી લથબથ...
 
 
danik bhaskar

આપણે હવે અમદાવાદ નહીં છોડીએThursday, June 10, 2010 12:49 [IST]

gandhi-ji-1
‘મારી ઉપર આવી ભીડ આ પહેલી વાર નહોતી. દરેક વારે છેલ્લી ઘડીએ શામળાએ મદદ મોકલી દીધી છે.’ આ છે ગાંધીજીની ઇશ શ્રદ્ધા! દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે પાછા ફર્યા બાદ ગાંધીજીએ અમદાવાદમાં આશ્રમ સ્થાપવાનું નક્કી કર્યું કેમ કે ઘણા મિત્રોનો આગ્રહ હતો કે આશ્રમ અમદાવાદમાં સ્થાપો તો આશ્રમનો ખર્ચ અમે ઉપાડીશું. વળી, અમદાવાદમાં રેંટિયાનું કામ વધારે સારી રીતે થઈ શકશે તેવું ગાંધીજીનું માનવું...
 
 
danik bhaskar

પૃથ્વીલોકના ધર્મરાજા શનિદેવThursday, June 10, 2010 12:37 [IST]

Shani-Dev1
પિતા સૂર્યદેવ ખૂબ જ તેજસ્વી અને માતા છાયા પણ ખૂબ સુંદર હતાં, જ્યારે શનિદેવનું રૂપ શ્યામવર્ણી હતું. આથી સૂર્યદેવ પોતાની પત્ની પર ખૂબ ક્રોધિત થયા. તેમણે પત્ની પર આળ મૂક્યું કે, હું આટલો તેજસ્વી અને તું પણ સ્વરૂપવાન હોવા છતાં આપણો પુત્ર આવો શ્યામવર્ણી કેમ? આ મારો પુત્ર હોઇ જ ન શકે. પિતાના આવાં શંકાસ્પદ વાક્યો અને વર્તનથી શનિદેવને પોતાના પિતા (સૂર્યદેવ) પર શત્રુભાવ જાગ્યો અને...
 
 
danik bhaskar

સર પ્રતાપMonday, June 07, 2010 18:59 [IST]

Sir-pratap1
તત્કાલીન તેજસ્વી વિધાદ્યાર્થીઓ બ્રિટનમાં ભણવા જઇ શક્યા તે ઘટના પાછળ સર પ્રતાપ અને તેમના જેવા દૂરંદેશી તત્કાલીન શાસકોની વિદેશનીતિ જ કારણભૂત હતી? ઇડરનગર સૂર્યવંશીઓનો ગઢ હતો. જવાનસિંહજીએ જવાનપુરા, ગંભીરસિંહજીએ ગંભીરપુરા તો હિંમતનગરને હિંમતસિંહજીએ વસાવ્યું. તેમાંય યોદ્ધા સર પ્રતાપની ખ્યાતિ દેશ- વિદેશમાં ફેલાયેલી હતી. બ્રિટિશ લશ્કરી અધિકારીઓએ તેમનાં પુસ્તકોમાં સર...
 
 
danik bhaskar

ઇલ્વદુર્ગથી પ્રસ્થાનWednesday, June 9, 2010 15:48 [IST]

haifa_288

અરે તુમ યે રાસ્તે કૈસે આ ગયે? ગંગાજલ હૈ ના? રામેશ્વરમ જા રહે હો? નર્મદાજી કે જલ કો તુમ પાર નહીં કર સકતે.

રામ એક ખોજ-૧૦

વતનનાં દેવીદેવતાને સંતુષ્ટ કરીને અને વડીલોના આશીર્વાદ લઇને બચેલા એક ગંગાકળશ સાથે રામેશ્વરમ તરફ પ્રસ્થાન કર્યું હતું. યાત્રામાં વિવિધ સ્વરૂપમાં આસ્થાનાં દર્શન કર્યા હતાં. હરિયાણા સુધી કાવડયાત્રાનો મહિમા હતો. રાજસ્થાનમાં રામદેવરા સુધીની પદયાત્રાનો...

 
 
danik bhaskar

ધર્મ, જ્યોતિષ અને આરોગ્યની ત્રિવેણી ‘ધર્મદર્શન’ હવેથી દર ગુરુવારેFriday, June 11, 2010 13:15 [IST]

Dharma-Darshan111

દર સોમવારે આપની પ્રિય પૂર્તિ ‘ધર્મદર્શન’માં આપ આપણાં તહેવારો, તીર્થસ્થાનો, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર ઉપરાંત નિષ્ણાત ડૉક્ટરોની કલમે લખાયેલી આરોગ્ય વિષયક કોલમોનો આસ્વાદ મેળવો છો. શરીર અને આત્માના કલ્યાણનું આ જ ભાથું હવેથી આપણે વાંચીશું દર ગુરુવારે. તો આ ગુરુવારે ‘ધર્મદર્શન’ની કોપી અંકે કરી લેવાનું ચૂકશો નહીં!





 
 
danik bhaskar

ભદ્રકાળી મંદિરમાં ચાલતા જિણોદ્ધાર કાર્યમાં મુસ્લિમ કારિગરોનું પણ યોગદાનSaturday, June 05, 2010 17:47 [IST]

ભદ્રકાળી માતાજીના ભક્તોમાં હિંદુઓ ઉપરાંત મુસ્લિમો, જૈનો, પારસીઓ પણ સામેલ અમદાવાદના કુળદેવી ગણાતા એવા ૭૦૦ વર્ષ પ્રાચીન ભદ્રકાળી માતાજીના મંદિરમાં અત્યારે ગર્ભગૃહના જિણોદ્ધારનું કાર્ય ચાલી રહ્યું છે. તેમાં શિલ્પકળા માટે રાજસ્થાનનાં મકરાણાથી મુસ્લિમ કારીગરો આવ્યા છે. જેઓ આ કાર્ય કરી રહ્યાં છે. એટલું જ નહીં ભદ્રકાળી માતાજીના ભક્તોમાં હિંદુઓ ઉપરાંત મુસ્લિલ જૈનો અને પારસીઓ...
 
 
danik bhaskar

બોર્ડના વિદ્યાર્થીઓએ પ્રભુનો આભાર માનવા સત્યનારાયણની કથા કરીSaturday, June 5, 2010 17:50 [IST]

kathaofsatyanarayan1_288

બોર્ડની પરીક્ષામાં સખત પરિશ્રમ કર્યો પણ મુશ્કેલીઓમાં રક્ષણ માટે પ્રભુને પણ સાથે રાખ્યા



અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શુક્રવારે રાત્રે સત્યનારાયણની કથા યોજાઇ હતી પરંતુ તે કોઇ વ્યક્તિગત શ્રદ્ધાળુની નહીં પરંતુ ધોરણ-૧૦ ૧૨માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ દ્વારા થઇ હતી. જેમાં તેઓએ બોર્ડની પરીક્ષામાં સારા ગુણ બદલ ભગવાનનો આભાર માનવા માટે આ કથાનું આયોજન કર્યું...

 
 
danik bhaskar

એક જ લાઇનમાં ત્રણ દ્વારથી જાવક વધેSaturday, June 05, 2010 14:03 [IST]

Vastu-Shastra-21
સદ્વિચાર માટેની સારી ઊર્જા મળે છે વાસ્તુશાસ્ત્ર થકી. ઉનાળાની કાળઝાળ ગરમીમાં માણસ આંતરિક બાબતોથી ઉકળાટ અનુભવતો હોય અને ત્યારે વિચાર આવે કે એવું ન બને કે બાહ્ય ઉકળાટની જેમ જ આંતરિક ઉકળાટને પણ શાંત કરનાર કોઇ શક્તિ નથી? આનો જવાબ છે વાસ્તુશાસ્ત્ર. આજે આપણે ચર્ચા કરીએ ઉર્વીશભાઇ પરમારના મકાનની. જમીનનું મુખ્યદ્વાર અગ્નિદક્ષિણનું છે અને દક્ષિણમાં માર્જિન વધારે છે તેથી પગના...
 
 
danik bhaskar

યજ્ઞથી મનુષ્યની ઉન્નતિ થાય છેSaturday, June 5, 2010 16:37 [IST]

vedaandlife_288

યજ્ઞથી દિવ્ય વ્યક્તિઓને જાગૃત કરનાર મનુષ્યની બધી રીતે ઉન્નતિ થવાને કારણે સમાજ-રાષ્ટ્ર અને વિશ્વમાં યશ, કીર્તિ પણ વધે છે



ઉત્તિષ્ઠ બ્રહ્મણસ્પતે - હે જ્ઞાનના સ્વામી ઊભો થા, દેવાન્ - દેવોને, શુભ ગુણોને, સંસ્કારોને યજ્ઞેન્- યજ્ઞથી, પુરુષાર્થ, તપસ્યા, સંકલ્પથી, બોધય- જગાડ અને, આયુ - લાંબા જીવનને, પ્રાણમ્- પ્રાણશક્તિ-બળને, પ્રજામ્- સુસંતાનોને, પશુન્- ગાય આદિ પશુઓને, કીર્તિમ્-...

 
 
danik bhaskar

જેવી ઉપાસના તેવી ગતિFriday, June 4, 2010 11:13 [IST]

gitaandlife_288

અખિલ બ્રહ્માંડના માલિકને કોઇ મળવા માગે તો તેને મળવાની યોગ્યતા તો પ્રાપ્ત કરવી જ પડશે ને?



