
મુઘલ બાદશાહ શાહજહાંએ તેમની પત્ની મુમતાઝ પ્રત્યેના પ્રેમને અમર બનાવવા માટે તાજમહેલનું નિર્માણ કરાવ્યું. તેણે લખલૂંટ ખર્ચે તાજમહેલ બનાવ્યો, જે આજે પણ અમર પ્રેમની સાક્ષી પૂરે છે. દેશભરમાંથી અને વિદેશોમાંથી પણ દરવર્ષે લાખો લોકો આગ્રામાં આ સ્મારકની મુલાકાત લેતા હોય છે. અને તેમના પ્રેમને પ્રત્યક્ષ નિહાળે છે.
પરંતુ, મળતી માહિતી પ્રમાણે, અત્યારસુધી આગ્રામાં જોવા મળતો...



ડી.બી.કોર્પના પબ્લિક ઇશ્યૂને દેશ-વિદેશના રોકાણકારો તરફથી જે પ્રેમ અને સમર્થન મળ્યું છે, તેના પ્રત્યે સમગ્ર ભાસ્કર પરિવાર નતમસ્તક છે. મીડિયા જગત માટે પણ આ એક અભૂતપૂર્વ અને ઉત્સાહ વધારનારો અનુભવ છે કે ભાસ્કરનો પબ્લિક ઇશ્યૂ ૩૯.૫૪ ગણો છલકાઈને મંગળવારે બંધ થયો છે.
ભાસ્કર પરિવાર માટે આ એક એવી જ ક્ષણ છે, જયારે જૂથે રાજસ્થાન, ગુજરાત, મુંબઈ અને હરિયાણા-પંજાબ-ચંદીગઢ વગેરે સ્થળોએ...








ભારતની ભૂમિ તીર્થો અને મંદિરોની ભૂમિ ગણાય છે. એમાં પણ જૈન તીર્થો અને મંદિરોનું સ્થાપત્ય મશહૂર છે. કલા-કારીગરી, માંડણી-ઊભણી આદિ અનેકાનેક દ્રષ્ટિએ પણ યુગયુગથી આજ સુધી જૈન તીર્થધામોની અસ્મિતા તો આગવી જ રહી છે.
આવાં તીર્થધામોની શ્રેણીમાં જે અગ્રગણ્ય રહ્યાં છે તેમાંનું એક નામ એટલે રાણકપુર. કહેવાય છે કે કોરણી આબુની અજોડ છે, ઊભણી તારંગાની તોતિંગ છે તો માંડણી રાણકપુરની રાષ્ટ્ર...

સૌમૈયાના સંકટ સમયે શૌર્યનો ઊજળો ઇતિહાસ રચનારા હમીરજી ગોહિલની પ્રતિમાનું અનાવરણ શહીદીનો એક ઇતિહાસ જીવંત કરશે અને લોકમાનસ પર યાદગાર સંભારણું બની રહેશે.
ઘૂઘવતો અરબી સમુદ્ર જેના ચરણ પખાળી રહ્યો છે, તેવા પ્રથમ જયોતિલીંગ સોમનાથ મહાદેવના મંદિરમાં વર્ષો પૂર્વેના આક્રમણ સમયે શહીદી વહોરનાર શૂરવીર હમીરજી ગોહિલની અશ્વ સાથેની પંચધાતુ પ્રતિમાના અનાવરણનો ત્રિદિવસીય સમારોહ...

હમણાં આપણા કવિ ઉમાશંકર જોશીના અવસાન પછી લગભગ વીસ વરસે તેમના જીવન દરમિયાન સ્વજનો, મિત્રો-વિશેષે સાહિત્યકાર મિત્રો, વંધ મહાનુભાવોને લખેલા પત્રોનું એક સંકલન ગંગોત્રી ટ્રસ્ટ તરફથી પ્રગટ થયું છે.
‘પત્રો-૧૯૨૮-૧૯૫૦’ એવું આ પ્રથમ ખંડનું સાદું નામ છે. હવે પછી બીજો ખંડ પ્રકાશિત થશે. આ પત્રોનું સંપાદન એમનાં સદગત પુત્રી નંદિની જોશી અને ભાઇ દેવેન્દ્ર જોશીએ કરેલું છે. દેવેન્દ્ર...

