રોટલીનો જોગ કરવામાં ભૃગુસંહિતાનું એ જ સ્થાન છે, જે ફેક્ટરીનું ટર્નઓવર વધારવામાં ધર્મશાળાના દાનનું.
વાસ્તુશાસ્ત્ર એનું થાય, જેની પાસે વાસ્તુ હોય. સલામતીનો ડર એને હોય, જેની તિજોરી છલોછલ ભરેલી હોય. દીવો એ પ્રગટાવે છે, જેને ઘીની ફેક્ટરીમાં નુકસાન જવાની આશંકા હોય. એન. ટી. રામારાવને જ્યોતિષીઓએ સૂચવ્યું એટલે વિધાનસભા સચિવાલયનો દરવાજો બદલાવી નાખેલો. જયાં નવું ઘર બનાવવામાં આવ્યું...