‘જીવન વ્યવહારમાં જેની આવશ્યકતા લાગતી નથી અને જે પ્રત્યક્ષ દેખાતા નથી તે ભગવાનને માનવાનું કારણ શું? જો નથી માનતા તો ખાધેલું પચતું નથી? ઊંઘ નથી આવતી? જીવનનો બધો જ વ્યવહાર તેને માન્યા વગર ચાલે છે તેથી ભગવાન વગેરે માનવે ઊભી કરેલી કેવળ કલ્પના માત્ર છે.’ - એમ કેટલાક લોકોનું માનવું છે અને...

 
 
danik bhaskar

આપના જન્મનક્ષત્રનું ફળ જાણોFriday, June 4, 2010 11:14 [IST]

janmanakshatrafal_288

જન્મનું નક્ષત્ર જીવન ઘડતરમાં ખૂબ જ મોટો ફાળો આપે છે. દક્ષિણમાં નક્ષત્રથી ભાગ્ય જોવાય છે. નક્ષત્ર ઉપરથી ફળકથન સચોટ આવે છે. નક્ષત્રના સ્વામીનો પ્રભાવ મનુષ્યના ચહેરા ઉપર તથા વ્યક્તિત્વ ઉપર જોવા મળે છે.



આગળ આપણે કેટલાંક નક્ષત્રોની ચર્ચા કરી હતી. જન્મનું નક્ષત્ર જીવન ઘડતરમાં ખૂબ જ મોટો ફાળો આપે છે. દિક્ષણમાં નક્ષત્રથી ભાગ્ય જોવાય છે. અમારા અનુભવ પ્રમાણે નક્ષત્ર ઉપરથી ફળકથન...

 
 
danik bhaskar

ત્રણ કે તેથી વધુ ગ્રહોની યુતિ જાતકને વ્યક્તિવિશેષ બનાવે છેThursday, June 03, 2010 11:43 [IST]

Special-man1
ભારત દેશની વૃષભ લગ્નની કુંડળીમાં ત્રીજે સૂર્ય-શનિ-બુધ-ચંદ્ર-શુક્ર અને પ્લુટો એમ છ ગ્રહોની યુતિએ જ ભારતને વિશેષ દેશ બનાવ્યો છે જેને પૃથ્વી પરનું પવિત્ર અવતરણ કહી શકાય અને અભિનયનું આસમાન જેની મુઠ્ઠીમાં છે એવો માનવી કે જે જીવતા દેહે જ અમરત્વનું અમૃત પી ગયો છે અને દુનિયાના ધબકતા દરેક હૃદયનો સમ્રાટ બની ચૂક્યો છે. એવા સફળતાના આભ અમિતાભની કુંભ લગ્નની કુંડળીમાં આઠમે...
 
 
danik bhaskar

તમે યુવા છો? તો વાંચો...Thursday, June 03, 2010 11:39 [IST]

dharma-vigyan-
જ્ઞાન અને પરિશ્રમ નામની બે પાંખ સાથે વિંઝાવાની શરૂ થાય ત્યારે સમજવું કે યૌવનની વસંત બેઠી. નચિકેતા દરેક યુવાનો આદર્શ છે, દરેક શિક્ષકનું સ્વપ્ન છે. કઠોપનિષદમાં યમ-નચિકેતા સંવાદ છે. ‘યુવા સાધુ યુવા અઘ્યાપક આશિષ્ઠો દ્રઢિષ્ઠો બલિષ્ઠ:’ યુવા કેવો/કેવી હોય? સજ્જન હોય, અભ્યાસુ હોય, શિસ્તબદ્ધ, દ્રઢ અને બળવાન હોય. નચિકેતાના પિતા યજ્ઞ કરતા હતા. દક્ષિણામાં સારી અને સ્વસ્થ ગાયોને બદલે ઘરડી...
 
 
danik bhaskar

હસ્તરેખા અને રોગોWednesday, June 02, 2010 18:21 [IST]

Line-on-the-palm-of-hand1
સાંકળવાળી હૃદયરેખાવાળો માનવી માનસિક સમતુલા વિનાનો હોય છે. કુદરતે સૃષ્ટિની રચના કરી તેમાં અનેક જીવોનું સર્જન કર્યું. તેમાં દરેક જીવને જીવન જીવવાની સમજ આપી પણ માનવીને ઈશ્વરે વધારે બુદ્ધિ આપી. માનવીની હથેળીમાં જ જાણે જીવનદર્શન આપી દીધું, પરંતુ તેની સમજ તેના અભ્યાસ દ્વારા જ થઈ શકે. આજે આપણે હસ્તરેખા અને રોગો વિશે ચર્ચા કરીશું. હથેળીના જુદા જુદા પર્વતો જુદી જુદી બીમારીઓ સૂચવે...
 
 
danik bhaskar

હજરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.અ.વ.) સૂફીઓના આદર્શThursday, June 10, 2010 12:55 [IST]

Hazrat-Mohammad-Paigambar11

મહંમદ સાહેબ ખુદાના અત્યંત પ્યારા નબી હતા. છતાં હરપળ ખુદાની ઇબાદતમાં રત રહેતા.



સૂફી વિચારના મૂળમાં મહંમદ સાહેબનો ત્યાગ, સાદગી, ઇબાદત અને સરળતા પડ્યાં છે, એ વાતને અનુમોદન આપતા હજરત જુનેદ બગદાદી જેવા મહાન સૂફી કહે છે, ‘અમારું તમામ જ્ઞાન હજરત મહંમદ પયગમ્બરની હદીસોનો નિચોડ છે’. મહાન સૂફી હજરત મોયુનુદ્દીન ચિસ્તી સૂફી સંતોનાં ૧૪ લક્ષણો (મકામત) આપતા કહે છે.



૧. ઇબાદત (ભક્તિ)...

 
 
danik bhaskar

કડવાં પ્રવચનો : એક નાની પ્રાર્થના કરોSaturday, June 5, 2010 18:07 [IST]

TARUNSAGAR11

દરરોજ સવારે એક નાની પ્રાર્થના જરૂર કરો. કહો કે હે ભગવાન, મારા પગ અપંગના પગ બને, મારી આંખો આંધળાની આંખો બને, મારા હાથ બેસહારાનો સહારો બને, દુ:ખ અને શોકથી ઘેરાયેલા વ્યક્તિઓને આશ્વાસન આપવામાં મારી જીભ હંમેશાં કામ આવે, કોઇ ગરીબ કે રોગીની સેવામાં મારો પરસેવો વહે. કોઇ અતિથિ મારા દ્વારેથી ભૂખ્યો ન જાય. હે પ્રભુ, આપના આ બાળકને સદાય આના લાયક બનાવજે.







Related Articles:

* કડવાં પ્રવચનો :...

 
 
danik bhaskar

મહુવાનું ભવાની મંદિરTuesday, June 01, 2010 11:13 [IST]

Bhavani-Temple-of-Mahuva
વારંવાર તાલબદ્ધમાં ભંગ થવાથી રાસ રમવાની મજામાં ભંગ થતો જાણીને મોટી બહેને તેને ઠપકો આપીને દૂર કરતાં તે રિસાઇ ગયાં અને સ્થળ છોડીને જતાં પૂર્વે આવેશમાં શ્રાપ આપ્યો... મહુવાથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે સમુદ્રના કિનારે આવેલ પૌરાણિક ભવાની માતાનું મંદિર હજાર વર્ષ પૂર્વેનો ઐતિહાસિક વારસો ધરાવે છે. હાલનું મહુવા પૂર્વે મધુમતા હતું. મંદિરના પશ્ચિમમાં ધૂળિયા માર્ગની મઘ્યમાં રાજબાઇ...
 
 
danik bhaskar

માણસે ધર્મ શા સારુ બદલવો જોઇએTuesday, June 1, 2010 18:52 [IST]

changereligion_288

ધર્મપ્રચારને નામે બીજા ધર્મોની નિંદા કરવાની પ્રવૃત્તિ ચાલવા ન જ દઈ શકાય. કારણ, એનું પરિણામ એ જ આવે કે સહિષ્ણુતા માત્ર નાશ પામે



૧૯૩૫ની સાલમાં દક્ષિણ ભારતના એક ગામડામાં મોટાભાગની વસતી હરિજનોની હતી, તે આખા ગામનું ‘સામુદાયિક ધર્માંતર’ કરવામાં આવ્યું હતું- ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવવામાં આવ્યો હતો.



ગાંધીજીએ ખ્રિસ્તી મિશનરીઓના આગેવાન પાદરીઓ સાથે ધર્માંતરની મોટે...

 
 
danik bhaskar

પ્રધાન વૈરાગ્ય અને રાજા વિવેકMonday, June 7, 2010 18:51 [IST]

Manas-darshan

વૈરાગ્ય નામના મંત્રીમાં ત્યાગનું હોવું અનિવાર્ય છે. રાજામાં વિવેકનું હોવું ફરજિયાત છે અને વિવેક સત્સંગમાંથી મળે છે.



ગુજરાત રાજ્ય પોતાની સ્થાપનાનાં પચાસ વરસ પૂરા કરીને ઉપવનગમન કરતું હોય ત્યારે, ગુજરાત તથા ગુજરાતની બહાર વસેલાં તમામ ગુજરાતીઓ સ્વર્ણિમ ગુજરાતનાં મહોત્સવમાં મગ્ન હોય ત્યારે માનસનાં આધાર પર સુરાજ એટલે કે સારું રાજય કેવું હોય તેનાં લક્ષણોની ચર્ચા કરવી...