‘અલ્ટિમેટલી ઓરબિટ ક્રોસ્ડ’.
આજથી બાવન વર્ષ પહેલાં બરાબર આજના દિવસે ન્યૂયોર્ક ટાઈમ્સની હેડલાઈન વાંચીને આખા અમેરિકાના પેટમાં ધગધગતું તેલ રેડાયું હતું. ૫૪ પોઈન્ટના જાડા ફોન્ટમાં લખાયેલા આ હેડિંગ નીચેનું સબહેડ ધગધગતા તેલ પછી મરચાંની ધૂણીનો તીખો ડામ આપે તેવું હતું... ‘વ્હેર અમેરિકન્સ ફેઈલ્ડ, અ રશિયન ડોગ કમ્પ્લેટેડ ધ ઓરબિટ’
આ વાંચીને ૪ નવેમ્બર, ૧૯૫૭ની સવારે આખા...

તુમ્હારે પાંવ કે નીચે કોઇ જમીન નહીં,
કમાલ યે હૈ કિ ફિર ભી તુમ્હેં યકીન નહીં.
કરો વાત. કવિ દુષ્યંતકુમાર કહે છે કે તમારા પગ નીચે કોઇ જમીન નથી એટલું જ નહીં, તમને એ વાતની ખબર પણ નથી કે તમે હવામાં અઘ્ધર ઊડી કે લટકી રહ્યા છો. આવું તે કંઇ હોતું હશે? સૌના પગ નીચે આધાર હોય જ.
અમીર માણસના પગ નીચે લાલ પોચોપોચો-આકર્ષક ગાલીચો હોય, ગાલીચા નીચે ફર્શ હોય, ફર્શ નીચે જમીન હોય અને માણસ સાવ જ...


આ માણસ માત્ર સત્ય અને સૌંદર્યની શોધ કરવા નીકળ્યો હતો, પણ એને ગરીબી-દુ:ખ-કૂમળાં જીવનનાં વીતકો જ જોવા મળ્યાં
ભગવત રાવત હિંદીના માનવતાવાદી કવિ છે. વર્તમાન સમયમાં માનવજીવનનાં મૂલ્યોનો જે રીતે નાશ થયો છે એના વિશે એમના મનમાં ઊડો અજંપો છે. એ અજંપો એમની કવિતાઓમાં વારંવાર પ્રગટતો રહ્યો છે. એમને ખબર છે કે લોકોને હવે સાચી વાત સાંભળવી નથી. લોકોના કાનમાં ચારે તરફથી જુઠ્ઠાણાનો શોરબકોર...






આયુર્વેદના અતિ પ્રાચીન સિદ્ધાંતો અને પ્રયોગોને સરળ રીતે અમલમાં મૂકીને દર્દીઓની સેવા કરવી એ ઝંડુનો મુખ્ય ઉદ્દેશ હતો.
દુનિયાભરના દેશોમાં સંશોધકો માણસની જીવનશૈલીને વધુ સદ્ધર બનાવવાની ભરપૂર કોશિશ કરતા હતા ત્યારે આપણા દેશમાં આધુનિકતાને બદલે પ્રાચીન જ્ઞાનને અમલમાં મૂકવાના પ્રયાસો થઈ રહ્યા હતા.
સદીઓ જૂના ગૂઢ જ્ઞાનને થોડા સમયમાં વ્યાવહારિક જ્ઞાન બનાવવાના સફળ...

સવાલ: ઓગસ્ટ ૨૦૦૩માં મારા માટે એફ-૩ કેટેગરીમાં પિટિશન ફાઇલ કરી છે. તેને હજુ કેટલો સમય લાગશે? -ભાવેશ એસ.ભક્તા, સુરત
જવાબ: ત્રણ વર્ષ.
સવાલ: મારો મિત્ર તથા તેની પત્નીને અમેરિકાના એરપોર્ટ પર વિઝા મળ્યા. તે ત્યાં એક વર્ષ કરતાં વધુ સમયથી રહે છે. હવે તેમને ભારત પાછા આવવું છે. શું કરવું પડે? -સુધીર, અમદાવાદ
જવાબ: ભારત પરત આવવામાં તેમને વાંધો આવશે નહીં. એરપોર્ટ ઉપર...