 
 
danik bhaskar

રાધાજીના કૃપાનિધિ હિતહરિવંશ મહાપ્રભુજીMonday, May 31, 2010 11:49 [IST]

Hit-Harivansh-Mahaprabhuji1
હરિવંશ પ્રેમાવતાર છે. તેમના ગુરુ અને ઇષ્ટ રાધાજી છે કે જેઓ સર્વસુખના સારરૂપ છે. રાધાજીએ તેમને ‘હિતસજની’નું બિરુદ આપ્યું છે. હરિવંશે હરિ-ઇષ્ટ અને ગુરુને અભેદ માન્યા છે. માધુર્ય અને ઐશ્વર્ય એ હરિવંશની યશકલગીઓ છે. તેમનાં જન્મ, કર્મ, ગુણ અને રૂપની વિશિષ્ટતા વિશે જેટલું કહીએ તેટલું ઓછું પડે. જેટલાં અનંતકોટિ નામ-નામીઓ છે તે સર્વ હરિવંશ નામની વિભૂતિઓ છે. દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણે...
 
 
danik bhaskar

હું ખોટો રસ્તો કદી ન સ્વીકારુંThursday, June 3, 2010 12:17 [IST]

ધર્મથી યુક્ત ઉત્તમ વ્યવહારોને કરવાથી જ મનુષ્યનું જીવન ઊચે આવે છે, તે સાચી પ્રગતિ કરે છે અને અંતિમ લક્ષ્યને પ્રાપ્ત કરી લે છે.



અગ્ને - હે દયાળુ ઈશ્વર!, મા – મને, પરિ - બધી તરફથી હર પ્રકારની, દુશ્ચરિતાત્- બુરાઇઓથી, બાધસ્વ - રહિત કરી દો અને મા – મને, આસુચરિતે - બધી જાતનાં શ્રેષ્ઠ કાર્યો માટે ભજ - પ્રોત્સાહિત કરો, આયુષા - આ જન્મમાં, સ્વાયુષા - આ જીવનને ઉત્તમ બનાવી, ઉદસ્થાનમ્ - સફળતાને...

 
 
danik bhaskar

અયોઘ્યાને શું રોબર્ટ ક્લાઇવે મુક્ત કરાવ્યું ?Saturday, June 5, 2010 14:07 [IST]

Robert-clive1

તાળા મેળવવામાં ભૂલ કરવી પોષાય તેમ નથી કારણ કે આ બે પ્રશ્નો વચ્ચે ક્યાંક રામ છુપાયો છે. . .?!



સરયુ નદીના તટે આવેલા અયોઘ્યા એક સમયે સાકેત તરીકે ઓળખાતું હતું. મોગલ સલ્તનતકાળમાં અયોઘ્યા તે અવધના સૂબાની રાજધાની હતી. તેમણે જ ફૈઝાબાદ વસાવ્યું. ઐતિહાસિક ભૂતકાળ પર દૂર દૂર સુધી નજર નખીએ તો અયોઘ્યા વિષે એક જ નક્કર હકીકત સામે આવે છે. નક્કર ઇતિહાસ કહે છે કે ક્લાઇવે અવધ નવાબને પાઠ ભણાવવા...

 
 
danik bhaskar

માદરેવતનનાં દેવસ્થાનો પર અભિષેકSaturday, May 29, 2010 18:11 [IST]

Deva-Sthan-of-native-place1
વતન ઇડર ખાતે ખોખાનાથ મહાદેવ, ગુરુપરંપરા સ્થાન રામેશ્વર મહાદેવ અને કણ્વનાથ મહાદેવે ગંગાજળનો અભિષેક કર્યો રામ એક ખોજ-૯ જયપુરની આસપાસનો પ્રદેશ રળિયામણો છે. તે જ રીતે સિરોહી પછીનો માર્ગ પણ રળિયામણો છે. ખેતરો લીલોતરીથી છવાયેલાં હતાં. સવારે કોદરડા છોડીને આગળ વધતાં દૂરથી જ ગુરુશિખરનાં દર્શન થયાં હતાં. પસાર થઇ રહેલાં વાદળો ગુરુશિખર સાથે રમી રહ્યાં હતાં. વતન હવે નજીક હતું. બીજા દિવસે...
 
 
danik bhaskar

આંતરદ્રષ્ટિ આપતી ત્રાટક યોગ સાધનાFriday, June 4, 2010 11:15 [IST]

Tratak-sadhana

ત્રાટક સાધનાથી કુંડલિની જાગરણની પ્રક્રિયા સ્વયં શરૂ થાય છે. કુંડલિની આજ્ઞાચક્ર વીંધીને આગળ વધે છે ત્યારે સાધક ઊર્જાવાન બને છે.



બ્રિટિશ સરકાર દ્વારા ‘knight’ ના ખિતાબથી વિભૂષિત થયેલા અને હોંગકોંગમાં સ્થાયી થયેલા ડૉ. એલેક્ઝાન્ડર કેનન આત્મતત્ત્વના પ્રખર અભ્યાસુ હતા. તેમણે આંતરદ્રષ્ટિ તથા અદ્રશ્ય શક્તિના વિકાસ અર્થે ચીન અને તિબેટનો વારંવાર પ્રવાસ કર્યોહતો. એકવાર...

 
 
danik bhaskar

કેટલાક ફતવાઓની ભીતરમાંFriday, May 28, 2010 17:59 [IST]

Insides-of-fatwa1
કાશ આપણા આલિમો ફતવા સાથે કુરાન-એ-શરીફના સંદર્ભો, મહંમદ સાહેબનાં જીવંત દ્રષ્ટાંતો અને હદીસના આધારો આપવાનો આગ્રહ રાખશે તો આમ મુસ્લિમ પ્રજા ફતવાનો સાચો ઉદ્દેશ પામી શકશે. હાલ ઇસ્લામિક ફતવાઓની ચારેકોર ચર્ચા થઇ રહી છે. ઇસ્લામમાં મુસ્લિમ સ્ત્રીઓ નોકરી ન કરી શકે. સ્ત્રીઓની આવક સ્વીકારવી હરામ છે. વીમો લેવો ઇસ્લામિક કાનૂન પ્રમાણે અયોગ્ય છે. ઇસ્લામના અનુયાયીઓ પોતાનો જન્મદિવસ ઊજવી ન...
 
 
danik bhaskar

મોક્ષનું સર્જન સંભવિત, વર્ણન અસંભવિતThursday, May 27, 2010 12:24 [IST]

Mahavir-swami1
મોક્ષમાં જ્ઞાનનાં તમામ ક્ષેત્રોનું સર્વાંગી જ્ઞાન થઇ જાય છે. શરીરમાંથી આત્માને બાદ કરી દો તો શરીર એકલું કોઇ જ સંવેદન પામી શકતું નથી. આત્માને શરીરથી અલગ કરી દો તો આત્મા સંપૂર્ણ સંવેદન પામી શકે છે. શરીર દ્વારા આત્મા સંવેદન પામે છે તે દૂધમાં નાખેલું પાણી છે. શરીર વિના આત્મા સંવેદન પામે તે પાણી વિનાનું દૂધ છે. મોક્ષમાં આત્મા શરીર વિનાનું સુખ આપે છે. તમે સ્નાન કરો છો ત્યારે તમને મજા...
 
 
danik bhaskar

હે માનવ તૂ મુખ સે બોલ 'બુદ્ધં શરણં ગચ્છામિ'Thursday, May 27, 2010 11:28 [IST]

Buddham-sharanam-gacchami1
રાજકુમાર સિદ્ધાર્થ ભરયુવાનીમાં રાજવૈભવ, સુશીલ પત્ની અને સુંદર પુત્રનો ત્યાગ કર્યો. તેઓ ફરતાં ફરતાં ‘ગયા’માં આવ્યા. બોધિસત્વ વૃક્ષ નીચે બેસી ઘ્યાનસ્થ થયા. તેમને જ્ઞાન થયું. તેઓ સિદ્ધાર્થમાંથી ‘બુદ્ધ’ બન્યા. બૌદ્ધધર્મના પ્રચાર માટે તેમણે સંઘ સ્થાપી અવતારી કાર્ય કર્યું. બુદ્ધે વેદ તથા વર્ણવ્યવસ્થાના અસ્વીકાર કર્યા છતાં શ્રીમદ્ ભાગવતે તેમને દસ અવતારોમાં સ્થાન આપ્યું છે એ જ...
 
 
danik bhaskar

કડવાં પ્રવચનો : ક્રાંતિ વિના શાંતિ સંભવ નથીWednesday, June 2, 2010 18:37 [IST]

Peace-is-not-possible-witho11

હું શાંતિનો સંદેશ લઇને નહીં પણ ક્રાંતિની તલવાર લઇને આવ્યો છું, કારણ કે દુનિયામાં ક્રાંતિ વગર શાંતિ સંભવ નથી. આ દેશમાં એક હરિત-લીલી ક્રાંતિની સખત જરૂરત છે. એવી ક્રાંતિ જે ઇન્સાનિયતની પ્રતિષ્ઠા અપાવે અને મરણાસન્ન માનવતામાં નવી ચેતના, નવો જાન ફૂંકી શકે. જો આજે આપણે આ ક્રાંતિ ચૂકી ગયા તો એ નક્કી છે કે કાલે આપણું અસ્તિત્વ જોખમમાં પડશે.





 
 
danik bhaskar

હું હરિનો, હરિ છે મમ રક્ષક એ ભરોસો જાય નહીંMonday, May 31, 2010 12:15 [IST]

yoga11

હરસુખભાઈને ચૂડેલ અવરનવર હેરાન કર્યા કરે છે અને એટલે તેઓ આજે વિનંતી કરવા આવ્યા હતા. સ્વામીશ્રીએ ધ્યાનથી તેમની વાત સાંભળી. જમતાં જમતાં સ્વામીશ્રી કહે, મહારાજ દયા કરશે, ધંધા પણ સારા ચાલશે અને પેલું જે હોય એનો પણ મોક્ષ થઈ જાય.



તમારે સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... કરવું અને પ્રાર્થના કરતાં કહેવું કે અમારા ગુરુએ આજ્ઞા કરી છે અને અમે પ્રાર્થના કરી છે કે તારો મોક્ષ થાય, સારી ગતિ થાય....

 
 
danik bhaskar

પુરાણ પ્રસિદ્ધ કોટેશ્વરTuesday, May 25, 2010 10:56 [IST]

koteshwar-temple1
દર વર્ષે કારતક અને ચૈત્ર સુદી એકાદશીથી પૂનમ લાગી મેળો ભરાય છે. ભૂજથી ૧૬૦ કિ.મી.ના અંતરે કોટેશ્વર આવેલ છે. જે દૂર-સુદૂર સમુદ્રના છીંછરા જળ વચ્ચે તેની દિવ્યતાનાં દર્શન કરવા દુર્લભ છે કોટેશ્વરમાં ૫૦૦૦ જેટલા બૌદ્ધ સાધુઓના ૮૦ જેટલા મઠો હતા. આ વસાહતના મઘ્યભાગમાં શિલ્પ સમદ્ધ શિવમંદિરમાં શૈવ માર્ગીઓ પૂજા-અર્ચન કરતા.રાવ દેશળજીએ ઈ.સ. ૧૭૧૮ અને સંવત ૧૮૭૭માં સુંદરજી તથા ખત્રી જેઠાએ...
 
 
danik bhaskar

વૈકુંઠ તારા હૃદયમાં છેTuesday, June 1, 2010 11:17 [IST]

Heaven-is-in-your-heart11

ખ્રિસ્તી ધર્મને ગાંધીજી સર્વોત્તમ ધર્મ તરીકે ન સ્વીકારી શક્યા. જોકે હિંદુધર્મની ત્રુટીઓય ગાંધીજીને સ્પષ્ટ દેખાતી હતી.



ગાંધીજી ‘મહાત્મા’ પદ પામ્યા તે પહેલાં એમણે ધર્મ વિશેનું ચિંતન ક્યારે, કેવું અને કેવી રીતે કર્યું હતું - એની કથા પણ રસપ્રદ છે. ૧૮૯૩ના મે માસમાં ગાંધીજી દ. આફ્રિકા પ્રથમવાર ગયા ત્યારે દાદા અબ્દુલ્લાના વકીલ મિ. એ. ડબ્લ્યુ. બેકર પાદરી પણ હતા. મિ. બેકરે...

 
 
danik bhaskar

આબુજીનાં સાંનિઘ્યમાંMonday, May 24, 2010 14:07 [IST]

ganga-1
આરાસુરી માના ઉદ્ભવ સ્થાનનાં દર્શન પણ થઇ ગયાં. આપણા ગુજરાતમાં આવેલા અંબાજીના ધામનું આ મૂળ સ્થાન છે. રામ એક ખોજ-૮ સિરોહીથી આગળ વધતાં વીરવાડા ગામ આવ્યું. માર્ગ ઉપર આવેલા ધર્મસ્થાનમાં થોડાં વર્ષ પહેલાં જ એક મહાત્માજીએ જીવતા સમાધિ લીધી હતી. પદયાત્રા દરમિયાન સાધુએ જીવતા સમાધિ લીધી હોય તેવા પ્રથમ સ્થાનનાં દર્શન થયાં. સ્થાન પર ઉપસ્થિત ભકતે સમજાવ્યું કે દેહ વિદેહ થઇ જતાં સાધુ જીવતા...
 
 
danik bhaskar

પરમેશ્વરને જ પરમ મિત્ર બનાવીએMonday, May 24, 2010 13:55 [IST]

best-friend-to-god1
જે ધનવાનો પાસે અધિક માત્રામાં ધન-સંપત્તિ-સાધનો છે તે પણ પૂર્ણ રૂપે દુ:ખોથી રહિત નથી. તેઓને પણ કોઇ ને કોઇ વિષય સંબંધિત દુ:ખ ધેરી વળેલું છે. વિશ્વ:-બધા, મર્ત: -મનુષ્ય લોકો, દેવસ્ય - દિવ્ય ગુણવાળા, નેતુ:-નેતાની, વુરીત સખ્યમ્ -મિત્રતાનો સંબંધ બનાવે, વિશ્વ:-બધા લોકો, રાયે -કેવળ સંપત્તિને માટે જ ઇષુધ્યતિ - તીર ચલાવી રહ્યાં છે, જોકે મનુષ્યોએ વિચાર કરવો જોઇએ કે તેઓ ધુમ્નમ્ - ઈશ્વરની ખુશી-આનંદની,...
 
 
danik bhaskar

સિંહ રાશિના મંગળનું ગોચર ભ્રમણ કોને કેવું ફળ આપશે?Tuesday, June 1, 2010 10:44 [IST]

journey-of-leo11

સિંહ રાશિમાં મંગળ ૨૦ જુલાઈ સુધી રહેશે. મંગળના સિંહ રાશિના આ ભ્રમણ દરમિયાન કઈ રાશિના જાતકોને કેવું ફળ મળશે તેનું નિરુપણ કર્યું છે



સૂર્ય ગ્રહોનો રાજા છે અને મંગળ સેનાપતિ. બ્રહ્માંડનો આ રાતો ગ્રહ અતિ ઉગ્ર અને જુસ્સાવાળો છે. મંગળ એ શૌર્ય અને બહાદુરીનું પ્રતીક છે. મંગળ માટે કહેવાય છે કે તે રીઝે તો રાજ આપે અને રૂઠે તો ફાંસી આપે. લગ્નજીવનમાં મંગળનું મહત્વ અને પ્રાધાન્ય અનેરું છે....

 
 
danik bhaskar

ગિરિરાજ પરિક્રમા કરવાથી થાય બેડો પારFriday, May 28, 2010 18:14 [IST]

Parikrama-of-Giriraj211

જીવનમાં એક વાર વૃંદાવનની પરિક્રમા કરવાથી જીવન સફળ થઇ જાય છે. કેટલાક સાત કોશની કેટલાક નવ કોશની પરિક્રમા કરે છે. ગિરિરાજ શ્રીકૃષ્ણનું પૂર્ણ સ્વરૂપ છે.



વૃંદાવનના કણેકણમાં શ્રીકૃષ્ણ બિરાજે છે. તેમાંય ગિરિરાજ શ્રીકૃષ્ણનું પૂર્ણ સ્વરૂપ છે. ગોવર્ધન વિશે એવો ઉલ્લેખ મળે છે કે ભગવાન શ્રીકૃષ્ણ લીલા કરવા માટે ગોલોકની ભૂમિમાંથી ચોરાશી કોશનો ભૂમિનો ટુકડો ગરુડજીની પીઠ પર મૂકીને...

 
 
danik bhaskar

ગીતાનું તત્વજ્ઞાન જે સમજે છે તેની જીવન પ્રત્યેની દ્રષ્ટિ બદલાઈ જાય છેSunday, May 23, 2010 22:09 [IST]

geeta1
વિશ્વના અનેક ચિંતકો અને વિચારવંત મહાપુરુષોએ શ્રીમદ ભગવદગીતાના વિચારોને એકઅવાજે માથે ચડાવ્યો છે અને જીવનની કૃતકૃત્યતા અનુભવી છે, પરંતુ વૈજ્ઞાનિકોએ પણ તેની મહાનતાને માન્યતા આપી છે. ૧૯૪૫ની સોળમી જુલાઈએ મેક્સિકોના ગોદોંમાં અણુબોમ્બનો વિસ્ફોટ થવાનો હતો. એ વખતે મહાન વૈજ્ઞાનિક ઓપેન હાસ્મેર અણુવિસ્ફોટથી દસ કિલોમીટર દૂર પોતાની પોલાદની સ્પેશિયલ કેબિનમાં વિસ્ફોટનો અભ્યાસ કરતા...
 
 
danik bhaskar

બેઠકવ્યવસ્થા નૈઋત્યમુખી હોવાથી ઉગ્રતા આવેSaturday, May 29, 2010 18:53 [IST]

Vastu-Nirman-2111

જો માત્ર દક્ષિણમાં જ રસ્તો મળતો હોય તો પૂર્વ અગ્નિ કે પશ્વિમ નૈઋત્યમાં દ્વાર મૂકી શકાય જેનાથી દક્ષિણનું દ્વાર ન મળે...