વ્યક્તિ જન્મે છે તેનું મૃત્યુ તો નિશ્વિત છે જ જેનું સર્જન થાય તેનું વિસર્જન થાય જ છે. નવસર્જન કરવા વિસર્જન જરૂરી છે. તમે જ વિચારો કે માણસને મૃત્યુ ભગવાને આપ્યું જ ન હોત તો અત્યારે પૃથ્વી ઉપર કેટલા માણસો હોત? અને આપણે બધા કેવી રીતે જીવતા હોત?
આપણે બધાએ એક દિવસ મૃત્યુ પામવાનું છે એ નિશ્વિત છે, પણ આપણા જન્મ અને મરણ વરચેનો સમયગાળો અને આપણા જીવનની ગુણવત્તા આપણા હાથની વાત છે....


અમેરિકા-યુરોપમાં બધી જ સમૃદ્ધિ આવી છે-વિવિધ સ્વાદુ ખોરાકથી અને સંપત્તિથી તિજોરી ભરેલી છે પણ પશ્વિમના માનવો સ્પર્શના દુષ્કાળથી પીડાય છે.
હેતને હેલે
આંબાવાળી વાવને કોઠે
એકલી મુને જોઈ, ઘણુંયે ટાળતી તોયે
અડક્યો ભીના હોઠથી હોઠે
હેતને હેલે આમ તે ભૂંડા થાય?
ગભરુ મારે કાળજે એની કેવડી લાગી લાય!
-કવિ રાજેન્દ્ર શાહ
૨૧મી સદીનું સૌથી સસ્તું અને હાથવગું (હા, હાથવગું...


![Vasundhara+Raje[1]1](/2009/10/30/images/Vasundhara+Raje[1]1_b.jpg)

‘તમે મોસાદ માટે કામ કરશો?’
‘મને હતું કે હું ઓલરેડી મોસાદ માટે જ કામ કરી રહ્યો હતો. આઇ મીન, એટલિસ્ટ હું તો એવું જ વિચારતો હતો. પણ હા, મારી પાસેથી મફતમાં આ કામ કરાવવાની આશા ન રાખશો.’
૩ સપ્ટેમ્બર, ૨૦૦૯ના દિવસે કંઇક આ પ્રકારના સંવાદોની આપ-લે એફબીઆઇના અંડરકવર એજન્ટ અને અમેરિકન સાયન્ટિસ્ટ સ્ટેવર્ટ ડેવિડ નેઝેટ વચ્ચે થઇ હતી. આપણે આ ઠેકાણે નેઝેટની વાત માંડવાનો ઉપક્રમ એટલો...

૧૯૩૫થી ૧૯૩૯ના સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય કોંગ્રેસની કાર્યપદ્ધતિમાં આમુલ પરિવર્તન આવ્યું. સરદાર પટેલ ડો.રાજેન્દ્ર પ્રસાદ, રાજાજી, ક્રિપલાની, પંડિત પંત, શ્રી કૃષ્ણ સિન્હા જેવા આગેવાનોનું જૂથ કોંગ્રેસના સંચાલનમાં મહત્ત્વનું ચાલકબળ બન્યું.
સરદારની આગેવાની હેઠળ કોંગ્રેસ ક્રમશ: આંદોલનના માર્ગેથી સ્વાયત્ત પ્રાંતીય સરકારના સંચાલન માટે સજ્જ થઇ સંસદીય સમિતિના વડાના...

ચૂંટણી ત્રણ રાજયોમાં થઇ પણ સૌથી વધારે મહત્વ મહારાષ્ટ્રનું છે. ગુજરાત કરતાં બમણી વસતી અને થોડું વધારે ઔધોગિક મહત્વ હોવા ઉપરાંત મહારાષ્ટ્ર ગુજરાતના સંબંધ વધારે નજીકના છે.
દરેક રાજ્યનાં પાટનગરનું મહત્વ રાજ્યનાં કારણે હોય છે પણ ભારતની ઔધોગિક અને આર્થિક રાજધાની ગણાતાં મુંબઇના કારણે મહારાષ્ટ્રના મહત્વમાં ઉમેરો થાય છે. સોનિયા ગાંધીએ કહ્યું તેમ આખા દેશને મુંબઇ પોતાનું લાગે...