કુદરતનાં પાંચ તત્વોને આપણા આવાસ થકી આપણા દેહમાં પ્રાણ સ્વરૂપે કેન્દ્રિત કરવામાં મદદ કરે છે વાસ્તુ નિયમો.આજે રાહુલ પટેલના મકાનની ચર્ચા કરીએ. લંબચોરસ મકાનમાં પૂર્વ અગ્નિ અને દક્ષિણ અગ્નિના પ્રોજેક્શન છે. જેનાથી સ્ત્રીઓને તકલીફ, અણધાર્યા પ્રશ્નો આવે....

 
 
danik bhaskar

ગાંધીજીએ ‘સંતપણું’ છોડ્યું નહોતુંWednesday, May 26, 2010 19:28 [IST]

Gandhiji-and-his-saintness12

ગાંધીજીને લોકો કહેતા ‘આપ રાજકારણમાંથી જેટલા વહેલા નીકળી જશો તેટલું વધુ હિંદનું કલ્યાણ થશે.’ ટોચના રાજકારણીઓને એમની સલાહ-સૂચના દખલરૂપ લાગતી.



સ્વામી આનંદે મહાત્મા ગાંધીને કહ્યું હતું, ‘તમે ગીતાનો જે અર્થ કરો તે અર્થ ત્યારે જ સમજાય જ્યારે તમે એક વાર આખી ગીતાનો અનુવાદ કરી જાઓ અને તેની ઉપર ટીકા કરવી હોય તો કરો ને અમે તે આખું એક વાર વાંચી જોઈએ. છૂટાછવાયા શ્લોકમાંથી...

 
 
danik bhaskar

હસ્તરેખા અને તલTuesday, May 25, 2010 13:15 [IST]

Hand-lines11

હસ્તરેખા અને હથેળીમાં તલનાં વિવિધ સ્થાનો જોઈને નીચે પ્રમાણે ફળ કહેવું.



- શુક્રના પહાડ પર તલ હોય તો આકસ્મિક ધનલાભ થાય. શેર-સટ્ટાથી ફાયદો થાય. લગ્ન વહેલાં થાય.- આયુષ્યરેખા પરનો તલ ઝેરી જીવજંતુ કરડવાના ભયની નિશાની છે. તેમજ અસાઘ્ય રોગનું સૂચન પણ કરે છે.- યાત્રા-મુસાફરી દર્શાવતી રેખા પર તલ હોય તો તે દરમિયાન જાતકનું મૃત્યુ થાય છે.- ભાગ્યરેખા પર તલ હોય તો ધનસંપત્તિ તથા ભાગ્યનો નાશ...

 
 
danik bhaskar

દેહ દેવાલય છે માટે આપણું દરેક કર્મ પૂજા જેવું જ હોવું જોઈએSaturday, May 22, 2010 19:26 [IST]

yoga11

વડીલો જો ખોટું કરતા હોય તો તેનો વિરોધ કરવાની શાસ્ત્રો અનુમતિ આપે છે. ખોટું કરનાર પિતાનો પ્રહ્લાદે વિરોધ કર્યો હતો. વડીલોની વાતો શિરોમાન્ય રાખીએ, પણ તેઓ ખોટું કહેતા હોય તો વિનય સહિત એનો વિરોધ કરવો જોઈએ. યુવાનો સમજે તો તેને ધન્યવા છે. એની યુવાની દીપી ઊઠશે. સૌને આનંદ આપે તે નંદ. જયાં જાઓ ત્યાં આનંદ થાય તે નંદ અને જયાંથી જે જાય પછી આનંદ થાય તે ‘નનંદ’. નનંદ એટલે નણંદ. નંદનાં બહેનનું...

 
 
danik bhaskar

રામ જે રસ્તે ચાલ્યા તે...Thursday, May 27, 2010 12:28 [IST]

lord-rama-walked11

સમાધિ શબ્દનો અર્થ ઘણો ગહન અને વિસ્તૃત છે. સમાધિ એટલે લક્ષ્ય અને સાધકનું એકરૂપ થવું. સમાધિ એ માત્ર આઘ્યાત્મિક ક્રિયા નથી. જીવનના દરેક ક્ષેત્રમાં તે પ્રસ્તુત છે.



વનવાસના શાપને રાષ્ટ્રની ભાવનાત્મક એકતાના યજ્ઞના અવસરમાં પલટાવનાર તપ-ત્યાગ અને સૌજન્યના પ્રતીક સમા શ્રીરામનું જીવનકવન પોતે જ એક બોધકથા બની રહે છે. ‘રામાયણ’ શબ્દનો અર્થ બહુ સૂચક છે, ‘રામ જે રસ્તે ચાલ્યા તે’....

 
 
danik bhaskar

પ્રેમલગ્નની શક્યતાનો સંકેત એટલે મંગળ-શુક્રની યુતિThursday, May 20, 2010 10:53 [IST]

Bhagya-bhed1
મંગળ સાથે ચંદ્ર જોડાય ત્યારે ચંદ્ર-મંગળનો માંગલ્ય યોગ સર્જાય છે જેને લક્ષ્મીયોગ પણ કહે છે. ચંદ્ર-મંગળની યુતિવાળા જાતકોને ધનનું સુખ સારું હોય છે. મંગળ પૌરાણિક શાસ્ત્રો અનુસાર પૃથ્વીપુત્ર ગણાય છે. મંગળપ્રધાન વ્યક્તિમાં ભગવાન શિવનો જુસ્સો, ગુસ્સો અને પૃથ્વી સમાન માતૃત્વની ઉદારતા જોવા મળે છે. મંગળ એ અગ્નિ તત્વનો ગ્રહ છે. મંગળ એટલે જ શુભ, કલ્યાણકારી અને પવિત્ર, આમ છતાં જ્યોતિષીઓએ...
 
 
danik bhaskar

વિજય માટે પૂરતો ધર્મમય રથWednesday, May 19, 2010 18:17 [IST]

religion-to-win1
ધર્મમય રથ સંસારરૂપી મહા અજય શત્રુને જીતી શકે છે, તો રાવણને કેમ જીતી ન શકે ? સંતશ્રી ગોસ્વામી તુલસીદાસકૃત ‘શ્રીરામચરિત માનસ’ના લંકાકાંડનો શ્રીરામ દ્વારા વિભીષણને કહેવાયેલો ‘ધર્મમય રથ’ ઉપદેશ સૌ કોઈના જીવનને ઉજાગર કરે છે. વિભીષણ શ્રીરામને કહે છે, તમારી પાસે રથ નથી, શરીરનું રક્ષણ કરનાર કવચ નથી, જોડાં પણ નથી, અતિ બળવાન રાવણને તમે જીતી શકશો ? શ્રીરામે વિભીષણની શંકા દૂર થાય એવું...
 
 
danik bhaskar

સૂફી વિચારનાં મૂળMonday, May 24, 2010 12:41 [IST]

sufi-thoughts11

સૂફી વિચારનાં મૂળમાં કુરાન-એ-શરીફ, મહંમદ સાહેબ અને ઇસ્લામના ખલીફાઓનાં આદર્શ જીવન પડેલાં જોવા મળે છે.



સૂફી વિચાર પ્રેમનો માર્ગ છે. જ્યાં પ્રેમ એ જ મજહબ છે, ઈબાદત છે. ‘ફરહંગે આનદરાજ’ નામક ફારસી શબ્દકોશમાં સૂફીની વ્યાખ્યા આપતાં લખ્યું છે, ‘પોતાના દિલને શૈતાનિક માર્ગોથી દૂર રાખી પયગમ્બરે ચીંધેલા માર્ગે અલ્લાહની ઈબાદત અને રિયાઝ કરે અને અલ્લાહના દરેક બંદાને પ્રેમ કરે તે...

 
 
danik bhaskar

કડવાં પ્રવચનો : તમે જલધારા બનોTuesday, May 18, 2010 15:35 [IST]

have-peace1
ક્રોધને જીભનો સાથ આપવાનું બંધ કરી દો, જીવનના અડધા ઝઘડા આજે જ, અત્યારે જ ખતમ થઈ જશે. ક્રોધ એ ખરાબ નથી. ક્રોધને જીભનો સાથ મળે તે ખરાબ છે. જો ક્રોધને જીભનો સાથ ન મળે તો ન બરાબર રહી જાય છે અને મનમાં પેદા થયેલા ક્રોધને જીભનો સાથ મળી જાય તો જીવનમાં મહાભારત મચી જાય છે. ક્રોધને જીભનો સાથ આપવાનું બંધ કરી દો, હું ખાતરી આપું છું કે, જીવનના અડધા ઝઘડા આજે જ, અત્યારે જ ખતમ થઈ જશે. ક્રોધ અંગારા છે, તમે...
 
 
danik bhaskar

સૈકાઓથી સંસ્કૃતિનું પરમધામ સોમનાથ મંદિરThursday, May 20, 2010 11:41 [IST]

Somnath11

સોમનાથનો સંદેશો એ છે કે, સંહારની શક્તિ કરતાં સર્જનની શક્તિ ચઢિયાતી હોય છે. તેને નેસ્તનાબૂદ કરનારી વિશ્વની કોઈ શક્તિ અસ્તિત્વ ધરાવતી નથી.



સૈકાઓથી સોમનાથ મંદિર ભકિત, શ્રદ્ધા અને સંસ્કૃતિનું પરમધામ રહ્યું છે. સોમનાથનું આકર્ષણ અને સંદેશો એ છે કે, સંહારની શક્તિ કરતાં સર્જનની શક્તિ હંમેશાં ચઢિયાતી હોય છે. સોમનાથનું આ મંદિર જગત સમક્ષ ડંકો બજાવીને કહે છે કે જેને માટે લોકદિલમાં...

 
 
danik bhaskar

વૈદિક ધર્મ તથા અદ્વૈત મતને પુન:જીવન આપનારા આદિ શંકરાચાર્યFriday, May 21, 2010 19:34 [IST]

Adi-Guru-shankaracharya11

શંકરાચાર્યે ધાર્મિક એકતાનું જે યુગકાર્ય કર્યું તેથી તેમના જીવનને ભગવાન આશુતોષનો અવતાર માનવામાં આવે છે.



આઘ્યાત્મિક સાધના માટે બે માર્ગો સૂચવ્યા છે. એક ઘરગૃહસ્થમાં રહીને, પ્રવૃત્તિ માર્ગ અપનાવીને સાધના કરવી. બીજો માર્ગ છે નિવૃત્તિ માર્ગ અર્થાત્ સંન્યાસ લેવાનો. શંકરાચાર્ય સંન્યાસને મોક્ષના સાધન તરીકે સ્વીકારે છે. ધાર્મિક-આઘ્યાત્મિકક ક્ષેત્રે શંકરાચાર્યનું પ્રદાન...

 
 
danik bhaskar

નેપાળના પશુપતિનાથWednesday, May 19, 2010 18:51 [IST]

Pashupattinath-temple11

પશુપતિનાથના મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે.



નેપાળના કાઠમંડુ શહેરમાં આવેલા પશુપતિનાથના મંદિરે જવા માટે મુખ્ય બે રસ્તે (બોર્ડર) થઈ જવાય છે. એક બિહારની રક્સોલ બોર્ડર પરથી અને બીજી સનોલી બોર્ડર યુ.પી. થઈને. જો બાય રોડ જવું હોય તો બિહારની બોર્ડર સારી પડે છે. પશુપતિનાથના મંદિરમાં હજારો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે. મંદિરમાં ભવ્ય શંકર ભગવાનની મૂર્તિ છે. જેનાં દર્શન...

 
 
danik bhaskar

જીવનને સદ્ગુણોથી સુગંધિત બનાવોSaturday, May 15, 2010 19:43 [IST]

virtues1
અજ્ઞાન, આળસ, પ્રમાદ, સ્વાર્થ, વિષયાસકિત, નાસ્તિકતા વગેરે તમામ અવગુણોનો નાશ કરી હું મારા અંત:કરણને પવિત્ર બનાવવા ઇચ્છું છું. અસ્માત્ - આ યજમાનથી ત્વમ્ - તમે અગ્નિદેવ અશ્વિજાત: - ઉત્પન્ન/પ્રકટ અસિ - થયું છે/ થાય છે ત્વદ્- તમારાથી અયમ્ -આ યજ્ઞકર્તા જાયતામ્ - ઉત્પન્ન થાવ પુન: - ફરીવાર અસૌ - જેનાથી આ યજમાન સ્વર્ગાય લોકાય - સ્વર્ગ-મોક્ષ સુખને માટે અધિકારી પાત્ર બની જાય સ્વાહા- તે હેતુથી અમે આ...
 
 
danik bhaskar

પ્રાણીઓની રહસ્યમય શક્તિઓSaturday, May 15, 2010 19:19 [IST]

strength-of-animals1
છેલ્લા વિશ્વયુદ્ધ સમયે ઘણા સૈનિકો પાસે કૂતરાં, બિલાડાં, બતક જેવાં પ્રાણીઓ હતાં. સૃષ્ટિના સર્જનકાળથી જ પ્રાણીઓ અને માનવો વચ્ચે અનોખી તાદાત્મ્યતા પ્રવર્તે છે. મૂક અને અબોલ જીવજંતુઓ માનવીની સંવેદનાઓ અદ્ભુત રીતે પામી જતા હોય છે. બિલાડી, કૂતરો, ગાય, ઘોડો, પોપટ વગેરે ઘરેલુ પશુ-પંખીઓ પાળવા પાછળ પણ તેમનામાં રહેલી રહસ્યમય શક્તિઓ જ કારણભૂત હોય છે. આ વર્ષની શરૂઆતમાં જ છાપાં અને ન્યૂઝ...
 
 
danik bhaskar

શરીરનાં સાત ચક્રોનો પ્રકાશ એટલે ઓરાSaturday, May 15, 2010 19:15 [IST]

Aura-of-seven-chakra-of-bod1
આજે આપણે અહીં આભામંડળના પોઝિટિવ અને નેગેટિવ રંગો વિશે ચર્ચા કરીશું. સફેદ રંગ :- ઘાટો વાદળી રંગ, આછો વાદળી, લીલો, નારંગી, ઘાટો લાલ, આછો લાલ, જાંબલી, પીળો- કેસરી, ગુલાબી રંગ ઉપરના રંગોને પોઝિટિવ ઈફેક્ટ તરીકે લેવામાં આવે છે. કાળો રંગ, કથ્થઈ, ધૂંધળો પીળો જેને નેગેટિવ આભામંડળ તરીકે ગણવામાં આવે છે. હવે આ રંગોથી વ્યક્તિની પરખ, પ્રગતિ, આર્થિક, માનસિક, શારીરિક શક્તિની પૂરી પરખ થઈ શકે છે. સફેદ...
 
 
danik bhaskar

ઉત્તરમુખી રસોઇ સ્ત્રીને ભૌતિકતાવાદી વિચારો આપેTuesday, May 18, 2010 16:02 [IST]

vastu-nirman--211

વાયવ્યમાં બેડરૂમ અને પશ્વિમ તરફ માથું રાખીને સૂવાની વ્યવસ્થા ખોટા વિચારો સાથે જીદ આપે.



ક્યારેક માણસની એક અલગ જ સ્વપ્નની દુનિયા હોય છે. વાસ્તવિક જીવન તેના માટે ખૂબ આકરું બને છે. આવું બને છે નકારાત્મક ઊર્જા થકી. જીવન જીવવા માટે હકારાત્મક વિચારો આપે છે વાસ્તુશાસ્ત્ર.



આજે આપણે અભ્યાસ કરીએ મુકેશભાઇ મહેતાના ખૂબ જ ખાંચાખૂંચીવાળા મકાનનો. પૂર્વ મઘ્યમથી પૂર્વ અગ્નિવાળો ભાગ...

 
 
danik bhaskar

મોહેં કહાં બિશ્રામ...Friday, May 14, 2010 18:53 [IST]

Understanding-of-samadhi1
સમાધિ એ માત્ર આઘ્યાત્મિક ઘટના નથી. તેને એક સુદ્રઢ મનોવૈજ્ઞાનિક આધાર છે. યોગ યાત્રાનો છેલ્લો પડાવ છે, સમાધિ. સમાધિ એટલે નિતાંત શાંતિ. સમાધિ એટલે નિરવતા. સમાધિ એટલે નિરપેક્ષતા. સમાધિ એટલે શૂન્યતા. શૂન્યતા એટલે નામ-રૂપનો અભાવ. સમાધિ એટલે જીવનો શિવ સાથે સંગમ. સમાધિ એટલે ચોખ્ખા થયેલા આયનામાં આત્મદર્શન. સમાધિ પરમ પિતાના સાંનિઘ્યની દિવ્ય અનુભૂતિનો ઝબકારો છે. ‘હું’ ‘તું’ની ગાંઠોને...
 
 
danik bhaskar

સૂફીસંતોની ઇબાદતMonday, May 17, 2010 14:55 [IST]

Ibadat-of-sufi-saints111

સૂફીસંતો ખુદાની ઇબાદત અપેક્ષા વગર, ખુદાને પ્રિયતમા સમજી પાગલની જેમ કરે છે.

સલાત એટલે નમાજ. નમાજ એટલે પ્રાર્થના, ઇબાદત. દરેક ધર્મમાં ઇબાદત (ભક્તિ) માટેની ખાસ પદ્ધતિ નક્કી કરવામાં આવી છે. ઇસ્લામમાં પણ નમાજ, ઇબાદત માટે ખાસ ક્રિયા નક્કી કરવામાં આવી છે. જોકે નમાજમાં એકાગ્રતાનું મહત્વ છે અને એટલે જ સૂફીઓ ઇબાદત માટે ક્રિયા કરતાં એકાગ્રતાને વિશેષ મહત્વ આપે છે, એવું સામાન્ય રીતે...