સેક્યુલર મુરબ્બો : ઝળહળ જુબાનીનો અભૂતપૂર્વ દસ્તાવેજ
ગુણવંત શાહ લેખિત ‘સેક્યુલર મુરબ્બો’ ગુજરાતી પ્રજાને દિવાળીની ભેટ કરતાં અદકેરી ગણી શકાય તેવી ભેટ છે. ગુણવંત શાહ આપણા મૂલ્યરક્ષક વિચારક છે. એમનું ચિંતન સામયિક અને સર્વાંગી હોય છે.
એમની ભાષા કાવ્ય અને સત્યના સ્પર્શ સાથે વહેતી હોય છે. ગુણવંતભાઇનો ‘સેક્યુલર મુરબ્બો’ ૨૦૦૨ની ગોધરા-ઘટના અને ત્યાર બાદના કોમી...

જેને કોઇ ન પહોંચે તેને પોતાનાં પહોંચે એ કહેવત બાળ ઠાકરે માટે સાચી પડી છે. શિવસેનાને કોંગ્રેસ કે એનસીપી તોડી ન શક્યાં, રાજ ઠાકરેએ તોડી. બાળા સાહેબ, ઉઘ્ધવ અને રાજ ત્રણેયને મળી ચૂકેલા કાના બાંટવા કરે છે પાવરપેક્ડ વિશ્લેષણ.
રાજ ઠાકરેની વેબસાઇટ રાજ ઠાકરે ડોટ ઇન્ફોના લોગોમાં લખવામાં આવ્યું છે, ‘કિંગ ઓફ મુંબઇ.’ વિધાનસભાની ચૂંટણીના પરિણામોએ આ વાતને સાબિત કરી દીધી છે. શિવસેના...


આજકાલ ખાદી ખરીદીની મોસમ ચાલી રહી છે. ગાંધીજયંતી નિમિત્તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે જાહેર કરેલ ત્રીસ ટકા વળતર તથા મંદી પછી અને દિવાળી સમયે ખરીદીના ધસારાએ અન્ય ખરીદીઓ સાથે ખાદીની ખરીદીમાં પણ લોકજુવાળ નજરે ચડે છે.
ખાદીભંડારોમાં પચીસ લાખની ખાદી વેચાઇ ગયાના સમાચારો આવે છે. જોકે ખાદીવેચાણના આ આંકડાથી બહુ હરખાવા જેવું નથી. આજથી ત્રીસ-ચાલીસ વર્ષ પહેલાં દસ જોડી વસ્ત્રો હોય...


ભાજપનું કમળ જાણે મૂરઝાઇ રહ્યું છે. નેતાઓ મૂરઝાઇ રહ્યા છે. લોકસભા પછી મહારાષ્ટ્ર, હરિયાણા અને અરુણાચલ પ્રદેશમાં કારમા પરાજયથી ભાજપના સંનિષ્ઠ કાર્યકરો ડઘાઇ ગયા છે. ભાજપના પતન માટે જવાબદાર કોણ?
ભાજપના પ્રવક્તાઓ નાનાં બાળકો રમતમાં ચંચઇ કરે એવી અદાથી કહે છે કે ઇલેકટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ના કારણે અમે હાર્યા છીએ... આવી વાહિયાત વાતો શોભાસ્પદ નથી.
ભાજપના સિનિયર પ્રવક્તા...

એક ચાર-સાડા ચાર વર્ષનું બાળક બપોરે સ્કૂલથી આવે છે ત્યારે ઘરમાં આવતાની સાથે જ એ સીધું ટી.વી. ચાલુ કરે છે. એને સ્કૂલનાં કપડાં બદલવાં નથી, સાફ થવું નથી, મા એને જમાડવા બોલાવે ત્યારે એ ટી.વી જોતાં જમવાનો આગ્રહ રાખે છે.
સ્કૂલમાં શું બન્યું એની વાત કરતું નથી. એને બપોરે ઊંઘવું નથી. ગૃહકાર્ય કરવું નથી. સાંજે રમવા માટે બહાર જવું નથી. રાતે વહેલા સૂવું નથી. એક દસ-બાર વર્ષના છોકરાનું કુટુંબ...