 
 
danik bhaskar

ચિરંજીવી, શૌર્યતા, જ્ઞાનના સંગમ સમાન ભગવાન પરશુરામThursday, May 13, 2010 18:58 [IST]

lord-parshuram1
આરાઘ્ય દેવ મહાદેવ દ્વારા પ્રાપ્ત અમોધ ‘પરશુ’ ઉઠાવી સહસ્ત્રાર્જુનના દશ હજાર પુત્રોનો સંહાર કર્યો ત્યારથી તેઓ ‘પરશુરામ’ કહેવાયા. તેઓ ભીષ્મ પિતામહ અને કુંતીપુત્ર કર્ણના પણ વંદનીય ગુરુ હતા. જ્યાં સુધી ભીષ્મ પિતામહ હતા ત્યાં સુધી ભગવાન પરશુરામ મહાભારત યુદ્ધના શ્રેષ્ઠ જ્ઞાની, નીતિવિષયક અને સેનાપતિ તરીકે પણ રહી ચૂક્યા હતા. વૈશાખ સુદ ત્રીજ, અક્ષયતૃતીયા એટલે અખાત્રીજનું ભારતીય...
 
 
danik bhaskar

સૂફીસંતોની ઇબાદતWednesday, May 12, 2010 17:02 [IST]

DHARM_rahe-roshan-1
સલાત એટલે નમાજ. નમાજ એટલે પ્રાર્થના, ઇબાદત. દરેક ધર્મમાં ઇબાદત (ભક્તિ) માટેની ખાસ પદ્ધતિ નક્કી કરવામાં આવી છે. ઇસ્લામમાં પણ નમાજ, ઇબાદત માટે ખાસ ક્રિયા નક્કી કરવામાં આવી છે. જોકે નમાજમાં એકાગ્રતાનું મહત્વ છે અને એટલે જ સૂફીઓ ઇબાદત માટે ક્રિયા કરતાં એકાગ્રતાને વિશેષ મહત્વ આપે છે, એવું સામાન્ય રીતે માનવામાં આવે છે, પણ એ સત્ય નથી. ઇસ્લામમાં પાંચ વક્તની નમાજ ફરજિયાત છે. સૂફી સંતોએ એ...
 
 
danik bhaskar

ધનવર્ષા કરવા અખાત્રીજનો આ પ્રયોગ કરવો રહ્યોTuesday, May 11, 2010 14:06 [IST]

experiment-of-Akshay-Tritiy1
લક્ષ્મીજીની ચંચળતાને સ્થિર અને શાંત કરવાનો ઉત્સવ એટલે અખાત્રીજ. વિષ્ણુ ભગવાનના અવતરણનો આ દિવસ છે અને પ્રખર પુરુષ પરશુરામની જયંતી પણ આ દિવસે જ આવે છે. હિંદુ શાસ્ત્ર અને મુહૂર્ત અનુસાર અખાત્રીજ અર્થાત્ અક્ષયતૃતીયાને વર્ષનાં શ્રેષ્ઠ વણજોયાં મુહૂર્તમાં ગણવામાં આવે છે. લક્ષ્મી પ્રાપ્તિ માટે દિવાળી ટાણે સાધના પૂજા કરવામાં આવે છે, કારણ કે દિવાળી પર્વ લક્ષ્મીનું ઉત્પત્તિ પર્વ...
 
 
danik bhaskar

મા ચામુંડાનું ધામ સુન્ધામાતા (સુન્ધાપર્વત)Tuesday, May 11, 2010 13:09 [IST]

Ma-Chamunda-temple1
આ સુગંધાદ્રિ પર્વત પર ગુફામાં ચામુંડામાં સ્વયં પ્રકટ થયા હતા. માતાજીનું મંદિર પહાડીઓની વચ્ચે ગુફામાં આવેલું છે. રાજસ્થાનમાં ભીનમાલ - રાણીવાડા વચ્ચે ૧૦ કિ.મી. દૂર જસવંતપુરા રોડ પર શ્રી સુન્ધા-ચામુંડાદેવીનું સ્થાન આવેલું છે. અરવલ્લીની ગિરિમાળામાં પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર સુગંધાદ્રિ પર્વત પર શ્રી ચામુંડા ભગવતી બિરાજમાન છે. મોટા-મોટા પથ્થરોની વચ્ચેથી વહેતાં નર્મિળ જળનાં...
 
 
danik bhaskar

મિની ડાકોર એટલે મરોલીનું શ્રી રણછોડરાય ધામMonday, May 10, 2010 14:11 [IST]

Ranchhodray-temple-of-Marol1
પ.પૂ. ડોંગરેજી મહારાજે આ ધામને ‘રામેશ્વર શિવલિંગ’ અર્પણ કર્યું હતું. જે તેઓ સ્વયં પાવન જળમાં ડૂબકી મારીને લઈ આવ્યા હતા. નવસારીથી દસેક કિ.મી.ના અંતરે મરોલી નજીક છીણમ રોડ ઉપર આવેલું રણછોડરાય ધામ અતૂટ શ્રદ્ધા અને ભક્તિના ત્રિવેણી સંગમનું તીર્થ બન્યું છે. સુપ્રસિદ્ધ ડાકોર તીર્થધામ બાદ મરોલીનું રણછોડરાય ધામ મિની ડાકોરનું સ્થાન પ્રાપ્ત કરી ચૂક્યું છે. આ ધામની વિશેષતા એ છે કે તેના...
 
 
danik bhaskar

મનને પુષ્ટિદાયક ખોરાક આપોFriday, May 14, 2010 19:43 [IST]

food-for-mind11

માનવી મનનું પણ તેવું જ છે. મનને સમર્થ બનાવવું હોય તો કાળજીપૂર્વક તે પુષ્ટ થાય તેવો ખોરાક આપવો જોઇએ.



જીવનના બે સ્પષ્ટ રાહ છે. એક ઊર્ધ્વગતિનો અને બીજો અધોગતિનો. પહેલો રાહ જીવનમાં સુખ-શાંતિ અને સમાધાન લાવનારો છે. બીજો રાહ કલહ અને અશાંતિ આપનારો છે, વિનાશ તરફ જનારો છે. માનવીએ પોતે જ નક્કી કરવાનું છે કે તેણે કયો રાહ લેવાનો છે.



ગીતામાં પણ ભગવાને કહ્યું છે, ‘આ લોકમાં જીવનના બે જ...

 
 
danik bhaskar

બાળકના મિત્ર બનોSunday, May 09, 2010 16:59 [IST]

friend-of-child1
એક વિદ્વાનના મત અનુસાર બાલ્યાવસ્થા જ એવી અવસ્થા છે, જેમાં વિશેષ પરિશ્રમ વગર જ જ્ઞાન ગ્રહણ કરી શકાય છે સરળતા બાળકનો સ્વભાવિક ગુણ છે, કોઇ બળજબરી કરવામાં ન આવે તો બાળકોમાં પ્રત્યેક ક્ષણે સરળતાનો ભાવ દેખાય છે. જો તેનો સ્વાભાવિક રીતે વિકાસ કરવામાં આવે તો આ ગુણ તેના વ્યક્તિત્વમાં સ્થાયી રીતે જોડાઇ જાય છે. યાદ રાખવા જેવું એ છે કે બાળકોની પ્રવૃત્તિ અનુકરણપ્રધાન છે. બાળક સાથે...
 
 
danik bhaskar

મિથ્યાજ્ઞાનને કારણે અભિમાન વધે છેSaturday, May 08, 2010 19:05 [IST]

veda1
આશ્ચર્ય તો ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ સ્વયં પોતાના જીવનમાં હજારો વ્યક્તિઓને રોજ મરતા જુએ છે, પરંતુ પોતાના વિષયમાં એવું માને છે કે હું મરીશ નહીં. અશ્વત્થે - અસ્થિર- અનિશ્વિત શરીરમાં, વ: - તમો જીવોના, નિષદમ્ - રહેઠાણ છે, પર્ણે- પાંદડાં પર (ઝાકળનાં ટીપાં જેવું) વ: - તમારું, વસતિ: - ઘર, કૃતા - બનાવેલ છે, ગોભાત ઇત્ કિલ અસથ -તમે તો માત્ર ઇન્દ્રિયોના વિષય સેવન કરવાવાળા જ બની ગયા છો યત્સનવથ...
 
 
danik bhaskar

હૃષીકેશથી પ્રસ્થાનSaturday, May 08, 2010 18:50 [IST]

Rishikesh1
ઊથલપાથલોના શહેર દિલ્હી પહોંચ્યો ત્યારે એક ઊથલપાથલ મારી રાહ જોઇ રહી હતી. ગંગોત્રી પહોંચવા માટે દિલ્હીથી પ્રસ્થાન કર્યું . રામ એક ખોજ-૬ દેવભૂમિના પ્રવાસ દરમિયાન કાવડ વિષે જાણ્યું હતું. આગળ અંતર લાબું કાપવાનું હતું. કાવડ જેવી રચના કરી લેવાથી વજન વહેંચાઇ જતાં ચાલવામાં પણ સુગમતા રહે તેવો વિચાર આવ્યો. પરંતુ યાત્રા આગળ ધપાવવી કઇ રીતે? ચાલવાના કારણે પગના તળિયે મસમટા ફોલ્લા પડ્યા...
 
 
danik bhaskar

માનસી ગંગામાં સ્નાન એટલે ઘ્યાન...Saturday, May 08, 2010 18:44 [IST]

Dhyan1
મનના હિમાલયથી દિલના દરિયા સુધી ખળખળ વહી જતો પ્રામાણિક શ્રદ્ધા અને અડગ કર્તવ્યનિષ્ઠાનો પ્રવાહ એટલે માનસી ગંગા! ઘ્યાન ક્યાં કરવું જોઇએ? મંદિરમાં, પર્વતની ગુફામાં, નદીકિનારે કે જંગલમાં? જવાબ : જ્યાં મન સ્થિર અને શાંત થાય ત્યાં. દરેક માટે કોઇ એક સ્થળ સૂચવી ન શકાય, પરંતુ જ્યાં પ્રકતિનાં પાંચેય તત્વ તેમની શ્રેષ્ઠ અવસ્થામાં હોય તેવું સ્થળ ઘ્યાન માટે આદર્શ ગણાય. કૈલાસ માનસરોવરની...
 