સ્વરાજ મળ્યા પછી હિંદુઓએ અને મુસલમાનોએ જો સૌથી મોટો અન્યાય કોઇ મુસ્લિમ નેતાને કર્યો હોય તો તે આરિફભાઇને કર્યો છે. એમનો કોઇ ગુનો? ગુનો એ જ કે તેઓનું સેક્યુલરિઝમ ચોવીસ કેરેટનું છે
પરમેશ્વરે સંવેદનશીલતા વહેંચતી વખતે કોઇ પણ કોમ પ્રત્યે પક્ષપાત બતાવ્યો હોય તેવું નથી લાગતું. કવિઓ સંવેદનશીલતાના પયગંબરો હોય છે. કોઇ પણ સમાજ કવિતાસૂનો નથી હોતો. સંવેદના સ્વભાવે સેક્યુલર હોય...







દિવાળી આવે એટલે ફટાકડા પણ આવે. વગર દિવાળીએ ફૂટતાં ફટાકડા લગ્નપ્રસંગે ફૂટે અને પછી લગ્નજીવનમાંય ફૂટે! એમાં આતશબાજી જરૂર હોય પણ રંગ ખાલી રાતો-પીળો જ હોય! આ દિવાળીએ કયો રંગ વધુ બંધ બેસે છે, એ જાણવું હોય તો કમૂરતાની વાટ જોવાને બદલે ફટાકડાની વાટ ચાંપી દેવી!
કયો ફટાકડો કઇ રીતે ફૂટે, એની જાણીતી ફોમ્ર્યુલા અજાણ્યા બનીને અનેક જાણકારો દ્વારા ચર્ચાઇ ચૂકી છે, પણ ફટાકડાની ફેકટ ફાઇલ...

નકસલવાદ નામ ઉત્તર બંગાળના તાલુકા- નકસલબાડી પરથી પડયું છે કારણ કે આ પ્રવૃત્તિ ત્યાંથી શરૂ થઇ.
આગ લાગે ત્યારે કૂવા ખોદવા બેસવું તે આપણા સમાજ અને આપણી સરકારની આદત છે. ભારતમાં નકસલવાદનો જન્મ ૧૯૬૯માં થયો અને ૧૯૮૦થી તો આ ત્રાસવાદી જૂથોની પ્રવૃત્તિઓ ઝારખંડ, ઓરિસ્સા, મઘ્યપ્રદેશમાં જૉરશોરથી ચાલવા લાગી. પણ ડુંગરાળ, જંગલછાયા વિસ્તારમાં, ગરીબ આદિવાસીઓ અને ગામડાઓની સમસ્યા પર કોઇએ...




દિવ્ય ભાસ્કર વેબસાઇટ દ્વારા વાચકોની લાગણીને માન આપી સતત ફેરફારો કરવામાં આવી રહ્યા છે. લે-આઉટને યુઝર ફ્રેન્ડલી બનાવવાની અમારી પ્રતિબધ્ધતા પ્રત્યે અમે બિલકુલ સજાગ છીએ.
વેબ સાઇટ પર સમાચાર વિભાગ બાદ હવે ફિચર વિભાગમાં વ્યાપક ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત અમે અભિવ્યક્તિ પેજને આજથી નવી ડિઝાઇન સાથે લોન્ચ કરી રહ્યા છીએ.
અભિવ્યક્તિ પેજમાં તમે એક જ સ્થળે અમારા તમામ...

માનવીના સર્વ દર્દનો કે ઘાવનો ઈલાજ કુદરતી રીતે થાય છે. ઘાવનું જ્ઞાન જ સર્વોપરી છે. ઘાના પોતાની મેળ રૂઝાવવાની પ્રક્રિયાને જાણી લો. ઘાવ સાથે જીવો તો અને ઘાના રૂઝની પોતાની પ્રક્રિયાને ચાબુક મારીને જલદી સુધારવાને બદલે તેને સમજો. આટલું સમજાઈ જાય તો તબીબી જ્ઞાનનું આ રૂઝનું સાયન્સ સમજાઈ જશે.
સમય એક વૈદ છે
સમય તો દૈત્ય પણ છે
સમયને સાચવી લો તો
સમય તમને સાચવી લેશે
સમય ઘાવ...

દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા ભારતની જુદી જુદી ભાષાઓની સાહિત્યકતિઓનું પ્રકાશન કરતું ‘સમકાલીન ભારતીય સાહિત્ય’ નામનું દ્વૈમાસિક સામયિક પ્રગટ થાય છે. આ વર્ષના જુલાઇ-ઓગસ્ટના અંકમાં એક હિંદી વાર્તા ‘કમલિની’ અને બીજી સંતાલીની વાર્તા ‘અંધવિશ્વાસ’ પ્રગટ થઇ છે. યોગાનુયોગ બાજુબાજુમાં આ બંને વાર્તાઓ સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને લખાઇ છે.‘કમલિની’...

‘હું’ સૌને પ્યારો હોય છે, ‘હું’ના વખાણ થાય ત્યારે ‘હું’ રાજી રાજી થઇ જાય છે. કયારેક કોઇ વાતે વિખવાદ થાય ત્યારે ‘હું’ હંમેશાં સાચો અને સામેની પાર્ટી મોટે ભાગે ખોટી જ હોય છે.
તમને સૌથી વધુ કયો શબ્દ ગમે? આ સવાલનો પ્રામાણિક જવાબ આપવામાં આવે તો મોટે ભાગે એક જ જવાબ મળે : ‘હું’. દિવસમાં સેંકડો વાર આપણે ‘હું’ બોલીએ અને દર વખતે ‘હું’ બોલવાથી એક સૂક્ષ્મ આનંદની,...

![photo_ramkatha[1]1](/2009/10/14/images/photo_ramkatha[1]1_b.jpg)


ભારત સરકારે, IT ઉધોગ અગ્રણી સરકારી અધિકારીઓ અને IT ઉધોગના ઉચ્ચ પદાધિકારીઓનો સમાવેશ થતો હોય, એવા એક રાષ્ટ્રીય ટાસ્ક ફોર્સની રચના જેવાં ઉચ્ચ પરિણામો હાંસલ કરે તે માટે ઘણાં પ્રારંભિક પગલાં ભર્યાં છે.
IT પરત્વેના ભારતીય અભિગમને આગળ ધપાવતું હોવા છતાં તેની વિભાવનાને ચરિતાર્થ કરવાની પ્રક્રિયામાં સૂચક ઊણપ વર્તાય છે અને તે એ છે કે શું IT માત્ર IT ઉધોગ પૂરતી સીમિત છે કે લોકાભિમુખ...

પરિષદની વિભાજનને પ્રોત્સાહન આપતી કાર્યવાહી અને જેલવાસ છતાં ગાંધીજીને બ્રિટિશ રાજકારણીઓ સ્વરાજના પ્રશ્ને યોગ્ય વલણ અપનાવશે તેવી આશા હતી. સરદારનો અભિપ્રાય તદ્દન અલગ હતો. સરદારનું કહેવું હતું કે અંગ્રેજો ગમે તે પક્ષના હોય, રૂઢિચુસ્ત હોય કે ઉદારવાદી પક્ષ ના હોય, મજૂર પક્ષના હોય તેનાથી કોઇ ફરક પડવાનો નથી. બ્રિટનની મિશ્ર સરકારના વડાપ્રધાન રામ્સે મેકડોનાલ્ડ હતા જયારે સેમ્યુઅલ...

માત્ર સંસ્થા સ્થાપવાથી પ્રશિષ્ટ કલાનું સ્થાપન થતું નથી. હા, સંસ્થા સ્થાપનારનું સ્થાપન થાય છે. ગુજરાતમાં નત્ય અને નાટય માટે ગુજરાતમાં સરકાર કક્ષાએ અકાદમી, યુનિવર્સિટી કક્ષાએ નત્ય-નાટય વિભાગો અને કોલેજો તથા ખાનગી નત્ય-નાટય સંસ્થાઓ છે. ગુજરાતના શ્રેષ્ઠીઓ સખાવતી છે. સારા કાર્યક્રમ આયોજકો છે. નત્ય-નાટય અને શાસ્ત્રીય સંગીતમાં સૂઝ ધરાવનાર કાનસેનો અને ચક્ષુસેનો છે. ભૂમિકા...





![ecofriendly[1]1](/2009/10/12/images/ecofriendly[1]1_b.jpg)



કબીર વણકર હતા અને પોતાનું કામ ઘરે રહીને કરતા. તેઓ કોઇ ટેક્ષ્ટાઇલ મિલના કામદાર ન હતા. સંત રૈદાસ ચમાર હતા અને પોતાની ઝૂંપડીમાં બેસીને કામ કરતા. તેઓ બાટા કે લાખાણી કંપનીમાં નોકરી કરતા ન હતા. મીરાંબાઇ જેવી રાજ ઘરાનાની ક્ષત્રિય કન્યાએ એમને ગુરુપદે સ્થાપ્યા હતા. તામિલ સંત થિરુવલ્લુવર પણ વણકર હતા. જયાં ઓટલો હોય ત્યાં જ રોટલો રળવાની સગવડ હોય, ત્યારે આજીવિકા પણ જીવનરસને...