 
danik bhaskar

શરીરનાં સાત ચક્રોનો પ્રકાશ એટલે ઓરાFriday, May 07, 2010 12:00 [IST]

aura1
માનવીને તેનું નસીબ અને કર્મ આ ઓરા પ્રકાશથી તેવી જ ચોક્કસ દિશામાં જ ખેંચી જાય છે. તેનાથી ત્યાં તેની કારકિર્દી બદલાય છે. પ્રભામંડળમાં ઘણા રંગ હોય છે. (જેમ કે જા,ની,વા,લી,પી,ના,રા) જેનાં સાત ચક્રોના સાત કલર જોવા મળે છે. ઉપરનો પ્રયોગ કોઇ પણ સફેદ કપડા, સફેદ પ્રકાશથી તેમજ કોઇપણ સ્થિર કુદરતી પ્રકાશથી અને શાંત જગ્યાએ કરવાથી સફળતા જલદી મળશે. આભા(પ્રભા) જોતી વખતે સફેદ આછાં કપડાં પહેરવાથી વધુ...
 
 
danik bhaskar

સૂફીમત : અદભૂત ગ્રંથTuesday, May 11, 2010 14:06 [IST]

sufimat11

‘સૂફીમત’ પુસ્તકનાં કુલ ૧૫ પ્રકરણોમાં સૂફીમતનો સંક્ષિપ્ત ઇતિહાસ, સૂફી સાહિત્યનાં ખાસ અંગો, ફારસી સાહિત્યમાં સૂફીમત, સૂફી સિલસિલાઓ, સૂફીમતના વિકાસમાં અન્યનો ફાળો અને ભારતમાં સૂફીમત જેવાં સંશોધનાત્મક પ્રકરણો સૂફીમતના અભ્યાસુઓ માટે રસપ્રદ શૈલીમાં લખાયેલાં છે.



મારા મિત્ર ડો. મુગટલાલ બાવીસીએ મને ફારસી ભાષાના પ્રસિદ્ધ વિદ્વાન સદ્ગત ડો. છોટુભાઇ નાયક (૧૯૧૩-૧૯૭૬)નું...

 
 
danik bhaskar

ઇચ્છાપૂર્ણ કરતા રોકડિયા હનુમાનજીWednesday, May 05, 2010 11:59 [IST]

rokadia-hanuman1
એવી પણ માન્યા છે કે અહીં દર્શન કરનારની યાત્રા અચૂક સફળ રહે છે અને તેને અકસ્માત થતો નથી અને તેથી જ તો યાત્રાનાં દરેક વાહનો અહીં દર્શન માટે રોકાય છે પછી જ આગળ વધે છે. હિંમતનગરથી માત્ર ૭ કિ.મી.ના અંતરે અંબાજી હાઇવે પર આવેલું આ પવિત્ર યાત્રાધામ એટલે રોકડિયા હનુમાનજીનું મંદિર. અત્યંત પ્રાચીન એવા આ મંદિરની હનુમાનજીની મૂર્તિને પથ્થરમાંથી ટાંકીને બનાવવામાં આવી નથી પરંતુ સ્વયંભૂ રીતે...
 
 
danik bhaskar

માતા સ્વર્ગથી પણ સુંદર છેThursday, May 13, 2010 19:45 [IST]

Mother-is-beautiful11

મીઠા મધુ ને મીઠા મોરલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...૯ મેના રોજ માતૃદિન આવે છે. આ પુણ્યભૂમિ પર એવા કેટલાંય સંત-મહાત્મા થઈ ગયા છે, જેમની માતૃભક્તિ અનન્ય છે. અહીં પ્રસ્તુત છે માતૃઋણનો આદર કરી માતાનો મહિમા વધારનાર માતૃભક્ત સંતોની માતૃવંદનાની વાતો.



ભારતની ભૂમિ બહુરત્ના વસુંધરા છે. આ ભૂમિનાં સંતાનોએ દેશ-વિદેશોમાં ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી છે....

 
 
danik bhaskar

કડવાં પ્રવચનો : દામોદરનું પણ ઘ્યાન રાખોTuesday, May 04, 2010 14:52 [IST]

TARUNSAGAR1
દામોદરને પ્રેમાળ આંખો, શ્રદ્ધાથી નત મસ્તક, સહયોગ કરતા હાથ, સત્પથ પર ચાલતા પગ અને મીઠી વાણી પસંદ છે. દામાદ ઘરે આવે તો આપણે તેનું કેટલું ઘ્યાન રાખીએ છીએ? ભગવાન પણ દામોદર છે, આપણે તેમનું પણ ઘ્યાન રાખવું જોઇએ. દામોદરને પ્રેમાળ આંખો, શ્રદ્ધાથી નત મસ્તક, સહયોગ કરતા હાથ, સત્પથ પર ચાલતા પગ અને મીઠી વાણી પસંદ છે. ધૃણા ભરેલી આંખો, જુઠ્ઠી જીભ, અહંકારથી ઊઠેલું મસ્તક, બીજાના અધિકાર છીનવતા હાથ...
 
 
danik bhaskar

...અને આપણને મહાત્મા મળ્યાSunday, May 9, 2010 17:10 [IST]

And-we-got-mahatma11

તમારાં સંતાનોની નાની-મોટી ભૂલોને માફ કરતા શીખો. ધાકધમકી આપવાને બદલે પ્રેમથી સમજાવશો તો શક્ય છે કે આવતીકાલે તમારા સંતાનમાં પણ સંતપણું પ્રગટે.



અહિંસા વિશે બુદ્ધ અને મહાવીર જેવા ઇશ્વરીય અવતારોએ જેટલું અને જેવું ચિંતન કર્યું હતું તેવું અને તેટલું ચિંતન આપણા કાળમાં મહાત્મા ગાંધીએ કર્યું છે. મહાત્માજીએ સ્વીકારેલી જીવનશૈલી જ એવી હતી કે સત્ય, અહિંસા અને પ્રેમ સિવાય એ એક ડગલુંય...

 
 
danik bhaskar

પંચતીર્થ તરીકે જાણીતું નર્મદાતટે આવેલું કોટિતીર્થMonday, May 03, 2010 15:08 [IST]

Kotitirth-of-Narmada1
નર્મદાની પાવનકારી જળરાશિમાંથી ઇશ્વર ઇચ્છાથી કોટિ-કોટિ શિવલિંગ પ્રાપ્ત થાય છે તેથી આ તીર્થ ‘કોટિતીર્થ’ કહેવાયું. ભરૂચથી પૂર્વમાં મહાભારત કાળમાં નૈમિષારણ્ય ગણાતા નર્મદાના ઉત્તર તટે શુક્લતીર્થ-કડોદ ક્ષેત્રમાં ‘કોટિશ્વર’ તીર્થ આવેલું છે. અહીં દર અઢાર વર્ષે અધિક વૈશાખમાં એક માસ સુધી યજ્ઞ-તપ-જપ- સ્નાન-પિતતર્પણ-પૂજા-કીર્તન-પગપાળા પ્રવાસ-તીર્થાટનની સાથે પરંપરાગત મેળો ભરાય છે. ...
 
 
danik bhaskar

સમર્પણના ભાવ સાથે ભગવાનના શરણે જાવ તો મુક્તિ અવશ્ય મળેMonday, May 03, 2010 00:03 [IST]

pandurang-shastri11
માનવીનું જીવન અનેક પ્રકારના મનોવ્યાપારથી ભરેલું છે. સારા, નરસા, શુભ, અશુભ એવી અનેક વૃત્તિઓથી માણસનું મન ઘેરાયેલું રહેતું હોય છે અને તેથી માનવી જીવનનું એક એવું પોત છે કે જે કેવળ શુભ પણ નથી અને અશુભ પણ નથી, પરંતુ માનવીનું મન જીવનના શુભ-અશુભ, સારા-નરસા તાંતણાથી રોજબરોજ વણાતા જીવન પર નિર્ભર છે. રોજબરોજ તેના મનમાં કંઈ ને કંઈ વિચારો આવ્યા જ કરતા હોય છે. તે વિચારો કેવા છે? શુભ કે અશુભ; સારા...
 
 
danik bhaskar

ક્લબમાં આ આધ્યાત્મિક મિટિંગ છે : મોરારિ બાપુSaturday, May 01, 2010 21:28 [IST]

morari-bapu1
- પ્રથમવાર કર્ણાવતી ક્લબમાં એરકન્ડીશન્ડ મંડપમાં રામકથાનો થયેલો પ્રારંભ - ગુજરાતની સુવર્ણ જયંતી નિમિત્તે પાંચ કથા કરીશ : બાપુ સામાન્ય રીતે ક્લબમાં મિટિંગો વધુ થાય ત્યારે આ આધ્યાત્મિક મિટિંગ છે, એમ મોરારિ બાપુએ શનિવારે કર્ણાવતી ક્લબમાં પ્રથમવાર ૩૦ હજાર શ્રોતાઓ બેસી શકે એવા એરકન્ડીશન્ડ મંડપમાં યોજાયેલ ‘સ્વર્ણિમ ગુજરાત રામકથા’‘માનસ સુરાજ’ના પ્રથમ દિવસે જણાવ્યું હતું. આ...
 
 

shopping

D& G Mens rugby Watch
D& G Mens rugby Watch
Reebok Combo
Reebok Combo
Passport Case
Passport Case