૧૯૬૦ સુધી માત્ર અમેરિકન અને યુરોપિયનને જ નોબેલ પ્રાઇઝ અપાતા હતા. મહાત્મા ગાંધીજીથી માંડીને જગદીશચંદ્ર બોઝ, સત્યેન્દ્ર બોઝ, વિક્રમ સારાભાઈ, જગદીશ ભગવતી સહિત સંખ્યાબંધ લાયક અને પેનલમાં પસંદગી પામેલા મહાનુભાવોને છેલ્લી ઘડીએ પડતા મુકાયા એ વાત ખરેખર ખેદજનક છે.
વડોદરામાં ઉછરેલા અને ભણેલા વેંકી યાને વેંકટરામન રામક્રિષ્ણનને કેમિસ્ટ્રીમાં સંયુકત નોબેલ પ્રાઇઝ મળ્યું...



કોઈપણ અતિબુદ્ધિમંત માનવમાં તરંગીપણું કે મનસ્વીપણું કે ગાંડપણના અંશ કેમ આવ્યા તે જાણવા. આપણે સૌએ બાપ જ નહીં દાદા-દાદીનાં જીવન પણ જોવાં પડે છે.
કબીરે કે ભર્તૃહરિએ કે ગીતાએ યા યોગવાશિષ્ઠે બિચારા મનને બહુ જ બદનામ કર્યું છે. મનની ચાહતને કવિઓએ વખોડી છે. કવિ રહીમે મનની ચાહ વિશે લખેલું:
‘મૈં થા પૂરન બ્રહ્મ યદિ ચાહ ન હોતી બીચ.’ ભર્તૃહરિએ કહેલું ‘સ તુ ભવતિ દરિદ્રો યસ્ય...

વિશ્વ શાંતિ માટે ૧૯૯૪માં જયારે પેલેસ્ટાઇની નેતા યાસર અરાફાતને નોબેલ મળ્યો હતો ત્યારે મજાક થતી હતી કે, ‘શું આ વખતે પુરસ્કાર માટે હત્યારા હોવું એક શરત હતી ?’ હવે, જયારે બરાક ઓબામાને આ સન્માન અપાયું છે ત્યારે પૂછાઇ રહ્યું છે કે, શું આ વખતે ફક્ત ‘વાતો’ જ પૂરતી હતી ? કે પછી એક પખવાડિયામાં તમે વિશ્વ શાંતિ માટે કેટલી વાતો કરી શકો છો એ બાબતની પરીક્ષા લેવાઇ રહી હતી ?
ઓબામાએ ૨૦મી...

![migraine[1]1](/2009/10/10/images/migraine[1]1_b.jpg)

![silver+gold[1]1](/2009/10/10/images/silver+gold[1]1_b.jpg)









ગોળમેજી પરિષદ નિષ્ફળ ગઇ. ગાંધીજી યુરોપમાં મુસોલિનીથી માંડીને રોમાં રોલાંને મળી હિંદ પરત આવી રહ્યા હતા. સરકારની નીતિમાં સંપૂર્ણ ફેરફાર હતો. ગાંધીજીની બોટ (સ્ટીમર) હિંદ મહાસાગરમાં હતી ત્યાં જ સરહદના ગાંધી બાદશાહ ખાન અને તેના નાનાભાઇની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીજીની પીલ્સાના નામની બોટ મુંબઇના બારામાં લાંગરે તે પહેલાં જવાહરલાલની ધરપકડ થઇ હતી.
૨૮મી ડિસેમ્બર ૧૯૩૧ના રોજ...


Sitemap | Investor | Advertise With Us | Contact Us | Feedback | Calender-2010 | Newsletter
Group Sites: IndiaInfo.com | Bhaskar.com | Corporate Intranet | DNA | Business Bhaskar | 3d Syndication | MyFM | Saurashtrasamachar
Copyright © 2010-11 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.








